SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાળી–હે ભાઈ દુર્યોધનને વધ કરવાને માત્ર રાજા નાપાડે છે, નહીંતો ભીમ અને અ ) જુન એને જીવતો રહેવા દે તું મને પિતાને ઘેર વસવાનું કહે છે પણ પાંડવોના પદથી પવિત્ર થએલું વન છે તેજ વનમાં તેમની સાથે વસવું મને સારું લાગશે; તે પછી પિતાને ઘેર આવવાનું શું પ્રઆ યોજન છે? પરંતુ હું કહું છું કે આ તારા પાંચે ભાણે જેને તું પિતાને ઘેર લઈm. તારો જય થશે તો એવાં પંચાળીનાં વચન સાંભળી જેના નેત્રોમાં જળ આવી ગયા છે, એવો ઘુષ્ટદ્યુમ્ન યુધિ( શિર રાજાની આજ્ઞા પામી અને પોતાના પાંચે ભાણેજોને સાથે લઈ પોતાના નગરમાં આવ્યો. તે ઘટ્ટને ગયા પછી બીજે દિવસે જેનું ઉત્તમ સુંદરશ્યામ સ્વરૂપ છે એવા શ્રીકૃષ્ણ દા- D રિકાથી જયાં પાંડવો હતા ત્યાં આવ્યા. કૃષ્ણને આવ્યા જોઈ પાંડવોએ તેમને નમસ્કાર કર્યો. જ કુષ્ણ તીની પાસે જઈને તેના ચરણાવિંદને નમસ્કાર કરો, અને આનંદપૂર્વક ત્યાં તે બે પછી ? છે પાંડવોના દુઃખથી જેનું મન દુખી થયું છે એવા શ્રીકૃષ્ણ તે યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા. ( શ્રીકૃષ્ણ—હેરાન, સ્પષ્ટ અભટ્ટાર્થ દષ્ટિ દુર્યોધને કવિદે દુત રમીને તમને હરાવ્યા. એ કોS ણ સર્વ સાંભળ્યું છે. નરેંદ્ર દુર્યોધનને થ્રત રમતમાં ઉત્તેજન આપનાર કર્ણ અને શકુનિ એ બે હિ છે. મુખ્ય છે. અરે પણ હું તે સમે તારી પાસે ન હતો, જે પાસે હોતતો જેમ ચંદમા ને રાહુ જ હમેશ ગ્રહણ કરે છે પણ બુધ પાસે હોય તો ગ્રહણ કરી શકાતું નથી; તેમ હું આ વાત બનવા દેતા નહીં. આ ભીમસેન અને આ અરજુન એ બંને તે સમયે માત્ર તારા ભયને લીધે કાંઈ છે બોલી શક્યા નહીં. નહીં તે તેજ સમયે દુર્યોધનનો વધ કરત. હજી પણ તારા તે શત્રુને 5 મારવાનું કામ કાંઈ પણ મુશ્કેલ નથી પરંતુ તારા સત્ય નિવાહનું જડપણું અમારે બંધનરૂપ થઈ પડ્યું છે. દ્રોપદીના કેશ પકડી તેને સભામાં ખેંચીઆણું અને હાલ પણ તે વાત સંભારી મને કઈ જોઈ દ્રૌપદી રૂદન કરે છે તે પણ કેવળ તારોજ અન્યાય છે. આ દ્રોપદીનું પ્રત્યક્ષ રૂદન જોઈ મારી ક્રોધાગ્નિ દુર્યોધનને દગ્ધ કરે છે. હવે તમે સાંભળો કે આ મહાસતી દ્રૌપદીનો એ લોકોએતિરસ્કાર કરે છે તેનું ફળ તેમને હું ઉતાવળે દઈશ. આ વાતમાં તમે મને વિઘ કરશે નહીં એવી રીતે કહીને કૃષ્ણ છાના રહ્યા. તે સમયે હાથ જોડી પ્રણામ કરી યુધિષ્ઠિર રાજા કૃષ્ણ પ્રત્યે બેલ્યા. યુધિષ્ઠિરહે મહારાજ, હે કંસારી, આપને જે સમયે ક્રોધ ઉત્પન્ન થયે તે સમયે ઈદનું પણ સામર્થ્ય નથી કે તે આપની સામે ઉભા રહે તે પછી મનુષ્યક્રમી દુર્યોધનનું તે શું સામર્થ્ય? પણ મેં સત્યકરાર કરે છે તેને દંશ થાય ને તેથી લોકોમાં મારો અપયશ થાય તે સાંભળી આપને લજા નહિ આવે? મારા સંબંધીઓને પણ મારા સત્યકરારના નિર્વાહને અર્થે મેં આ સમયે વારી રાખ્યા છે. માટે હે આયુષ્યમન, જે વાત થઈ ગઈ તે થઈ ગઈ આપ | કૃપા કરી દુરારભથી દૂર થાઓ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy