SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કહી ત્યાંથી ઊછળીને મહા બળવš ભીમસેને તે રાક્ષસને એક ગદા પ્રહાર કરો. ગદાબહાર કરી તે રાક્ષસ પ્રાણમુક્ત થયો. દુર્યોધનપરનો ક્રોધ ભીમસેને આ રાક્ષસપર કાઢ્યો તે જાણે દુર્યોધનના વધારંભમાં તેનો જે પ્રિયમિત્ર કિમ્બૂર તેને મારીને પ્રથમ મંગળાથે કાર સ્થાપન કર્યો હોયના! કિમ્બરને ભીમસેને માર્યો તેનું વૃત્તાંત જાણ્યા વિના યુધિષ્ઠિર ત્યાંથી ચાલતા ચાલતા જેમાં રમણીક લતાઓ છે એવા કામ્યકવનમાં આત્માને પવિત્ર કરવા સારૂં આવી પહોંચ્યા. પાંડવો વનવાસ ગયાપછી ઈંદ્રપ્રસ્થમાં સર્વે લોકો દુર્યોધન ઉપર અત્યંત ક્રોધ કરી કહેવા લાગ્યા કે એ દુર્યોધન મહા કુકર્મો, અધમ અને મહાપાપી છે. એમ પરસ્પર વાતા કરતા હતા. સર્વેની દુર્યોધનપથી પ્રીતિ ઉઠી ગઈ. પાંડવાની સાથે માતાપિતાદિ સર્વ લોકો વનવાસમાં પ્રીતિથી ચાલતા હતા. પણ પંથના પરિશ્ર્વમેકરી સર્વે થાકી ગયા; અને યુધિષ્ઠિર પ્રત્યે કહેવા લાગ્યા. લોકો—હે મહારાજ, આ કામ્યક વનમાં પાંચ રાત્રી આપણે વિશ્રામ લેવા જોઇએ છે. ભીમસેને પણ યુધિષ્ઠિરને આગ્રહ કરી કહ્યું. કે હે ભાઈ, પાંચ રાત્રી આપણ સર્વે આ સ્થળે વિશ્રામ હૈયે. અને હવે તમે આ આપણી માયાળુ પ્રજાને અત્રેથી નગર ભણી વિદ્યાય કરો. માગૅના પરિશ્રમે થાકેલી પ્રજા લોક અહીં તહીં વૃક્ષોની શિતળછાયા તળે પોતાની ભુજા– ઓનાં ઊશીકાં કરી નિદાવા થયા. તે સમયે રાજ્ય સમૃËિ હાર્યાંનું અને વનવાસનું દુ:ખ એ ઉભય દુ:ખથી રાજાનું મન દુ:ખી હતું ને વળી પોતાના આશ્રિતોને મારાવિના હવે કોણ આજીવિકા દેશે એવો વિચાર તે એ એ દુ:ખના કરતાં રાજાના અંત:કરણને અધિક દુ:ખ દેતો હતો. એવું રાજાના મનનું દુ:ખ જાણી મનોહર આહારને સમાહરણ કરવાવાળી વિદ્યાનું કોવિંદ પારથે સ્મરણ કર્યું. તે વાર પછી પૃથાની આજ્ઞા લઈ દ્રૌપદીએ તે રસોઈવડે સર્વજનોને ભોજન કરાવ્યું. રાજ્યના અતિશય સુખ કરતાં પણ અધિક સુખમાની પોતાના વિનયયુક્ત સંબંધીની સાથે યુધિષ્ઠિરે તે દિવસ નિર્ગમન કર્યો. બીજે દિવસે પોતાના પિતાની આજ્ઞા લેઈ ધૃષ્ટદ્યુમ્ન વનમાં જ્યાં પાંડવો હતા ત્યાં આવ્યો. ત્યાં આવી પ્રથમ પાંડવોને નમસ્કાર કરચો પછી પોતાની બેન પાસે જઈ પ્રેમ સહિત હાથ જોડી નમસ્કાર કરી. તે બોલ્યો. ધૃષ્ટદ્યુમ્ન—હે બેન તેં આમ દીન મન કેમ કરશું છે? અમારા ગુપ્ત અનુચરો હસ્તિનાપુરમાં ફરતા રહેછે, તેમણે તમારા વનવાસના પ્રવાસનું વૃત્તાંત અમને કહવ્યું હતું તે ઉપરથી પિતાએ મને તમારી ખબર જોવા અહિયાં મોકલ્યાછે. હું બેન, જો તારા પતીઓની ઈચ્છા હોયતો હું મારા પરાક્રમવડે સ્વર્ગના રાજ્યને જીતી શકું તો પછી દુર્યોધન તે કોણ માત્રમાં, પરંતુ સત્ય જડવાળો યુધિષ્ઠિર યાંસુધી વનવાસ કરે ત્યાં સુધી તું આપણા પિતાને ઘેર રહેવા ચાલ. Jain Educationa International મ For Personal and Private Use Only ૨૦૯ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy