SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ છે કુંતી હે પુત્રો તમને વનના વિકટ પંથમાં કીડા પર્વતમાં, તથા કીડા વનમાં ભદ થાઓ. હવે તમારે મને ક્યારે મેળાપ થશે? હે હંસ, હે મેર, હું પોપટ, હે હરણું તમારી પંચાળી ના મની પરિચારણિ તમારો સહવાસ કરવા આવે છે, તેની તમે રક્ષા કરજે. એવાં અનેક પ્રકારે કરૂણાજન્ય વચનો કહી કુંતી રૂદન કરવા લાગી. તે સમયે કટિમેખળા જાણું બાંધી છે એવી દ્રપદી કૃતીની પાછળ જઈ ઉભી પણ તેનાથી આગળ પગ દેવાય નહીં તેમ પાછળ પણ પગ દેવાય નહીં, એવું થયું. જેટલા પુરવાસીઓ હતા તે સર્વ રાજ યુધિષ્ઠિરના ઊત્તમ ગુણોથી મોહ પામી ઘર બાર વિગેરે સર્વસ્વ ત્યાગી તેની સાથે ચાલ્યા, ને એમ બોલવા લાગ્યા. કે અમે પણ યુધિષ્ઠિર સાથે વનવાસ કરશું. એવી માયાળુ પુરવાસી પ્રજા સહિત જાણે સાક્ષાત ધર્મ પોતે જ મૂર્તિમાન હોયના! એવો રાજા યુધિષ્ઠિર જેમ નક્ષત્રો અને તારાગણ સહિત ચંદમાં આકાશથી બાહર નિકળે છે તેમ બા( હાર નિકળ્યો. તે સમયે લોકો પરસ્પર વાર્તાલાપ કરતા હતા. લકો-પૂર્વ જેમ નળરાજાએ દુત રમી પોતાનું રાજપાટ ખોયું હતું તેમ આ સમયે રાજા યુધિષ્ઠિરે પણ ધૃતરમીને પોતાનું રાજપાટ ખોયું. અરે યુધિષ્ઠિર સરખા મહાત્મા પુરૂષની રાજ્ય આ સમૃદ્ધિ કપટ ઘુતરમી હરણ કરી તેને વનવાસ આપ્યો, એવા દુવાધનને ધિક્કાર છે. એટલું કરતાં પણ દુર્યોધન પાસે નિરંતર રાજ તો નહીં જ રહેશે. કારણ ભીમસેન અને અર્જુનના જીવતાં રાજ a જ દુર્યોધનના હાથમાં રહેવું અસંભવિત છે. વળી વિશ્વમોહિની દ્રૌપદીનું સભામાં બોલાવી એણે જે અપમાન કરવું છે તે અપમાનનું ફળ પરિણામે પામ્યા વિના એ રહેવાનો નથી. એમાં આપણે શું કહેવું જોઈએ. એ પ્રમાણે પાંડવો ઉપર જે પ્રીતિ રાખનારા પરંતુ નિષ્પક્ષપાતી મહાજન હતા તે બોલવા લાગ્યા. ત્યારપછી આગળ વનમાં ચાલતાં અહીં તહીં મન જેનું ભ્રમિત થઈ રહ્યું છે, એવી કણાપ્રત્યે એક કૂર કર્મ કરવા વાળો, અતિશય શ્યામે શરીર વાળ, કશ જેના વિખરાSી થયા છે, માથામાં જાણે પ્રકાશ થઈ રહ્યો હોયના! જાણે બીજો વિંધ્યાચળ હોયના! વળી જેનાં જ ' અંગો જેવાં રક્ત નેત્રો છે, સર્પણી જેમ પોતાની જીભના લપકાર કરે છે તેમ જેની જીભ લપકાર કરી રહી છે એવા કિમ્મર રાક્ષસે અકસ્માત આકાશથી ઊતરી અદડાસ કરી અને મુખ પ્રસારી તથા ભયંકર શબ્દ કરો. તેનું વિકરાળ સ્વરૂપ જોઈ અને તેને ભયંકર શબ્દ સાંભળી દ્રૌપદી એકાએક કારમી ચીસ પાડી ઊડી. દ્રોપદીની ચીસ સાંભળી ભીમસેન તરતજ તેની પાસે આવ્યો ને રાક્ષસને જે તે પ્રત્યે બોલે. ભીમસેનહે દુષ્ટ તે, અવડુ ચંચળપણું કેમ આવ્યું છે. પંથના પરિશ્રમથી થાકેલી અને દવા છે ઘણે દૂરથી આવેલી એવી મારી પ્રિયાને તું અહીંયાં આવી ત્રાસ આપે છે તેનું ફળ હવે તું ભોગવ. હજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy