SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ २०१ છે. ઘણીવાર રહી નહી. થોડીવાર પછી દુર્યોધનના પક્ષવાળાઓએ સસ્ત સ્વભાવથી રમવાનું ત્યાગી રે કુટિલપણે રમવા માંડ્યું. તે સમય જેમ મંત્રવડે દૃષ્ટિ બાંધી લે છે ને અંધ થાય છે તેમ પોતાને એ હારનો પાસો પડતાં છતાં યુધિષ્ઠિર રાજ તે દેખતો નથી, શકુનિએ અક્ષવિદ્યામાં પોતાની કુશળતા છે તો જે આગળ દુર્યોધનને કહી સંભળાવી હતી તે પ્રમાણે દુર્યોધન હવે દાવ પેચ રમવા લાગ્યો. મ અણ) કુટિલપણાની ખોટી રમતથી યુધિષ્ઠિર રાજ અંગઊપરનાં ઊત્તમ વસ્ત્રાભૂષણ સર્વ હારી ગયો. ( તે જોઈ કર્ણાદિકોને બહુ આનંદ થયો. ઉલુક પક્ષી સૂર્યની નિરંતર ઉપેક્ષા કરે છે. ( માળામાંથી એક બે પુષ્પ ખરી પડે તેનો ભ્રમરને કઈપણ શેક થતો નથી તેમ વરસ્ત્રાભૂ- ) ઈિ પણના હારવાથી યુધિષ્ઠિર રાજને કાંઈપણ શેચ મનમાં થયું નહીં. પરંતુ જેમ ગ્રીષ્મઋતુમાં જ્યાં ; ત્યાંનાં જળારા સુકાઈ જાય છે તેમ એ પ્રમાણે રમતાં રમતાં યુધિષ્ઠિરરાજા પોતાનો સર્વરાજભંડાર હારી ગયો. તે સમયે જેટલા તેના બંધુજનો હતા તેઓનાં હદય અને મુખ સ્વામી થયાં. જેટલા પ્રતિપક્ષિઓ હતા તેઓનાં હૃદય અને મન પ્રકુલ્લિત થયાં. ઘત ક્રીડાની (હાર્યો જુગારી નો બમણું રમે) એવી લીલાથી અન્યોન્ય પણ ધારીને બેઠ. હાથી, ઘોડા અને રથ આદિ સર્વ વસ્તુઓ યુધિષ્ઠિરરાજાએ પણમાં મૂકી. તે સમયે યુધિષ્ઠિર સજાને ભીષ્માદિક કહેવા લાગ્યા. ભિષ્માદિક–જ્યાં સુધી પરસ્પર દુત રમવું એ ક્રીડામાર હતું ત્યાં સુધી સર્વ હક હતું; ( પણ હવે તે તમે ઉન્મદ થઈ રાજપાટ હારવાની બાજી માંડી બેઠો તે સારું નથી. દુત રમ= વામાં જે આપ સરખા રાજપાટ હારી જયતે સૂર્યમાં પણ અંધકાર દીસો જોઈએ. સર્વ લોકો જ દુર્વ્યસનને વશ થઈ રહે તે પછી શ્રેષ્ઠ ગુણોનું શું કામ છે. વળી એક પાત્રમાં અમૃત અને વિષ એ કોઈ સ્થળે એકાં દીuછે. માટે આ દુતાવાથિી તમારે નિવૃત થવું જોઈએ. તું જે ખરો, કે તારૂં સદગુણરૂપ વસ્ત્ર ધ્રુતદાવાનળમાં દગ્ધ થઈ જાય છે, એ પ્રમાણે ભીષ્માદિ આપ્તજનોએ યુધિષ્ઠિરરાજાને હિતાક્ષાનાં વચન કહી શિખામણ દીધી, પણ યુધિષ્ઠિરે કોઈનું કહ્યું માન્ય કર્યું નહીં. કારણ, જ્યારે દૈવ પ્રતિકુળ થાય છે ત્યારે સારા માણસોની પણ બુદ્ધિ વિપરીત થાય છે. જેઓથી યુધિષ્ઠિરની હાર જોઈ શકાઈ નહીં એવા કેટછેલાક જનો તે ત્યાંથી ચાલતા થયા. મેધની ધટાથી ગ્રહ, તારા નક્ષત્ર અને ચંદાદે અસ્ત થઈ છે કે ગયેલાં એવું આકાશ અંધકારને જેમ પ્રસન્ન કરે છે તેમ હાથી, ઘોડા અને રથ આદિક સર્વ & SE રાજ્યમદ્ધિ હારી ગએલો યુધિષ્ઠિરરાજા કર્ણાદિકોને પ્રસન્ન કરનાર થયો. તે ઉપરાંત યુધિષ્ઠિર છે. રાજાએ પોતાના રાજમાં જે રત્નાદિકની ખાણ હતી તે, તથા પુર, ગ્રામ, અને જેટલી પોતાની પૃથ્વી હતી તે એમ સર્વ એકજ ફેરે. હોડમાં મૂકડ્યું. તે સમયે ત્યાં બેઠેલા સમાજને કહેવા લાગ્યા. છે) સભાજનો–સમગ્ર આકર પુર ગ્રામ વિગેરે એક વખત જ હોડમાં મૂકવાં ન જોઈએ. શેડ ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy