SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭) A અંત:કરણમાં કપટ એવા સમડીના વૃક્ષતુલ્ય ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરે પ્રીતિપૂર્વક નમસ્કાર કર્યો. દુધને યુધિષ્ઠિરની બહુ આગતા સ્વાગતા કરી જાણે કે બંને એક જ આત્મા હોય! જેઓનાં કોમળ હદય છે તેઓને કોઈ માણસ ઉપર ઊપરથી પ્રેમ બતાવે તે પણ તેઓ તેને દઢ પ્રેમજ જાણે. છળ ભેદની વાત તેઓ જાણેજ નહીં કેળાના વૃક્ષમાં લાકડી પણ પ્રવેશ કરેછે. I !: = ધણા દિવસ સુધી યુધિષ્ઠિર રાજા ઇંદ્રપ્રસ્થમાં રહ્યો. યુધિષ્ઠિરને હસ્તિનાપુરમાં ઘણા દિવસ સુધી ન આવ્યો જોઈ ભિન્માદિક પણ ઇંદ્રપ્રસ્થમાં આવ્યા. કહીં ચતુરંગી સેનાઓ ઊભી B. રહી છે, કહીં ધૂત ખેલાય છે ને તેમાં પરસ્પર વાચાલ તાલિકા થઈ રહી છે, કહીં નાના પ્રકારની ) છે. મનહર ક્રીડા થાય છે; નાના પ્રકારનાં રમતગમતનાં સ્થાનોમાં, પ્રતિપદમાં, પ્રતિસ્થંભમાં જ Sી પ્રતિ દેવાલયોમાં અને દરવાજાઓમાં એમ સર્વ સ્થળે એવી અદ્ભુત રચના બનાવી છે કે તેનું ? વર્ણન પણ થઈ ન શકે. તે રચના દુર્યોધન યુધિષ્ઠિરને બતાવતો હતો. દુર્યોધન તથા યુધિષ્ઠિરાદિ પાંચે પાંડવો ઈંદપ્રસ્થની રચના અહીં તહીં ફરીને જોવા લાગ્યા. દુત રમનારા લોકો યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા. કે હે મહારાજ આપ પણ દુત રમતો સારૂ એવાં ઘતકારોનાં વચન સાંભળી ઇંદતુલ્ય જેની રાજશ્રી છે એવો દુર્યોધન યુધિષ્ઠિર રાજા પ્રત્યે બોલ્યો. ધન-હે મહારાજ, આ લોકોનું કહેવું આપને માન્ય કરવું જોઈએ છે. છે યુધિષ્ઠિર–બહુ સારું, હું તે માન્ય કરૂંછું. : " એમ કહી ધૃતકોની સાથે યુધિષ્ઠિર તથા દુર્યોધન એ બંને જણા દુત રમવા લાગ્યા. છે કલ્પવૃક્ષ જેવો યુધિષ્ઠિર સલચિત્તવાળા પોતાના બંધુઓ સહિત રમતમાં બેઠો. સૌબલાદિક & પણ દુ સહિત રાજા દુર્યોધન પણ રમતમાં બેઠો. પરસ્પર પાસાઓ નંખાવા માંડ્યા. એક પક્ષછે. વાળા બે કહેતો બીજી પક્ષવાળા ત્રણ કહે; એક પક્ષભણીના ચાર કહેતે બીજી પક્ષવાળા દેશ ન કહે એમ પરસ્પર પાસા ખેલે છે. પ્રથમ આરંભમાં તો માત્ર કીડાને માટે કોઈએ સોપારી, અને કોઈએ પાન એમ હોડ માંડી પણ આગળ જ્યારે વૃતનો ખેલ વધવા માંડો બાજી રસ (SP પર આવી ત્યારે આંગળીઓમાં પહેરેલી સુવર્ણની અંગુઠીઓ પરસ્પરે હારજીતમાં માંડી. જેને છેજે સમયે દાવ પાસે પડે જેની છત થાય તે સમયે તેની સમિપ બેઠેલાએ આનંદથી ) હાસ્ય કરે. જે પક્ષની જીત થાય તે જ પક્ષમાં લક્ષ્મીને પ્રકાશ થાય છે. તાંબુલ, રાત્રી ભોજન અને પાનાદિક ક્રિયા એ સર્વ રમતના ધ્યાન આડે વિસરી ગયા. આ રાત્રી છે કે દિવસ તેનું પણ પરસ્પર કોઈને ભાન રહ્યું નહીં. એમ પરસ્પર દુત રમતમાં સર્વ વિસ્મર્ણ થઈ ગયા. જ્યાં સુધી પરસ્પર સરલ સ્વભાવથી અને પ્રમાણિકપણે રમતા હતા ત્યાં સુધીમાં તો કોઈ વાર યુધિદિરનો જ્ય થાય અને કોઈવાર દુર્યોધનનો જે થાય; પણ એવી રીતની સરલ સ્વભાવની રમત @ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy