SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ લીધી તેમ તારા પુત્રો પાસેથી પાંડવો પૃથ્વી બળાત્કાર લઈ લેશે તો તમો લોકોમાં હાસ્યને પ્રાપ્ત થો ને વળી ઈંદપ્રસ્થ પણ તારા પુત્રોને હાથ નહી રહે. લાભ લેવાજતાં મૂળગ્ર હરો તેનો પણ ક્ષય થશે. હું ધૃતરાષ્ટ્ર, મનેતો એવું ભાસેછે કે જેમ નળરાજાએ દયા લાવી કુવરને તેની પ્રથત્રની યુવરાજ પદ્મવી હતી તે આપી પણ તારા પુત્રોને તો દયા લાવી કોઈ કશું દેવાવાળો છે નહીં કાંતો તારા પુત્રો અંતે દેશત્યાગ કરો કે કાં તો યુદ્ઘમાં પોતાના પ્રાણ ત્યાગ્ર કરશે. કારણ જ્યારે મનુષ્યનું અલયભંગ થાયછે ત્યારે તેને પોતાના સંબંધીઓમાં રહેવાનું અશકચ થઈ પડેછે. માટે હે ધૃતરાષ્ટ્ર તારા પુત્રોને પાંડવોપ્રત્યેના ખોટા આગ્રહથી પાછા હાવ. ઘુત રમવું સારૂં નથી; અને ઘુતે કોઇનું સારૂં કર્યું પણ નથી. એ પ્રમાણેનાં વિદુરનાં હિતશિક્ષાનાં વચનો ધૃતરાષ્ટ્રને જેમ પાણીથી ભરેલા ધડામાં માત્ર એક બિંદુ નળ રૅડીએ તોપણ નીચે ઢળી જાય તેમ હૃદયમાં સારાં લાગ્યાં નહીં. જન્મથી જેનું જેવું કર્યું તે પ્રમાણે તેને ધર્મની વાત સારી નારી લાગેછે. ધૃતરાષ્ટ્રે વિદુરનું કહ્યું માન્યું નહીં તેથી વિદુર મનમાં અતિ ખિન્ન થઈ હસ્તિનાપુરમાં ત્યાંથી આવતો રહ્યો. ત્યાર પછી ધૃતરાષ્ટ્રે સભા દેખાડવાનું નિમિત્ત કરી યુધિષ્ઠિરને ઈંદ્રપ્રસ્થમાં ખોલાવવા સારૂં જયદ્રથને હસ્તિનાપુરમાં મોકલ્યો. હસ્તિનાપુરમાં આવી યુધિષ્ઠિર ઉપર્ અતિશય પ્રીતિ દર્શાવી યદ્રથ બોલ્યો. જયદ્રથન્હે યુધિષ્ઠિર, અમારા સર્વે સંબંધીઓમાં તું મહા બુદ્ધિવાન, અગ્રગામી અને સર્વને આજીવિકાનો દાતા છે. તારા દુર્યોધન ભાઈએ તને આ પ્રમાણે કહેવા મને કહ્યું છે કે “મૈં નવી સભા ખનાવી છે; તે જોવા સારૂં તમારે આવવું એઇમ્મે. કારણ ઊત્તમ વસ્તુ પ્રાપ્ત થઈ હોય તે પોતાના સંબંધીઓ તથા મિત્રો ન જુએ તો તે વસ્તુની પ્રાપ્તિ સફળ થઈ કહેવાય નહીં.” એ પ્રમાણે કહાળ્યું છે, માટે તમે ઈંદ્રપ્રસ્થ ચાલો. તમારા આવવાથી સર્વેને આનંદ થશે. આજેજ ઉત્સવ થશે માટે આજેજ ચાલો. મૅવાં જયદ્રથનાં વચન સાંભળી મહા પ્રીતિસહિત પોતાના નાનાભાઈઓ અને દ્રુપદનં દ્રુનીને સાથે લેઈ જેમ પૂર્વના પવનની સાથે અને વીજળી સાથે મેધ ચાલેછે તેમ યુધિષ્ઠિર ઈંદ્રમચભણી ચાલ્યો. સેનાની ચરણરેણુ કરી જાણે આકાશમાં દૂજા ફરકી રહી હોયના! એમ કરતાં સર્વે સાથે જ્યારે ઈંદ્ગપ્રસ્થ સમિપ આવ્યો ત્યારે દુર્યોધન તેને લેવા સારૂં સામો ગયો પરસ્પર મળ્યા પછી આગળ યુધિષ્ઠિર ને તેમની પાછળ દુર્યોધન એમ માન સહિત અનુક્રમે ઇંપ્રસ્થમાં આવ્યા. જેમ ઇંદ્રપુરીમાં ઈંદ્ર પ્રવેશ કરેછે તે સમયે ત્યાં જેવો ઉત્સાહ થાયછે તેમ ઇંદ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરના પ્રવેશે કરીને તે સમયે તેવો ઉત્સાહ થયો. બાહ્ય ઉત્સાહ મેં Jain Educationa International For Personal and Private Use Only ૧૯ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy