SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંથી હું અત્રે આવ્યો, ને રાજદરબારમાં નોકર થઈ રહ્યો. પરમ દિવસે હું એકલો રાજગૃહમાં ફરતો હતો, બીજું કોઈ હતું નહીં. ત્યાં મેં એક માણિકચની પેટી દીદી તે જોઈ મારૂં મન લોભને પ્રાપ્ત થયું; તેથી મેં તે પેઢી ચોરી લીધી, તેને બગલમાં વાલી સર્વાંગથી સંકોડાઇને હું ચાલ્યો. એટલામાં ઈંગિતજ્ઞ (મુખમુદ્રા ઉપરથી મનનું જાણનાર) રાજાએ મને દીઠો. તેમણે મને રક્ષકોને સોપી વધ કરવાની તેઓને આજ્ઞા આપી રાજાની આજ્ઞા પ્રમાણે ચોકીઢારો મને શૂળી પાસે બાંધીને લઈ જતા હતા. તેવામાં તમારી દૃષ્ટિ મારાપર પડી અને તમે મને કૃપાકરી બંધનમુક્ત કરી રાજા પાસે અપરાધ મુક્ત પણ કરાવ્યો. તમારા એ ઉપકારરૂથી હું કચારે મુક્ત થઈશ? હું બંધનમુક્ત ને અપરાધ મુક્ત થયો પણ ઉપકાર રૂણથી તો કદી મુક્ત થવાનો નથી, એવો કોણ પુરૂષ છે કે જે મેધમાળાથી રૂણમુકત થાય! તમો તાપસપુરથી એકાએક ગુપ્તપણે ચાલી નિકળ્યાં તેથી સાથેપતીએ અન્નોદક તજ્યું, અને તે તમારાવિષે મહા શોક કરતો ખેઠો. જરાોભદ્રસૂરિ ગુરૂએ, તાપસોને અને સર્વે પ્રજાજનોને ઉપદેશ દઈ શાંત કર્યાં અને તમારા વિયોગના મહાશોકનું નિવારણ કરાવ્યું. સાતમે દિવસે સાથેપતીએ અન્નોદક લીધું, એકસમયે સાથૈપતી સુવર્ણાદિક રત્નોની ભેટ સામગ્રી લઈ કોશલાપુરીના કુવર રાજાને જઈ મળ્યો. તે ભેટ અંગિકાર કરી રાજાએ સાર્થપતિનો બહુ આદર સત્કાર કર્યો. ને વળી તેમણે તેને સામો શિરપાવ પણ આપ્યો. છત્ર, ચામર, ડંકો અને નોબત વિગેરે જે રાજચન્હો ગણાય છે તેપણ આપ્યાં. અને વસંતશ્રીશેખર એવું તેનું નામ રાખ્યું. ત્યારપછી કેટલેક દિવસે તેને મહામાનસહીત તાપસપુર વિદાય કર્યો. મોખરે રીનાદ થતાં વસંતશ્રીશેખરે તાપસપુરમાં પ્રવેશ કર્યો. અને ત્યાં આવી નાના પ્રકારના મહા સુખોપભોગ કરવા લાગ્યો. હું માત! એ સર્વે તમારા પ્રતાપે કરી તેને પ્રાપ્ત થયું. હું કલ્યાણી! હવે સમસ્ત પાપને છેદન કરવાવાળી શિક્ષા મને આપો. તેનાં વચન અંગિકાર કરી દમયંતી બોલી કે, બહુ સારૂં. હું પિંગળ તું ચારિત્ર ગ્રહણ કર. બીજે દીવસે તે સ્થળે બે મુનિઓ આવ્યા તેમનો શુદ્ધ ભક્તપાન વિગેરેથી આદર સત્કાર કરી દમયંતીએ પુછ્યું. દમયંતી—હે મહારાજ આ પિંગળ ચરિત્ર લેવા યોગ્ય છે? મુનિ—હે દમયંતી એ પિંગલ ચરણ ધારણ કરવા યોગ્ય પાત્ર છે. પિંગળે પણ તે મુનિઓની ચારિત્ર લેવાને પરમભાવથી પ્રાર્થના કરી, મુનિ તેને જિનમંઢિરમાં લઈ ગયા. ત્યાં તેને પ્રવજ્યાં આપી મુનિએ પોતાની સાથે રાખ્યો. એકસમયે હરિમિત્ર નામનો બ્રાહ્મણ કુંડિનપુરથી (દમયંતી હાલ જે નગરમાં રહેતી હતી) Jain Educationa International For Personal and Private Use Only ૧૭ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy