SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ તે બહાર નિકળી અને જ્યાં પહેલી બેઠી હતી ત્યાં આવી બેઠી. આકાશથી જેમ કોઈ દેવી ઊતરી આવી દૃષ્ટિવડે અચળપુરને પવિત્ર કરતી હોયના! એમ દમયંતી પોતાની દષ્ટિવડે અચળપુરને પવિત્ર કરતી હતી; પણ હું હવે ક્યાં જીને શું કી એમ કહી નિશ્વાસનાખીજ વાવ્યના બારણામાં બેઠી. ત્યાં જળ ભરવા આવનારી સ્ત્રીઓના મુખથી રૂતુપર્ણ રાજની કીર્તિ સાંભળી. તે રાજાને ચંદન જેવો જેનો યશ છે એવી ચંદજી નામની રાણી હતી. સંપૂર્ણ વિશ્વના ચિત્તને હરણ કરનારું એવું દમયંતીનું અદભૂત રૂપ જોઈ તે સર્વે સ્ત્રીએ વિસ્મયને પ્રાપ્ત થઈ. તે સ્ત્રીઓ ત્યાંથી જળ ભરી ચાલતી થઈ અને રાજગૃહમાં જઈ તેમણે રાણીને તેના ) છે વિષે ના સમાચાર કહ્યા કે કોઈ દિવ્યરૂપ વાળી, અને તમારી પુત્રી સરખી સ્ત્રી વાવ્યના બારણામાં જ બેઠેલી અમે જોઈ. રાણીએ કહ્યું કે તમે સર્વ મળી સત્વર તે સ્ત્રીને અત્રે તેડી લાવો. રાણીની આજ્ઞા થઈ એટલે સર્વ સ્ત્રીઓ જ્યાં દમયંતી બેઠી હતી ત્યાં આવીઓ; અને કહેવા લાગી કે હે ભદ્દે તને પુત્રી સમાન ગણી આ નગરના રાજની પટરાણી ચંદજશા પોતાની પાસે તેડે છે; માટે તું અમારી સાથે તેમની પાસે ચાલ અને તારાં જે જે કષ્ટ છે તેને તે પરિત્યાગ કર. આ શૂન્યસ્થાનમાં એકલી બેસીને શું કરીશ? એવાં તે સ્ત્રીઓનાં વચન સાંભળી નમ્ર થઈ દમયંતી જ તેઓના સમહ ભેળી ચાલી તે થોડીવારમાં ચંદશાની સન્મુખ આવી. પરસ્પરને દઝિમેલાપ ) થતાંજ એક બીજાના મનમાં આશંકા ઉત્પન્ન થઈ. દમયંતીએ જાણ્યું કે મારી પુષ્પદંતા માતુ| શ્રીની આ ચંદજશા ભગની તે ન હોય! ચંદજશાએ જાણ્યું કે મારી પુષ્પદંતા બેનની પુત્રી # SP દમયંતી તે તો આ ન હોય! એમ પરસ્પર બ્રાતિ થઈ પરંતુ તે વાતને નિર્ણય થયું નહીં. ચંદારાએ જાણ્યું કે આ દમયંતી છે ખરી, પણ મેં તે એને એની શિશુ અવસ્થામાં દીઠી હતી. ) દમયંતી જ્યારે ચંદજશાને સનમુખ આવી ત્યારે તે તેને અતિ પ્રેમસહિત આલિંધન આપી પ્રીતિપૂર્વક મળી. દમયંતીને ઓળખી નહી પણ મોટાં મનવાળાં મનુષ્યનાં મન જે વખતે જે Sિ નિશ્ચય કરે તે જ પ્રમાણ છે. દમયંતીએ માતહતુલ્ય સ્નેહ અણી ચંદજશાના ચરણુપર ) I મસ્તક નમાવ્યું. ચંદજાએ તેને મહા પ્રયત્ન ઊઠડી; અને છાતી સરસી ચાંપી બેલી. ચંદ્રકશાહે વત્સ! હે પ્રિયા! તું મારી ચંદવતી પુત્રીની પ્રિયસખી થા. તમે બન્ને 5 મળી મારી લક્ષ્મી કૃતાર્થ કરો; અને તું કોણ છે? તે મને કહે દમયંતીએ સાર્થપુરૂષને પોતાનું જે વૃત્તાંત કહ્યું હતું તેજ વૃત્તાંત ચંદજાને પણ કહી ગર સંભળાવ્યું અને ત્યાર પછી બોલી કે તમારા તરફથી સદાવ્રત અપાય છે તે સદાવ્રત આપવાના આ કામ ઊપર મને રાખો. ચંદારાએ તેને સદાવ્રત આપવાનું કામ સોંપ્યું. ત્યાં રહી દમયંતી છે જે જે અર્થિક આવે તેઓને પ્રસન્ન થઈ સદાવ્રત આપવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy