SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ થી દમયંતી મનમાં ચિંતન કરવા લાગી કે માર્ગમાં જે કોઈ સાથ મળે તો તે સાથને મળતી SS આ ગહનવનની પાર થાઉ. એવો વિચાર કરે છે એટલામાં સામેથી ગાડી ઘોડા સહિત ઘણું ? # માણસો આવત જોઈ દમયંતી મનમાં થોડીક પ્રસન્ન થઈ એટલામાં તો જનસમુદાયમાં ડકો આ વાગવા લાગ્યો અને તેના શબ્દોનો આ રીતે ઉચ્ચાર થવા લાગ્યો કે હે ચોર લોકો તમે જતા કો. રહો. જતા રહો. અમે અહીંયાં સૈન્ય સહિત આવીને રક્ષણ કરીએ છે; માટે તમને અનર્થ પ્રાપ્ત થશે. એવી તેઓની ધમકીને નહી ગણકારતાં ચોર લોકો તો તે સૈયાને લુટવા લાગ્યા. તેવું જોઈ દમયંતીએ ગર્જના કરી તેથી જેમ સિંહણના શબ્દ કરી હરણ નાશી જાય છે તેમ ચોર સર્વ નાશી ગયા. તે કૌતુક જોઈ વણઝારાએ વિચાર કર્યો કે આ કોઈ મારી કુળદેવીએ આવી મારું સંરક્ષણ કર્યું ને અમને સર્વ સાથને એના ભયથી નિર્ભય કર્યો. એમ વિચારી સાથ સહિત વણઝારાએ દમયંતીની સનમુખ જઈ પ્રણામ કરી પુછયું કે હે કલ્યાણી, મહિમાનું આ એક સ્થાનરૂપ એવી તું કોણ છે? અને આ નિર્જન વનમાં એhી શા માટે કરે છે? દમયંતીએ પોતાનું સર્વ વૃત્તાંત મૂળથી માંડીને તે વણઝારાને કહી સંભળાવ્યું. દમયંતીનું ન વૃત્તાંત સાંભળી એક તો તેને તત્કાળ કરેલ ઉપકાર અને વળી નળ સરખા મહાત્મ રાજવં- | 2 શની તે સ્ત્રી છે એવું જણ તે વણઝારાના મનમાં અત્યંત પ્રીતિ ઉત્પન્ન થઈ અને કરૂણા ) ) ઉપજી; તેથી તે તેને પોતાના તંબુમાં સાથે તેડી ગયો. ત્યાં જઈ આદર સત્કારપૂર્વક સ્નાન 1 જ ભોજનાદિક કરાવ્યું. વળી તેના સુખાર્થ જે જે ઉપચાસે અવશ્ય કરવા જોઈએ તે સર્વ કર્યો, જે છે અને જેમ દેવતાની આરાધના કરે તેમ તેની આસનાવાસના કરી; તથા તેને પોતાની બેન પ્રમાણે માની નિરંતર ત્યાં જ રાખી, એમ કરતાં વષરૂતુ આવી. ત્રણ દિવસ સુધી સૂરાળધારાએ, અને પ્રલયસમયના પુકરાવર્ત મેધની પેઠે વરસાદ વરસ્યો. તેથી કરી ગાડી, અને રથ વિગેરેને જવાના માર્ગમાંના ચીલાઓમાં એવો કીચડ થઈ રહ્યો કે ગાડીઓના ચાલવાથી કીચડ ઉડી આશપાશ ચાલનારા પંથીઓને મહાકલેષદાયક થઈ પડશે. દમયંતીએ વિચાર્યું કે વર્ષારૂતુને લીધે પંથ વિકટ છે- a આ વાથી વણઝાશે કોણ જાણે ક્યારેય અહીંથી આગળ વધશે! એમ વિચારી એકાએક ત્યાંથી ) છે. તે ગુપ્ત રીતે બહાર નિકળી ચાલતી થઈ થોડેક આગળ ગઈ ત્યાં જુએ છે તો, ભયાનક, અંજ- 4 SS નાદિને જાણે સગો ભાઈ હોયના! અગ્નિની જવાળા જાણે વિખ ધિખ થઈ રહી હોયના! અરે અથવા મધ અને વિજળીનો જાણે તિરસ્કાર કરતો હોયના! એવો જેના મુખનો સુસવાટ છે, મનુષ્યનાં અસ્તિભૂષણ જેણે ધારણ કર્યા છે, કરાળ અને ભયંકર જેના દાંત છે એ એક વિકરાળ રાક્ષસ જાણે બીજે જમ હોયના તેને દમયંતીએ લગભગ સાક્ષાત દીઠો, જળતરંગના ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy