SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ છે. મારા પ્રિયપતીને વરે રાજદ્દેશ કર્યો, વૃક્ષપરથી હું પડી ગઈ તે જાણે મારા પ્રિયથી મને વિરહ જે SY પડ. એ પ્રમાણે મારા દુઃખ સૂચકસ્વનો મને નિશ્ચય થયો કે હવે મને મારો વલ્લભ મળવો છે મહા દુર્લભ છે. એ પ્રમાણેનો પોતાના મનને નિશ્વય થતાં વેત હબકથી દમયંતી મુચ્છિત થઈ ગઈ - ધરણી પર ઢળી પડી. ઘણી વારે મચ્છથી સચેતન થઈ ત્યારે ઊઠીને ઊંચે કરૂણામય સ્વરે હૈયાફાટ નો રૂદન કરી પ્રલાપ કરવા લાગી કે, હે નાથ, હે સ્વામી, હે મહારાજ હું તમને શો ભાર કરતી હતી કે આ મને આ અરવનમાં એકલી મૂકી દીધી, બળદને માથે મોટાં મોટાં શિંગ હોય છે તે શું તેને . (ભાર કરે છે. વિકીપરૂષોને તે યોગ્ય નથી કે જેની સાથે પાણિગ્રહણ થયું એવી પ્રિય ) પત્નિને અઘોર વનમાં ત્યાગી જાય. અરે પણ હે નૈષધેશ? મારો પરિત્યાગ કરવામાં આપને S: કાંઈ અપરાધ નથી. મારે જ દૈવ મને જ્યારે પ્રતિકુળ છે, ત્યારે તેમાં આપ શું કરશે? મારે દેવ મને પ્રતિકુળ ન હોય તે આપ જેવા મહાત્મની બુદ્ધિ વિપરીત કેમ થાય? એ પ્રમાણે પ્રલાપ કરી મંદ મંદ સ્વરે દમયંતી વનમાં રૂદન કરતી હતી. એ શ્રવણશૂલ રૂદને કરી વનનાં વૃક્ષોને તથા જીવોને પણ તે રોવરાવતી હતી. એટલામાં અકસ્માત રીતે વસ્ત્રપર લખેલા અક્ષરોપર દમયંતીની દ્રષ્ટિ પડી. તે અક્ષરોને દમયંતી આનંદપૂર્વક વાંચી, હદયમાં અતિશય પ્રસન્ન થઈ વિ ચાર કરવા લાગી કે અક્ષરદારે મારા પ્રિતમે મને મારે પીઅરે કે કોશલપુર જવાનો ઉપદેશ કર્યો છે ( તે ઘણું જ સારૂ કર્યું છે. હવે આ સામે વડવૃક્ષ જણાય છે તે ભણીને માર્ગે થઈ સીધી મારા પિતાને તો ઘેર જઈશ. કારણ પતિશૂન્ય સ્ત્રીઓને વસવાને તો બાપનુંજ ઘર ઉત્તમ સ્થાન છે. પતી વિરહિત છે સાસરીઆમાં રહેવાથી પગલે પગલે લોક નિંદા કરે છે. એમ વિચારી દમયંતીએ પોતાના પીએરોજ માર્ગ લીધે. ચારે દિશાભણી અનુક્રમે વદન કરી, આ કઈ દિશા હશે! એ કઈ દિશા હશે. એમ કરતી કરતી ચાલી જાય છે. કોમળ પત્ર જેવા ઉભય ચરણકમળમાં દર્ભની તીવ્ર અને 1 ઓ ઘેચાય છે. થર અને બેરડીઓના તીવ્ર કંટકોથી તેની ઉભય જંધાઓ ઘાયલ થઈ ગઈ છે Sળ અને તેમાંથી લોહીની ધારાઓ વહે છે, પવનથી ઊડતી ધૂળ એના સર્વાંગે લાગી ગઇ છે. છૂટા (A) અને લૂખા કેશ બંને ખંભા ઉપર ઝૂલી રહ્યા છે, ચંચળ નેત્રવાળી, પ્રિયપતીના વિરહસંભવ છે. છે. દુખથી પરિપૂર્ણ થએલા હદયવાળી અને જેમ કોઈ દરિદની સ્ત્રી હોયના? એવી સ્થિતિમાં છે દમયંતી ઉતાવળે પોતાના પરભણીના માર્ગભણે ચાલતી જાય છે. સતી દમયંતીને જોઈ , વનમાંના હિંસક પ્રાણીઓ પણ દૂર ભાગી જવા લાગ્યા. ગારૂડીને જોઈ જેમ સર્ષ દૂર નાશી રે ? જાય છે તેમ સર્પો, સિંહણને ઈવનના હાથીએ જેમ દૂર નાશી જાય છે તેમ હાથી, અને અગ્નિની વાળા જોઈ જેમ વનવ્યા નાશી જાય છે તેમ વનેવ્યા, એમ સર્વ હિંસક પ્રાણીઓ SS સતી દમયંતીને જોઈ નાથવા લાગ્યાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy