SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મારી ભયભીત થયા થકા કૂદતી કૂદતા નાશવા માંડયા. જ્યારે કોઈ રસ્તો મળે નહી તેથી તે જ Sણ ફાસમાં અટકી પડે. સસલા પોતાના પ્રાણ રક્ષણાર્થે દોડતા દોડતા સંતાવાની ગા શોધતા ફરે આ પણ આખર નાઈલાજ થઇને તે ફશામાં સપડાઈ જવા લાગ્યા. મોટા મોટા વન હસ્તિઓ છે. મહા ભયને પામીને કારમી ચીરો પાડવા લાગ્યા. કેટલાએક મગલાઓ વૃક્ષોની કુંજમાં ભરાઈ ) બેઠા. કેટલાએક વનપહાડાઓ પાણીમાંજ છપવા લાગ્યા. શિયાળિયા પ્રાણત જાણીને અતિ ગાશ પામવા લાગ્યા. તરસ જાતના પ્રાણુઓ ભયભીત થઈ દશે દિશા તરફ ઉછાળા મારવા લાગ્યા. શરભ (અષ્ટાપદ) પક્ષી પોતાના આગળા ચાર હાથ જમીન ઊપર ટેકી પાછળા ચાર (1) પગ સંકોચી રાખી જેમ ઊંચા નીશાનપર તેફના મોરચા માંડેલા હોય તેમ થઈ બૈર્ય ધરીને જ્યાં ત્યાં બેઠેલા છે તે જણે તે વન પ્રાણીઓને શૈર્ય દેતા હોયની! અથવા પોતાનું શૌર્ય બતાવતા જ હોયની! કેશરી સિંહો પોતાના ગળાના ઘાટા કેશ ઊભા કરીને જાણે તે રાજાની સામે યુદ્ધ કરવાજ છે. 2. તૈયાર થયા હોયની! એવી રીતે રાજાએ તે આખું વન ખળભળાવી નાખ્યું તે વખતે મંદર પર્વતથી 45) સમુદ્ર મંથન થવાની પઠે ભાસવા લાગ્યું. એટલામાં અચાનક એક દિશા તરફથી શબ્દ થયું કે હે રાજન, આ કામ કરવું તેને યોગ્ય નથી માટે એમ ના કર. એવો શબ્દ શાંભળતાંજ તે દિશા તરફ જુવે છે તે એક પુષ્ટ શરીર યુક્ત કામદેવ સમાન સુંદર તરૂણ પુરૂષ દીઠમાં આવ્યો; તેણે છે પોતાના હાથમાં ધનુષ્યને ધારણ કર્યું છે, તેથી એવો છે કે જાણે એ વનનું રક્ષણ કરવાને છેઅર્થે સાક્ષાત ધનુર્વેદ મૂર્તિમાન થઇને આવ્યો હોયની. તેને રાજઃ-(પોતાના માનથી કહેવા લાગ્યો કે) આ જંગલમાં ફરનારા હરિને હું શિકાર ૫ કરું છું, તે એટકાવ કરવાની તને શું ગરજ છે? તરૂણ પુરૂષ હે મહાભાગ્યવાન રાજા, આ વનનાં પ્રાણીઓ એવાં છે કે જેઓને ભયની તે ખબરજ નથી, અને તે પણ કોઈને ભય અથવા ઉપદવ કરતા નથી. એવાં નિશંક Uઈ તથા નિરપરાધી વનપ્રાણીઓને મારવાને તમે એગ્ય નથી. કેમકે, તમારા જેવા શ્રેષ્ઠ પુરૂષ તે છે એવા પ્રાણીઓનું રક્ષણ કરે છે. જેમ આપણે જીવ આપણને પ્રિય છે તેમ સર્વ પ્રાણીઓને તો પિોત પોતાને જીવ પ્રિય છે; માટે પોતાના જીવની પેઠે સર્વ જીવોની રક્ષા કરવી જોયે છે. એવો પુરૂષ માત્રનો સાધારણ ધર્મ છે તેને ત્યાગ કરવો ન જોયે. - રાજા–ત્યારે ભગયા શબ્દના અર્થની તને ખબર જ નથી. જગતમાં બે પદાર્થો છે એક સ્થાવર બીજા રામ. એ બન્ને પદાર્થો ઊપગમાં લાવવા યોગ્ય છે, તેમ કરચાથી કાંઈ હિંસા કહેવાય નહી. જેમ સ્થાવર પદાર્થ ઊપર કોઈ નિશાણ મારિયે તેમ જંગમ પદાર્થ ઉપર નિશણ તા માસ્ત્રમાં શું હિંસા થાય છે કે હે બાલક એમાં હિંસા માનનારા તમે મૂર્ખ છો. કોઈ ધૂર્તે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy