SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 5 શિકાર કરવામાં પાપ છે એમ સમઝાવીને તને ભરમાવ્યો જણાય છે તેથી તે આ પ્રમાણે બકે છે. તે Sણ હવે તું છાને માને બેસી રહીને મારી શિકાર કરવાની ચતુરાઈ તે છે. સર્વ ક્ષત્રિયોને શિકારૂપ છે? ખેલ અતિ પ્રિય હોય છે અને એથી પરમાનંદ ઉત્પન્ન થાય છે. તરૂણ પુરૂષ-(તિરસ્કાર યુક્ત) હે રાજા, તમને ધનુર્ધરનો મિથ્યા અભિમાન છે. જે તમને જંગમ પદાર્થો ઉપર જ શિકાર કરવા શીખવું હોય તે આ સ્થળ મૂકી દઈને બીજે છેછે. કાણે જઈ સીખો. પહેલાં પ્રાણીઓને યુકિતથી ઘેરી લઇને પછી તેઓને મારવું એ તો ઘર કૃત્ય છે છે, એ કાંઈ મૃગયા રમણ કહેવાય નહીં. જે પશુની વનમાં સર્વ પ્રકારે પોતાના જીવનું રક્ષણ છે. કરવાની છૂટ હોય તે ઠેકાણે તમારું ચાતુર્ય પ્રગટ કરવું જોયે છે. એ પ્રમાણે તેણે રાજાને ઘણું છે પ્રકારે વા છતાં રાજા માનતા નથી અમ ભણીને ક્રોધે કરી આંખ લાલચોળ કરી ઘણા કડવાં વચનથી ફરી કહેવા લાગ્યું કે હે નિર્દય તને ધિક્કાર છે. અને તારા આ વૃદ્ધ વયને પણ ધિક્કાર હી છે. આટલાં બધાં વર્ષ તે પાણીમાં ઘાલ્યાં જાય છે. ધનુધરી થઈને બચાર આ નિરપરાધી 15 છે છને મારવા કે! એ તે વ્યાધોનું કામ છે તે તને કરવાની શરમ થતી નથી! તું આ વનના છેિ જ જીવોનું હૃદય ભેદન કરવાને તત્પર થયો તે ભણિયે મારાજ હદયને ભેદવા તૈયાર થયો છું એમ જે સમઝુંછું. તું ધર્મને મૂકી અધર્મમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયો છે તેનું ફળ તને હમણુજ મળશે ) એવાં તિરસ્કારયુક્ત વચનો બોલીને ઘણું ચાલાકીથી એક બાણ એ તો તાકીને માર કે તેણે રાજાના રથની વજા છેદી નીચે નાખી દીધી. તેટલી જ વાર તે રાજાને પણ બાણ મારતાં છે. લાગી હોત પરંતુ તેમ તેણે કરચું નહીં, તે એવા વિચારથી કે, એક સાધારણ સૂક્ષ્મ પ્રાણુને મા- ૧ SB રવું પણ યોગ્ય નથી તો સર્વોત્તમ જે મનુષ્ય પ્રાણી તેમાં વળી પૂથ્વીપતિ એવાને એકદમ વિચાર તે કહ્યા વિના મારી નાખવું મહા નિર્દયનું કૃત્ય છે, માટે એમ તે સર્વથા કરવું નહીં, પરંતુ પરા- ર કમ તે બતાવે છે, એમ જણ ધનુષ્ય ઊપર બાણ ચાવી સ્વામમોહ મંત્રનો પ્રયોગ કરી સારથીને માર, તેના મારથી તે મૂછિત થઈને પડી રહ્યો. એ તે તરૂણ પુરૂષને પરાક્રમ જોઈને તથા તેના હાથથી પોતાને પરાભવ થવા માંડે એમ જણને રાજા મહા ફોધમાં આવી ગયે. તેથી આંખે લાલચળ કરી તેની ઉપર એકદમ અગણિત બાણોની વૃદ્ધિ કરવા મંડી ગયે. તે બધા બાણેને જેમ પવન વક્ષને જડ મૂલથી ઊખેડી નાખી દિયે તેમ તે મહા પરાક્રમી તરૂણ પુરુષ લીલા માત્રમાં છેદી નાખવા લાગ્યો. એવું તેનું અતુલ યુદ્ધ ચાતુર્ય જોઈને જેમ ઘણા હછે રિયો એક સિંહને ઘેરી લિયે તેમ તે રાજાના માણસોએ તેને ઘેરી લીધો. અને પ્રત્યેક માણસ થત પોતાની શકિત પ્રમાણે બાણ મારવા મંડી ગયા. એવું ક્રૂર અને અધર્મ યુદ્ધ જેઈને તે તરૂણ વાં પુરૂષે મનમાં વિચાર કરો કે આવા પ્રસંગે કેવળ દયાને જ વળગી નિરૂદ્યમી થઈને વળ ગમાવીશ તો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy