SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સૂર્યોદય થયો ન થયો પરંતુ દમયંતી જાગી નહી હતી એટલામાં તો જેને બંને નેત્રોમાં જળધારા વરસી રહીછે; એવો નળ તે લતાગૃહ તજી આગળ ચાલ્યો; તે એવી રીતે કે પાછું વાળી પણ ન જુએ અને સિધે માર્ગેજ ચાલ્યો જાય. આગળ ચાલતાં એક મહા ધોરવનમાં નળ આવી પહોંચ્યો ત્યાં ધુમ્રના સમુહને વધારનારો, વિધ્યાચળની આસૂયા કરવાવાળો, જેની ધોર પટા તે કાળરૂપી અગ્નિ જેવી હોયના! એવાં ભયંકર અને મોટાં વૃક્ષો જેમાં આવી રહ્યાં છે; એવો એક રત્નગર્ભિત પર્વત નળની નજરે પડો. તે ઊપરના વૃક્ષોમાં દાવાગ્નિ લાગેલો હતો. જેવી પ્રલયકાળના અગ્નિની જ્વાળા નિકળે અથવા જેમ મણીમાં નડેલા રત્નનું તેજ બહાર નિકળે એવી રીતે તેમાંથી જ્વાળાઓ નિકળતી હતી. ાવાગ્નિથી કરી ક્ષણમાત્રમાં વન સધળુ પ્રજ્ઞલિત થઈ ગયું. જેમ માનસીશોકથી મનુષ્યની સર્વે બુદ્ધિ નાશ પામેછે તેમ દાવાગ્નિથી સર્વે વન દહન થઈ ગયું. જીવજંતુઓ દુગ્ધ થએલા તેથી તેઓનું પ્રાણાન્ત આક્રંદ નળરાજાએ વેગળેથી સાંભળ્યું; વળી તે આક્રંદને મળતું કોઈ મનુષ્ય જેમ આક્રંદ કરતું હોયના! એવું નળ રાજાએ સાંભળ્યું કે તેવોજ નળ રાજા તેની પાસે ગયો. તે સમે તે ખોલવા લાગ્યો કે હું એક્ષ્વાક નળ ભૂપાળ જઋત્યાત્મકબાંધવ, આ દાવાગ્નિથી મારૂં શરીર દગ્ધ થતું જાયછે, માટે હે મહાત્મ એનાથી તું મારૂં સંરક્ષણ કર, સંરક્ષણ કર. એવી રીતે તેના આર્તવચનના અનુસારે નળ જોવા લાગ્યો કે એ કોણ બોલેછે? અને કવાં છે? એવી રીતે આમ તેમ જુએછે એટલામાં ત્યાં એક વેલી પાસે રાફડામાં એક ભુજંગને જોયો. તે પ્રત્યે નળ બોલ્યો કે હે નાગ, મારૂં નામ, માણે વંશ અને નરભાષા એ બધાનું જ્ઞાન તને કચાંથી પ્રાપ્ત થયું? તે કહે. નાગ બોલ્યો કે હે મહાત્મા નળ, હું પૂર્વ જન્મને વિષે મનુષ્ય હતો; અને વિધિપૂર્વક તે જન્મમાં મને અવધિજ્ઞાનનો સંસ્કાર થયો હતો. તેથી આ જન્મમાં પણ મને નરભાષા આવડે છે. પૂર્વ જન્મનું નિર્માધજ્ઞાન પણ મને સર્વ આ ભવમાં સાથેજ છે માટે સાંભરે છે. હું ભૂલ્યો નથી. એ અવધિજ્ઞાને કરી હજી પણ હું ચાચર વિશ્વને કરતળ ોઊંધું, તો પછી તારૂં નામ, ામ, તારો વંશ, અને નરભાષા એ જાણવામાં બહુ આશ્ચર્યની વાત શી છે! હવે હું નળ શ્નધ્વજથી તું મારૂં રક્ષણ કર, હું તારો પ્રત્યુપકારી થઈશ. તું તો નિર્પેક્ષી છે તો પણ હું તો તારો કોઈ પણ ઉપકાર કરીશ. એવાં નાગનાં દીન વચન સાંભળી દયાનિધિ નળરાજાએ જ્યાં નાગ દહન થતો હતો તે વેલી પાસે જઈ પોતાનું વસ્ત્ર તે ઊપર નાખ્યું; એટલે તત્કાળ નાગ તે વસ્તુને વળગ્યો. અને વળગ્યા તેવોજ નળે તેને સત્વર ઊપર ખેંચી લીધો. જેવો ઊપર ખેંચી લીધો તે ત્રણ કાષ્ટાદિકવાળી જગ્યા ઊપર તેને નળ છોડી મેલતા હતા તેવાજ તે નાગે નળરાજાના હાથને રૂંધ માર્યો. તે સમે નળરાજાએ હાથ તરછોડી નાગને છોડી દીધો ને તે બોલ્યો કે હે નાગ! Jain Educationa International For Personal and Private Use Only ૧૦૧ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy