SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ તેની અક્ષાવલી જુમ્મેછે. અને મહા ઊંડો નિશ્વારા મૂકી ઝીણુ સ્વરે રૂદન કરેછે. ધણીવાર લગી સારી પેઠે તેનું વદ્દન જોઈ તેનાપર વજ્ર ઢાંકેછે. વળી કહેછે કે, અરે આ રાજા છે તે મહા દુષ્કર્મી છે, અરે દૈવ, સર્વેના ચક્ષુઓને અત્મય દેવાવાળુ અને નેત્રોએ નિરખવા એવું ઉત્તમ સ્થાન રચી તેની આવી મહા દુ:ખદ અને ટ્વીન અવસ્થા કેમ કરી! કે જેથી કરી આજ મહા ઘોર વનમાં પાંદડાંની પથારીએ સુતી છે, ને વળી તેને ત્યાગવા માટે હું તેનો પ્રાણેશ્ર્વર તે પણ વાંચ્છના કહ્યું. અરે! સામાન્ય જન પણ ખોરડીના વૃક્ષને ઉછેરી ફરી તેનોજ નાશ કરવા પોતે યોગ્ય ધારતો નથી; તો સંપૂર્ણ મનોર્થને પૂરનારી કલ્પલતાનું છેદન કરવા કોણ પુરૂષ ઇચ્છા કરે! પણ હું વિધાતા તું જડછે. કારણ તું કમળમાં રહેનાર છે. જ્યારે કમળ જરૂપ છે ત્યારે તેમાં નિવાસ કરનાર તે પણ જડરૂપ હોયજ! વળી જો, તેં પ્રથમ ચંદ્રમાને ઊત્પન્ન કર્યા ને પછી વળી તું તેને રાહુ પાસે દુ:ખ દેવરાવે છે. એમ વિધાતાને દોષ દેશને નળ વનદેવતાઓ પ્રત્યે કહેછે. હે વનદેવા મારી એક વિનતી સાંભળો. વિધાતા તો દુર્બુદ્ધિ થયો પણ તમે મારી પ્રાણવલ્લભા દમયંતી ઊપર નિય હૃદયના ન થશો. કોઈ પણ પ્રકારે તમો એવું કામ કરો કે જેથી કરી એ દુ:ખી ન થાય. વળી પ્રાત:કાળમાં જેવી ઊઠે કે તરત માર્ગમાં ભૂલી ન પડે પણ ધરભણીનો સિદ્દો રસ્તો અને પ્રાપ્ત થાય એવું કરજો. એવી રીતે વારંવાર પ્રિયાની ભાળવણી કરતો આગળ જઈ પાછું વાળી જોતાં જોતાંમાં નળ અદર્શ થઇ ગયો. થોડે દૂર જઇ વળી મનમાં વિચારવા લાગ્યો કે અરે હું અને ત્યાગી તો જાઊંછું પણ વનમાં રહેનારાં ધાતકી જનાવરોથી અને ઉપદ્રવ થશે. મા ૐ જ્યાં સુધી એ નિદ્રાવશ છે ત્યાં સુધી કોઇ લતાગૃહમાં અદર્શી થઇ એસી હું રક્ષા ક. પ્રાત:કાળ થયે જ્યારે એ જાગી ઊઠશે ત્યારે હું મારે રસ્તે જ્યાં મનમાં આવશે ત્યાં ચાલ્યો જઇશ. એને પણ મારા બતાવેલા એ માર્ગમાંથી એની નજરમાં આવશે તે માર્ગે ભણી જશે. એવો વિચાર કરી પાછો શ્રી નળ એક લતાગૃહમાં આવી બેઠો. વળી નિદ્રાવામાં પડેલી પ્રાણવલ્લભાના મુખભણી જોઈ મનમાં ચિંતન કરવા લાગ્યો કે અહો મહા આલય કે જે જગ્યાને સૂર્ય પણ જોઈ શકતા નહીં, એવી નળના અંત:પુરની જગ્યા અને તેમાં અખંડ વાસ કરનારી દમયંતી તેને હું દુરાત્મા નળ, હે નળ, અરે તું પોતે કેમ ખળી ભસ્મ થાતો નથી કે, એવીનો ત્યાગ કરેછે! એવા મહા દુ:ખદ વિચારમાં નેં વિચારમાં રાત વીતિ ગઈ ને સૂર્યોદય થયો. સર્વ અંધકાર નાશ પામ્યું. અને તે સમે નળરાજામાં પણ મહા અજ્ઞાન રૂપ અંધારૂં પ્રવતવા લાગ્યું. તે જાણે સૂર્યોદયથી ભય પામી અંધકારે નળના હૃદયધરમાંજ પ્રવેશ કર્યો હોયના! વળી તે સમયે સર્વે દિશાઓમાંથી પણ અંધકાર નાશ પામ્યું અને નળનું હૃદય પણ અંધકાર જેવું થઈ રહ્યું હતું. માટે જાણે સર્વે સ્થળનું અંધકાર તેના હૃદયમાંજ જઈ પેઠું હોયના! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy