SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વિષે તિમરૂપ જળના તરંગો ચાલવા લાગ્યા; તે જેમ સમુદની ભરતીના વખતે તેના પ્રબળ વેગથી સ્થળની ઉપર પાણી આવીને જ્યાં નીચાણુ હોય ત્યાં ભરાઈ રહે તે ઓટમાં પણ રહી જાય છે તેમ વનરૂપ સમુદમાં રાત્રિ સંબંધી મિરરૂપ જલનાતર કેટલાએક પર્વતોમાં બિસમાં પણ ભરાઇ જાય છે તેઓને મળવા સારૂ જાણે ઉતાવળા થઈને એ રાત્ર સંબંધી તરંગો કે હોઠી જતા હોયના. તે સમયે નળ દમયંતીને આગળ ચાલતાં એક નદી દીઠામાં આવી. તેના કિનારા ઉપર જઈ હાથ, પગ, તથા મોડું પખાળીને તૃષા નિવારણને અર્થે બન્ને જણાંઓએ ઈચ્છા પૂર્વક તેમનું પાણી પીધું. ત્યાર પછી લતાહમાં પ્રવેશ કરી એક લસિત શિલાની ઉપર પાંદડાંની પથારી કરીને બન્ને જણાએ શયન કરવાનો વિચાર કર. વળી અંગને ન લાગવા માટે તે પત્રચ્યા ઉપર વસ્ત્ર પાથરવું. પછી પંચપરમેટીને નમસ્કાર કરીને પરસ્પર ભુજલતાઓ સંસકૃત કરીને સૂતાં. તે સમયને વિષે દમયંતીના દેવને લીધે નળના મનમાં ચિંતવન થયું કે અરે! આ મારી પ્રાણપ્રિયા કે જેણે દુઃખરૂપ સમુદ્રમાંથી એક બિંદુ જેટલાનું પણ ઉલ્લંઘન કર્યું નથી તે આગળ કેમ કરશે! વળી જ્યારે આગળ ચાલતાં ટીંબા ટેકરાવાળી અને ઉજડ પૃથ્વી આવશે, તેમ તેમ દુઃખના મહાસાગરે પણ આવશે તે કેમ પાર ઉતરી શકશે. અરે હું પણ એને સાથે લઈ દુઃખરૂપ સમુદની પાર શી રીતે ઉતરીશ. ઇચ્છાપૂર્વક જેઓ પૃથ્વી પર સંચાર કર" નાર છે તેઓની સાથે સ્ત્રી એ તે તેમને મહા વિશ્વ રૂપ છે. માટે આ મારી પ્રાણપ્રિયાને છે પરિત્યાગ કરી અહિ સુતી મૂકી હું જતો રહે; પ્રાત:કાળે ઊઠીને ગમે તો એ એના બાપને ઘેર જાઓ અથવા ગમે તે કુવર પાસે જાઓ. એવી રીતે આલોચના કરી છે જેમાં સમુદ્રમાં ડુબી ગઈ હોયના? એમ રસ્તે ચાલવાના પરિશ્રમથી નિદાવશ થએલી દમયંતીને એ દમયંતીના કંઠપરથી પોતાની ભૂલતા ઉલવવા સારૂ નળે ધીમે ધીમે યત્ન કરવા માંડ્યો. અરે વણ દમયંતી બિચારીને તો નળ ઉપર પરિપૂર્ણ વિશ્વાસ છે, તેથી નિશ્ચિત થઈને નિદા કરે છે તો તેને જગાડ્યા સિવાય ઝીણે ઝીણે સ્વરે નળ બોલવા લાગ્યું કે હે મુગ્ધ! તું નળને છોડ નિ છે (” દાવશ થએલી, એકલી, જેનો પોતાના પતી ઊપર સંપૂર્ણ વિશ્વાસ છે, જે હમેશા પ્રેમરૂપી અમૃત ' વિવર્ષની છે, એવી પ્રાણપ્રિયાને વનમાં તજવાને વિચાર કરનાર ચંડાળ અને કુળને કલંક લગાડ- S) નાર નળ, તેને તું છોડ. મારા જેવા મહાપાતકીને સ્પર્શ કરી તું પણ પાપને પ્રાપ્ત થઈશ. વળી હે મુગ્ધ. વિષવને કલ્પતરૂ સમજી અજ્ઞાનતાથી આશ્રિત થઈ હતી તે હવે તું તારા અજ્ઞાન છે નપણાનું આ દુઃખ ભોગવ. હે વિધાતા તને ધિક્કાર છે. કારણ, કયાં હંસી અને કયાં કાગ! તેમ છતાં તેના જ સમાગમ જેવો નળ અને દમયંતીનો તે અયોગ્ય સમાગમ કરાવ્યું. જો તું ! ૭) નિરંતર એવા અયોગ્ય કર્મ કર્યા છે તે તેં કાંટાવાળા કેતકીવૃક્ષને સુગંધમય ક્યી રીતે કર્યું છે. છેક કચ્છી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy