SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્રથી તેને વાયુ ઢોળે. વળી કેટલેક આગળ ચાલતાં જ્યાં તેને વધારે થાક લાગે ત્યાં અતિ દયા સહિત તેના પગ ચાંપીને આગળ ચાલવાની વિનંતી કરું. વળી આગળ ચાલતાં જ્યારે અત્યંત થાકી જાય ત્યારે દમયંતીને કોઇ વૃક્ષની નીચે બેસાડીને ત્યાં નજીક કોઇ સરોવરમાંથી કમળના પત્રનો દડીઓ કરી તેમાં જળ લાવીને તેને પાય. અને પોતે હાથ લાંબા કરીને ચરણમજ્જૈન કરવા લાગે. ત્યા૨ે દમયંતી તેને વારી રાખે. અને મુખથી કહે કે, હે મહારાજ, આપ સર્વે પ્રકારે ઉત્તમ છો, માટે હું આપની સેવા કરૂં એ યોગ્ય કહેવાય પરંતુ આપ મારી ચાકરી કો તે અધતિ છે. ઇત્યાદિક નમ્રતાપૂર્વક વાકચોએ કરી પતિને સારી રીતે સમજાવ્યા છતાં પણ નળ હરેક પ્રકારે તેને શાંત કરે. જ્યારે જ્યારે દમયંતીને સુધા વ્યાપે ત્યારે ત્યારે વનમાંથી સાણં સારાં ફળો લાવી આપે, એમ આગળ ચાલતાં ચાલતાં પાકા એ પ્રહરરૂપ પૂર મધ્યાન્હ થયું. તે સમયે જેની પાળપર સુંદર વૃક્ષોની ઘટા આવી રહી છે, પાણી ઉપરથી ગમન કરી આવેલો વાયુ વૃક્ષોની સાથે અથડાયાથી તેઓના પુષ્પોની સુગંધયુક્ત થયો થકો વાહતો હતો તે જાણે પોતાની સુગંધયુકત શીતળતા વડે દમયંતી તથા નળને શાંત કરવાને આવ્યો હોયના? એવું મહા ઉત્તમ સરોવર આવ્યું. ત્યાં તેની પાળપર બન્ને જણાં ખેડાં; ધડીક વિશ્રામ લઈને વળી આગળ ચાલ્યાં. કેટલેક દૂર જતાં એક લતામંડપ આવ્યો. એટલામાં સંધ્યાકાળ થયો ને અનુક્રમે રાત પડી; ત્યારે ત્યાંજ વાસો કરી રહ્યાં, બીજે દિવસે પ્રાત:કાળમાં ઊઠીને આગળ ચાલતાં એક અટવી આવી. જેમાં મહા વિષે કરીને ઉન્નત થએલા, મોટી ફોએ કરી યુકત, મુખડે મોટા મોટા કૂકુવાટા મારતા એવા વિકરાળ મણિધરો વિચરી રહ્યા છે, વૃક્ષોની પંક્તિની એવી ધટાટોપ થઈ રહી હતી કે જાણે તેટલા સ્થળને વિષે એક છત્ર ખની રહ્યું હોયના! એટલે જેમાં સૂર્યના કિરણો પણ પ્રવેશ કરી શકતા નથી અવા સમન વન તર્ ભુવનને વિષે નળ ને દમયંતી પ્રવેશ કરતાં પૂર્વ દિશાને વિષે આરકત વષૅ યુક્ત પ્રભાકર પ્રગટ થયો; તે જાણે વિધાતાના ક્રોધનો ભોગ થએલાં નળ તથા દમયંતી રૂપ દ્રુપતિએ મહા વિપત્તિનો આશ્રય કરીને ભયંકર વનમાં ભ્રમણ કરેછે તે દુ:ખને ન જોવાઈ શકવાને લીધે પોતાનું ઉગ્ર તેજ છાનું રાખીને વિધાતા ઉપર ક્રોધાયમાન થયો થકો તેની સાથે યુદ્ધ કરવાને લાલચોળ થઈ ગયો હોયના! પછી ભ્રમણ કરતાં વિધાતાનો કહીએ પત્તો ન મળવાથી પાછો તેવાજ ક્રોધના આવેશે રક્તતાને ન મૂકતાં સંધ્યાકાળે પશ્ચિમદિશાએ અસ્તાચલ ઉપર જતો રહ્યો હોયના! અને સૂર્ય ઉદય થયા પછી આખી પૃથ્વી ઉપર તેના કિરણે પ્રસૃત થયાં છતાં પૂર્વોક્ત વૃક્ષોની બાટી ધટામાં જ્યાં નળ ને દમયંતી ફરતાં હતાં ત્યાં કિરણોએ પ્રવેશ કરચો નહી તે જાણે તેઓની ઉપર દયાજ પ્રદર્શાવી હોયના! પછી આસ્તે આસ્તે રાત્ર પડતાંજ તે વનરૂપ સાગરને Jain Educationa International For Personal and Private Use Only ૧૬૭ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy