SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ છે એવી રીતે જેને જયારે ખખર પડે ત્યારે મુખથી હાહાકાર શબ્દો કાડીને અતિ શોક કરવા લાગ્યા. દમયંતીના અતિ કમળ ચરણકમળના સ્પર્શ કરી પથવી એમ માનવા લાગી કે, હવે હું પવિત્ર થઈ અને એના ચરણના સ્પર્શ કરીને આકારામાં જે રજ ઉડીને ઉપર જ્યા લાગી તરૂપે જાણે દમયંતીના પદસ્પર્શના પ્રભાવથી પૃથ્વી સ્વર્ગમાં જતી હોયના! એવી રીતે નળ અને દમયંતી પુરથી બહાર નિકળ્યાં ત્યારે નગરના જન ધન, ધાન્ય, હાથી, ઘડ, તથા બીજી વસ્તુઓ ( વિગેરે સમૃદ્ધિ સાથે લઈને તે નળની પાસે જઈ ભેટ ધરી; અને તે અંગિકાર કરવાની પ્રાર્થના 1) જે કરવા લાગ્યા; ત્યારે નળ બોલ્યો. છે. નળ–હે મારી પ્રિય પ્રજ, હું ક્ષત્રીય છું. માટે જે મારી ભુજાના બળકરીને મને પ્રાપ્ત જ થાય તેનું જ હું ગ્રહણ કર્યું. બીજાનું લીધેલું તે ભિક્ષા કહેવાય. માટે એ તમારા પદાર્થો હું લેવા ચાહતો નથી. તમે આ વસ્તુઓ ભેટ દાખલ લાવીને મને પ્રીતિ બતાવી તેથી હું તમને ધન્ય માનું છું. મંત્રિઓ અને ચતુર પ્રજાજનોને એ ધર્મ છે કે, આવા સમયે પ્રીતિ દર્શાવવી, પણ મારે આ વખતે એ ગ્રહણ કરવું યોગ્ય નથી. એમ સર્વને મધુર વચને કરી સંતોષીને પાછા વાળ્યા. નગરની નાગરીઓ પણ ફરી ફરી દમયંતીનું મુખકમળ વિલોકીને પોતપોતાના ઘર ભણી પાછી વળી જતાં રસ્તામાં મહા શોકાતુર થઈ થકી મોઢ નિશ્વાસ નાખતી પરસ્પર નળને પી. અનુલક્ષીને બેસવા લાગી. નગર નારીઓ-હે નળા , આ દમયંતીરૂપ લક્ષ્મીને તું સાથે લઈ જાય છે માટે હવે અવશ્ય સર્વ લોક લક્ષ્મીહિન થઈ જશે. કેમ કે, એ માનુનીના મિષે તું સર્વજનની લક્ષ્મીને હરણ કરી જાય છે એમાં સંશય નથી. (પરસ્પર સખીઓને અનુલક્ષીને) હે બેની જ્યારે દમયંતી બાગ, બગીચા, વન કે દેવ દર્શન કરવાને જતી હતી ત્યારે તેની આગળ હજાશે અનુચરો ચાલતા હતા તેજ દમયંતી આજે એક નળને ચક્ષરૂપ થઈને આગળ ચાલે છે. આ સમયે સૂર્ય પોતાના ઉગ્ર કિરણએ કરી તપ્ત થએલો છે; તેવામાં એ ઉઘાડે પગે ચાલે છે. ભરતક ઉપર માત્ર એક ઓઢણીજ છે. એવા વિપત્તિના વખતે પતિભક્તિને લીધે એ રંચમાત્ર પણ ચિંતાતુર થતી નથી માટે એને ધન્ય છે. એ ઉપરથી એવું સૂચન થાય છે કે, જેવી એની આ અવસરે નળની ઉપર પ્રીતિ છે તેવી જ્યારે છત્ર, ચામર અને ચતુરંગિણી સૈન્યા આગળ ચાલતી ત્યારે નહોતી. અર્થાત સીએ પતિને વિપત્તિમાં અધિક પ્રીતિ દર્શાવવી જોઈયે છે, એમ કરૂણારસોત્પાદક વાતો કરતી કરતી બધી સ્ત્રીઓ પોત પોતાને ઘેર ગઈ) - અહીં નળ અને દમયંતી આગળ વનને વિષે ચાલ્યાં. ચાલતાં રસ્તામાં જ્યાં જ્યાં દમયંતી SS) થાકી જાય અને તેના યોગે શરીર ઉપર પરશેવો થઈ આવે ત્યારે નળ નિષ્કપટબુદ્ધિવડે પોતાના હજી (O) - C Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy