SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ 14 છે. દિક ઘણા પ્રકારે સમજાવ્યું પણ નળે કોઈનું કહ્યું માન્યું નહીં અને ઉલટું વધારે વધારે જે SS ખેલવા માડ્યું. વિધાતા જ્યારે પ્રતિકૂલ થાય છે, ત્યારે મનુષ્યની બુદ્ધિનો નાશ થઈ જાય છે. જે તે પ્રમાણે નળને બન્યું. છેવટ જેમ પ્રાત:કાળમાં ચાંદનીઓ અને નક્ષત્રો સહિત ચંદ્રમા હારી જાય છે, તેમ મંત્રીઓ અને દમયંતી સહિત નળરાજા સર્વસ્વ હારી ગયે. વધારે શું કહેવું, કોશરીર ઉપરના ઉત્તમ વસ્ત્ર તથા આભૂષણે પણ ગુમાવી બેઠે. એવી રીતે જ્યારે સઘળી રા- શ્રી કૂવરને પ્રાપ્ત થઈ ત્યારે જેમ મધની વૃષ્ટિથી નદીઓ ગર્જના કરે છે, તેમ તે આનંદના ) છે. પકાર કરવા લાગ્યો. નળરાજા પોતાના સર્વ રાજ્યથી ભ્રષ્ટ થયો ત્યારે જેમ અકસ્માત વૃક્ષ તુટી ) પડવાથી પક્ષીઓ પકાર કરી ઉઠે છે તેમ પ્રલોક સર્વ ત્રાહિ ત્રાહિ પોકાર કરીને રૂદન કરવા લાગ્યા. તે સમયે કૂવર નળ પ્રત્યે બોલવા લાગ્યો. કુવર–હે ભ્રાતા, હવે સત્વર નગરી છોડીને જાઓ. તમને એ રાજ્ય પિતાએ આપ્યું હતું અને મને તે પાશાએ આપ્યું છે. એટલે તમે વડીલોપાર્જિત મિલકતના ધણી થઈ બેઠા હતા તેમ હું નથી થયું. હું તો પાર્જિત મિલકતને માલીક થયો છું. તે મારે જલદીસ્વાધીન કરી લેવી જોઈએ છે. નળ કૂવર, તું શા સારૂ આટલો બધો અહંકાર કરે છે. રાજ્ય પ્રમુખ ઐવિર્ય પ્રાપ્ત થવું ) I એ શું મોટી વાત છે. જેને ભુજબળ છે તેને ઘણુંએ રાજ્ય લક્ષ્મી છે. તું મને રહેવાનું કહે છે ઉં તોપણ હું એક ક્ષણ અહીં વાસ કરનાર નથી. છે એમ કહીને એકજ વભેર નળરાજા ત્યાંથી નિકળ્યો. તેની પાછળ દમયંતી પણ ચાલી. તે સમયે કુવર બોલ્યો. GS કવર–હે સુંદરી, તમે ક્યાં જાઓ છો? તમને તો મેં જીતી લીધી છે. માટે તમારાથી પર નળની પછવાડે જ્વાશે નહીં. તમને એક ગામ આપું તેમાં રહે ને દિવસ નિર્ગમન કરો. હવે નળનું તમારેવિષે કંઈ લાગતું વળગતું નથી. માટે હવે એનું તમારે સ્મરણ પણ કરવું નહીં. 5 કેમકે, એનું મુખ હવે તમે જોઈ શકશે નહી. (એવાં કર્કશ શબ્દો દીયરનાં સાંભળીને આંખમાંથી 7 (2) આંસુ આવી પડ્યાં અને મુખ ઉતરી ગયું. વિગેરે કરૂણાને ઉત્પન્ન કરનાસંચિહથયાં તે જોઈને તે છેનગરના લોકોને પણ કરૂણાને આવેશ આવી ગયો તેથી તેઓ એકદમ કુવરપ્રત્યે બોલી ઉઠ્યા.) ) નગરજનો –હે ધૂર્ત, આ તું યોગ્ય કરતો નથી. દમયંતીને તું શા સારૂ રોકે છે? એમ SS કસ્યાથી તારું સારું થવાનું નથી. જેમ સિંહની પછવાડે જતી સિંહણને રોકનારા શિયાળીઓને કર છે. અવશ્ય મતની પ્રાપ્તિ થાય છે તેમ નળની પાછળ જતી દમયંતીને રોક્યાથી શું તારે તને પ્રાપ્ત થયું છે? મોટા ભાઇની સ્ત્રી માતાતુલ્ય ગણાય, તેને રોકી રાખ્યાથી તને શું ફળની પ્રાપ્તિ તો ) થવાની છે. માટે તારે એમ કરવું જોયે છે કે, પોતાની માતુશ્રી જાણી દમયંતીને નમસ્કાર કરી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy