SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શંગારરસમાં લય થઈ જવાને લીધે તેઓને દિવસ અને રાત્રની પણ શુદ્ધિ રહી નહી. એમ છે કેટલાક દિવસ સુધી સંસારના નાના વિધના સુખોપભોગ ભોગવવા લાગ્યાં. કોઈ સમયે ? મનોહર પર્વતની ઉપર ક્રીડને અર્થે વિચરતાં રહે; કોઈ દિવસ રમણીય વનને વિષે તરેહ તરેહની A hી કરે; કોઇ દિવસે ઉપવનમાં મોજ કરે; કોઈ સમયે હીંચોળાખાટ ઉપર બેરીને બન્ને હાસ્ય કો5. 9) વિનોદ કરે; કોઈ વખતે લાશયમાં રમમાણ થાય; કદી બાગમાં જઈ પુષ્પકલી કરે એટલે કે કૂલો તોડીને એક બીજાની ઉપર ઉરાડે; અથવા તેના હાર બનાવીને પરસ્પર પહેરવે; વળી ? છે તેના મુગટ બનાવીને મસ્તકની ઉપર ધારણ કરે. એમ વિચિત્ર સ્થળમાં, વિચિત્ર પ્રકાર છે છે. વિચિત્ર સુખભગ ભોગવીને, તે પવિત્ર દંપતિ, અદ્ભુત મિત્રતા યુકત, મદન રતિ ચિત્ર ઈવ, કર્તા ચિત્રક રચિત, યુગ ચિત્રકંઠ (કબૂતર અથવા સારસ પક્ષી) ચિત્ર વિચિત્ર ચિત્રગત (બૂટીદાર) સુવર્ણ વસ્ત્ર પરિધિત, ચિત્રધા (અનેક પ્રકારે) ચિત્ર પદક્રમ સહિત, ચિત્રવૃત્તિ (આશ્ચર્યકાર વન થયાં થકા માતૃપિતૃને અતિ આનંદાસ્પદ ભાસવા લાગ્યા. એમ કરતાં કેટલાએક કાળ વીતિ ગયો ત્યારે નિષધ રાજાની વૃદ્ધાવસ્થા થઈ. તેથી તેણે આ વિચાર કરો કે, હવે આ પ્રપંચમાં રહેવું ઠીક નથી. આ અવસ્થા રાજય કરવાની નથી પણ થઈ ધર્માચરણ કરવાની છે. પછી પોતાની દૃઢ ઈચ્છાથી તથા સર્વ મંગિઆદિકના અનુમોદનથી શુભ મુહર્ત નળને રાજ્યાભિષેક કરો; અને કૂવરને યુવરાજની પદવી આપી. ઈત્યાદિક રાજ્યની યથાયોગ્ય વ્યવસ્થા કરીને તથા તે સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરીને નિષધ રાજ ચારિત્ર લઈ વનમાં તપ કરવાને ગયો. અહીં નળ રાજ પોતાનું રાજ્ય એવા ચાતુર્યથી ચલાવવા લાગ્યો કે તેની કીર્તિ જયાં ત્યાં પસરી ગઈ. તેના પ્રતાપની દિવસનદિવસ વૃદ્ધિ થવા લાગી. પ્રજા જન અતિ પ્રીતિ કરવા લાગ્યા. જેમ ઉષ્ણકાળ ગયા પછી વષતુને વિષે મધને જોઈને સર્વ આનંદિત થાય છે, તેમ એ નવીન રાજાની પ્રાપ્તિ થયાથી બધા લોકો આનંદ પામ્યા. જેમ અતિશય જળવડે મેઘની શોભા અધિક દીવામાં આવે છે, તેમ લક્ષ્મીની બાલ્યતાને લીધે નળની શેભાને પાર (રહ્યો નહી. પોતાના પ્રતાપરૂપી અગ્નિમાં શત્રુઓની સ્ત્રીઓ ઉત્તમ સુતાફળના હારરૂપ છે લતાઓને ભસ્મ કરીને તપ કળીચૂનાથી પોતાના યશરૂપ રાજ મહેલને ઈચ્છા પૂર્વક નળે સફેત ) કરો. વળી જેમ કલ્પાંતની અગ્નિ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ શત્રુઓની લક્ષ્મી નળની અસિ ST રૂપ જળમાં ડૂબી ગઈ. જેમ સૂર્ય પોતાના કિરણોને પ્રસાર કરે છે, તેમ નળ રાજાએ પોતાની અને સત્તાને અર્ક ૫થ્વીને વિષે પ્રસાર કરી મૂકો. જેમ ઇંદના આધિપત્યને સર્વ દેવતાઓ માન્ય કરે છે તેમ નળના અધિપતિપણાને સર્વ રાજાઓ માન્ય કરવા લાગ્યા. એવી રીતે નળ રાજા કે છે. સર્વે સંપત્તિયુક્ત રાજ્ય કરવા લાગ્યું. @ 9 99@ @ (૨yટ&િ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy