SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ૭ રહેલા હોય છે એવા કૃષ્ણાદિ જેઓના સંબંધીઓ છે; એવા અજય દુદંડ તાંડવ જે પાંડવો તેને છે શસ્ત્રાશત્ર યુદ્ધથી તો કદાકાલે જીતાય જ નહી; પરંતુ એક બીજો ઉપાય છે. (એવા પ્રકુલ્લિત ? મુખકમળ યુકત શનીનાં વચન સાંભળીને દુર્યોધન તેને પૂછવા લાગ્યો.) આ દુર્યોધન–એવો કિઓ ઉપાય છે તે મને જલદી કહો. . શકની—હે શ્રીમન, મારી પાસે જવા રમવાના દેવતાઈ પાશા છે તેનાથી જે હું ધારું છે છે તેજ થઈ શકે છે; માટે યુધિષ્ઠિરને પાશા રમવા બોલાવશું તો તે તરતજ આવશે. વૂત રમવાની છે આ વાત સાંભળીને ક્ષણવાર પણ ઢીલ કરશે નહી; વળી એટલું સારું છે કે જુગાર રમવાની કળા એને ) આવડતી નથી; તો પણ રમવામાં ઘણો આતુર છે, એ યુક્તિથી આપણે તેને ફસાવશું. હવે તું જ S: કોઈ પ્રકારે ખેદ કરીશ નહી. માત્ર એને કોઈ યુક્તિથી અહી બોલાવે છે. તે અહીં આવ્યો ? એટલે એની સર્વ રિદ્ધિ સિદ્ધિ આપણે સહજ માત્રમાં પડાવી લેશું. પરંતુ એ આપણે રાવ થયા પ્રમાણે સર્વ વૃત્તાંત તારા પિતા ધતરાષ્ટ્રને કહી રાંભળાવવું જોયે છે. | દુર્યોધન–મારા પિતાને એ વાત કહેવાને હું અસમર્થ છું માટે તમે તેમને કહી સંભળાવો. ૯) છે . એ પ્રમાણે શકુની અને દુર્યોધન બન્ને પરસ્પર સલાહ કરી એક બીજાને વચન આપીને ( ઇંદપ્રસ્થમાં આવ્યા. ત્યાં ધૂતરાષ્ટ્રને પ્રણામ કરીને બેહ. તે સમયે જેમ પૂરથી આવેલી નદી S) કિનારાઓને છોડીને વહેવા માંડે છે તેમ દુર્યોધનના મુખથી શ્વાસોચ્છાસ નીકળવા લાગ્યો. તે 1) છે. જોઈને તેને ધતરાષ્ટ્ર બેલ્યો – કે ધૂતરાષ્ટ–હે પુત્ર, તારી મુખમુદા કેમ ફરી ગઈ છે. શું હસ્તિનાપુરમાં કોઈએ તારું અપ માન કરે છે. એ જાણી જોઈને અગ્નિમાં પ્રવેશ કરનારણે પુરૂષ કોણ છે! મણિધર સર્ષની ફણ કાપીને તેની મણિ કહાડવાની ઈચ્છા કરનાર એ કોણ છે! શકની–હે ધ્રુતરાણ, ચંદ્રમામાં એવી શકિત નથી કે, પોતાના પ્રકાશ વડે દિવસનો પરાભવ કરે. તેમ તારા પુત્રોને પરાભવ કરી શકે એવો કોઈ બાહારથી તો દીધમાં આવતો નથી. પરંતુ જેમ વૃક્ષની માહેલી કેરે અગ્નિ દહન કરે તેમ એના હૃદયમાં કોઈ દુઃખ હશે જેથી એનું મુખ પ્લાન થઈ ગયેલું છે. ધૂતરાષ્ટ-હે પુત્ર, તને થએલા દુઃખ વિષે મેં ઘણે વિચાર કરો પણ તેનું કારણ કાંઈ જ SE મારા દીમાં આવ્યું નહીં. તારા બધા બાંધવો તારી આજ્ઞામાં તત્પર રહે છે. કદી ભૂલે ચૂકે કાર પણુ વચનનું ઉલ્લંઘન કરતા નથી. તેમજ સર્વ રાજાઓ પણ તારી આજ્ઞાનું ઉલ્લંધન કરતા નથી. અલકાપુરી સમાન તારે ઇંદપ્રસ્થ નગર છે. નગરની સ્ત્રીઓ અપ્સરાઓને પણ તિરસ્કાર કરે તો એવા અદ્ભુત રૂપ વાળી છે. દિગ્ગજોને પણ પરાભવ કરે એવા તારા હાથીઓ છે, દેવોના છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy