SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જ ભાવ થઈ જવાથી તે મારા મૃત્યુનું મૂળ કારણ છે. તેઓની રિદ્ધિ સિદ્ધિની એટલી તો વૃદ્ધિ કરે થઈ છે કે, તેને જોતાં જ મનુષ્ય ચકિત બની જાય. જેઓના ગ્રહેવિષે દીપકોની પદે મણિઓ પ્રકાશ કરી રહી છે, જેની રાજસભાની રચના અને શોભાની આગળ ઇંદની સભા પણ લજાને પામી જય. દશેકરી જેના ભંડાર પરિપૂર્ણ થએલા છે; એક પ્રકારની સંપત્તિ આવી મળી તો ૭) બીજી ઈચ્છા જ કરતી રહે છે કે, હું ક્યારે પાંડુપુત્રોને મળું. અને ત્રીજી મળવાને આતુર થઈ છે રહેલી હોય છે એમ અનેક તરેહની સંપતિની પ્રાપ્તિને લીધે જેમના પુન્યની કાંઈ શીમાજ દીઠમાં છે. આવતી નથી. જેમ સર્વ રસાયણને આકર્ષણ કરીને સર્વે તેની જાળવૃષ્ટિથી આખા જાતને ) પ્રસન્ન કરે છે, તેમ પૃથ્વી પરની સર્વ સંપત્તિને એકઠી કરીને યુધિષ્ઠિર પોતાની સર્વ પ્રજાને પ્રસન્ન વE કરી રહ્યો છે. કુબેર ભંડારીના દ્રવ્યની તે કદાચિત સંખ્યા થઈ શકે, પણ પાંડ પુત્રોને પ્રાપ્ત કરે થએલા દિવ્યની સંખ્યા કરે એવો કોઈ દીધ્યમાં આવતો નથી. અધિક શું કહ, કુબેર ભંડારીની લક્ષ્મી તેમજ ઈદની લક્ષ્મી વગેરનો ગર્વ ભંજન કરવાને અર્થેજ પાંડવોના મનને રંજન કરનારી, મારા મનને ભંજન કરનારી જાણે અદિતીય લક્ષ્મી ઉત્પન્ન થઈ હોયની! જેઓના મસ્તકની ઉપર સુવર્ણના મુકુટ શોભી રહ્યા છે જેઓએ કદનવિષે રત્નોની માળાઓ પહેરેલી છે અને જે જે બીજાં પણ ઉત્તમ માણિક તથા મુકતાફળ વગેરેના બનાવેલા આભૂષણો ધારણ કરેલાં છે; પૃથ્વી ) ઉપરના સર્વ રાજાઓ જેના સ્વાધીનમાં છે, જેમની આજ્ઞાને કોઈ લોપી શકે નહી; એ વિષે હું છે શું કહ! તમે બધું જોયલું જ છે. કે, જે સમયે ધ્વજને આરોપ થયો તે સમયે આવેલા રાજાઓ કિંકરની પડે જેની આજ્ઞામાં વતા હતા. ઈત્યાદિક કારણોને લીધે વર્તમાન સમયને વિષે યુધિષ્ઠિરને ચક્રવર્તિની ઉપમા દીધામાં કાંઈ દોષ નથી, કેમકે, એના જેવો હાલ કોઈ બીજો રાજ આખી પૃથ્વીપર નથી. જેમ સૂર્યના કિરણરૂપ સામાન્ય પ્રકાશ સર્વ સ્થળને વિષે પડે છે તેથી તે તાપને પામે છે પણ તેની સૂર્યને ખબર પણ હોતી નથી. એવો પ્રકાશનો સ્વભાવ હોય છે કે, તેથી લોકોને તાપ થાય; તેમ યુધિષ્ઠિરની સર્વની ઊપર સામાન્ય દષ્ટિ છતાં તે લોકો પર પડતાંજ તેના પ્રતાપરૂપ તાપને તે વશ થઈ જાય છે. ઈત્યાદિક બધો વૈભવ જોઈને અગ્નિની પદે મારું જ અંતઃકરણ તપ્ત થઈ રહેલું છે. હું પાંડવોને મારવાને અનેક યુકિતઓ કરૂંછું તો પણ તેઓની 5 રંચમાત્ર હાણ થતી નથી, માટે પુરૂષાર્થ બળવાન નથી કિંતુ પુન્ય બળવાન છે એવું સ્પષ્ટ દીઠમાં GY આવે છે. મારા મનમાં એમને ક્યારે મારું અથવા ક્યારે કાર્યું એવું હમેશા થયાં કરે છે પણ છે કાઈ ઈલાજ ચાલતું નથી. હવે એઓની લક્ષ્મીની વૃદ્ધિ મારાથી જેવાઈ શકાતી નથી. તેથી 6 પ્રાણત્યાગ વિના બીજો કોઈ ઉપાય સૂક્તો નથી. એ સર્વ વૃત્તાંત મારા પિતાને તમે કહી દો શંભળાવશે એમ કહી દુર્યોધન છાને રહ્યો. Ce Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy