SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ છે એમ કરતાં કોઈ એક દિવસે સર્વ બંધુઓ સહિત દુર્યોધને દિવ્ય સભામાં પ્રવેશ કરો. ત્યાં નીળમણિએ કરી પૃથ્વીની રચના એવી કરી હતી કે તેને સ્થળને કારણે જળની બ્રાંતી થઈ તેથી વસ્ત્ર ઊંચા કરીને ચાલવા લાગ્યો. તે જોઈને બધા લોકો હસવા લાગ્યા. એટલું જ નહી પણ આગળ ચાળતાં જળના હોજની રચના એવી કરી હતી કે ત્યાં તેને સ્થળને ભર્મ થઈ ગયો છે તેથી વસ્ત્રો મુકી દીધા તે બધાં ભજઈ ગયાં. તે જોઈને ભીમને ખડ ખડાટ હસવું આવ્યું. આ પછી યુધિષ્ઠિરે દુર્યોધનનાં વો ભી જઈ ગયાં એમ જાણીને તેને બીજું વસ્ત્ર પહેરવા આપ્યાં. તે લઈને પહેરવાં તે ખરાં પણ ભીમના હાસ્યથી તેને એવો તે ક્રોધ ચડયો કે, તેને તેજ સમયે ખરાબ પરિણામ થયા વિના રહે નહી તેમ છતાં મનમાં દબાવી રાખ્યો. વળી આગળ ચાલતાં એક ઠેકાણે એવી રીતે પૃથ્વીની રચના કર્યામાં આવી હતી કે, ત્યાં ખાડા ખાંચા છતાં સપાટ દીઠામાં આવ્યાથી નિર્ભય ગમન કરતાં એક ઠેકાણે દુર્યોધન પડી ગયો, તે જોઈને અર્જુન નને પણ ભીમની પડે અતિશય હસવું આવ્યું તે વલી અધુરામાં પુરું થયું. એટલેથી ન અટપાતાં આગળ ચાલતાં એક ઠેકાણે એવું ચાતુર્ય કશ્યામાં આવ્યું હતું કે સરખી ભીત છતાં દરવાજું દીઠામાં આવ્યું તેમાંથી નીકળવા જતાં દુર્યોધનનું માથું અથડાયું અને એક ઠેકાણે એવી બનાવટ કરી હતી કે બહાર નીકળવાનું બારણું છતાં સપાટ ભીત દીઠામાં આવે એમ જાણીને દુર્યોધન પાછો હ ને મુંઝાઈ ગયું કે, હવે તે હું કેમ કરું તે જોઈને નકુળ તથા સહદેવે અધિક છો ઉપહાસ કરે તેથી તેને કેટલો ક્રોધ ચડ હશે વારૂ? આ આવકાને ઉત્તર વાંચકોએ પોતેજ E સમઝી લે. એવી રીતે દુર્યોધન અતિ ક્રોધાયમાન થઈ ગયે એમ જાણીને તેનું મન શાંત ૭ કરવાને સારૂ યુધિષ્ઠિર રાજાએ અતિ આદર સત્કાર કર્યો. એમ કેટલાક દિવસો વીત્યા પછી ) હળી મળીને તેને ઇંદપ્રસ્થ તરફ વિદાય કરો. ત્યારે હસ્તિનાપુરને મૂકીને મહા અભિમાની છતાં હાસ્યાસ્પદ થએલે દુર્યોધન પોતાના ઈ શકુની મામા સહિત પાછો ઇંદ્રપ્રસ્થની પાસે આવ્યું. જેનું મન શૂન્ય થઈ ગયું છે, મોટા નિશ્વાશા લીધા કરે છે, એવા દુર્યોધનને આવ્યો જાણી કોઈ ખબર અંતર પૂછવા આવે તેને પાછો બાબત 5 દિએ નહી; કોઈની સાથે કાંઈ બરાબર બોલે નહી. એવાં મિષ્ટનાં જેવાં ચિન્હો જોઈને તેનો ત મા સબળ તેને કહેવા લાગ્યો. આ સબળ-હે વત્સ, પ્રાત:કાળમાં જેમ ચંદ નિસ્તેજ દેખાય છે, તેમ તારું મુખ તે જરહિત | કમ દીઠમાં આવે છે! | દુર્યોધન–હે માતુલ, હવે મારું જીવવું કઠિન છે કેમકે, જેના શત્રુઓની ચડતી હોય તેને હળ) જીવવું તે મરવા જેવું છે. પાંડવો મારા બંધુઓ છતાં દૈવયોગે મારા મનમાં તેઓનેવિષે શત્ર છે છ૯ ઉરિક્ષ980 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy