SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આ દિવસે સર્વ રાજા લોકો જિન સ્થાપના મહોત્સવ જેવા જવાને ઉત્સુક થઈ રહ્યા. શુભ મુહર્ત છે સમયે સામંતોએ આણેલા તીર્થજળવડે ચેત્યની સ્થાપના કરવાનો પ્રારંભ થયો. તે વખતે જ કેટલાએક રાજાઓ આવીને પૂર્વ દિશા તરફ ઉભા રહ્યા; કેટલાએક હાથમાં ઉધાડી તળવાશે લઈને પશ્ચિમ દિશા તરફ ઉભા રહ્યા તે જણે વિરૂપ શત્રુઓને નાશ કરવાને તૈયાર થઈ હS હણ) રહ્યા હોયની! એવી રીતે વિવિધ પ્રકારે સર્વ દિશા તરફ જુદા જુદા રૂપે રાજાઓ હે આવી ઉભા રહ્યા. કોઈ તે હાથમાં વિટિકાઓ લઈને વેદીની રક્ષા કરવાને ઉભા, કોઈ પરિ- 4) છે પૂર્ણ જળને કળા ભરીને લાવવા લાગ્યા, એમ સર્વ રાજલોકો દેવ કાર્યને અર્થે અહી ) છે. તહી દોડી રહ્યા હતા. સ્નાનના જળમાં નાના પ્રકારની ઔષધિઓ નાખી; કોઈ ઊંચા જ સ્વર વડે સ્નાન મંત્ર બોલવા લાગ્યા; કેટલાએક રાજઓ ચોસઠ વજદંડ તથા જિન. પ્રતિમાને સ્નાન કરાવવા લાગ્યા; એ સ્નાન ક્રિયા અઢાર વખત કરી; ઉપરાંત કપૂર, ધૂપ, તથા અગર વગેરેનો ધૂપ શાળગાવ્યો. કેટલાએક શીતળ ચંદનનો લેપ કરવા લાગ્યા; કેટલા એક રાજાએ પુષ્પની માળા પહેરાવવા લાગ્યા; સિવાય અન્ય દેવોને પણ સ્નાન ' કરાવ્યું. દલાએક રાજાઓ મહા ઉત્સાહ સહિત અહી તહી વિચારવા લાગ્યા; કેટલાએક ) રાજાએ દેવતાઓ ઉપર ચમર ઉરાડવા લાગ્યા; કેટલાએક રાજાઓ દર્પણ હાથમાં લઈને દેખાડવા લાગ્યા; કોઈ દહીનું પાત્ર લઈ ઉભો છે, કોઈએ વૃતનું પાત્ર લઈ લીધું છે; કોઈ રાજા વાજિંત્ર વગાડી રહ્યા છે, એવી રીતે સર્વ રાજાઓ શુભ કત્યમાં લાગી ગયા; બધી સામગ્રી તૈયાર થયા પછી શુભ લગ્ન, શુભ મુહૂર્ત તથા અનુકૂલ ગ્રહોના સમયે શ્રીબુદ્ધિ સાગરાચાર્ય પાશે યુધિષ્ઠિર રાજાએ શ્રીરાંતિ દેવના ઘરમાં વા રોપાવી; તે અતિ ભાયમાન દીસવા લાગી; એવી રીતે જિન પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ રહ્યા પછી મહા સંપત્તિ યુકત યુધિષ્ઠિર રાજાએ દશ દિવસ સુધી અતિ અદભુત ઉત્સાહ કરે. પછી ધર્મરાજાએ સર્વ વિધિ સંપૂર્ણ કરીને સર્વ રાજાઓને તેઓની યોગ્યતા પ્રમાણે હાથી, ઘોડા તથા રથ વગેરે આપી તથા સારો આદર સ- ત્કાર કરીને વિદાય કચા. તેઓની સાથે સમુદ્રવિજ્ય સહિત આવેલા કચ્છને પણ યથા માન | આપી વિદાય કીધો ત્યાર પછી પોતાના બંધુ દુર્યોધનને પ્રેમ સહિત યુધિષ્ઠિર રાજા કહેવા લાગ્યો. યુધિષ્ઠિર રાજા—હે બંધુ, તમે થોડા દિવસ અંહી રહો; કે, જેથી પરસ્પર આને SB દની ઉત્પત્તિ થાય. - એવું ધર્મરાજાનું બોલવું શભળી, જો કે તેના મનમાં પાંડવ વિષે ઈર્ષા હતી તે પણ તે ગત રાખીને શકુની સહિત ત્યાં રહ્યો. અને સુમન પાંડવોની સાથે દુશ્મન દુર્યોધન પુરની નજીક વાપી, હ. પ, તળાવ, સરોવર, બાગ, બગીચા, વિષ, તથા શૈલ વગેરે રમણીય સ્થળોમાં ક્રીઝ કરવાં લાગ્યો. . ( 6) CC Sછે ક૬ભર્જરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy