SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઓના ખુરોથી ઉડતી રેણુ વડે આકાશ એવો તો છવાઈ ગયો કે, જાણે મેષની ઘટાનું નકળ કરતી હોયની! શત્રુઓની સ્ત્રીઓના નેત્રોમાંથી એટલાં તો આંસુ નીકળ્યાં કે તેઓની નદી બનીને તે માઁદા મૂકીને વહેવા લાગી. ત્યારે તેમાં પાંડવોનાં મહિમા રૂપી નાવ ચાલવા લાગ્યાં. શત્રુઆની સ્ત્રીઓનાં મુખથી નીકળતા નિશ્વાસો તો જાણે અગ્નિમાં નીકળતા ધૂમાડાના ધોટાજ હોયની! પૃથ્વીપરના સર્વે રાજાઓનાં હૃદય અતિ કંપાયમાન થવા લાગ્યાં. અનુક્રમે પાંડવોએ દશે દિશાઓમાં ભ્રમણ કરીને પોતના યશનો પ્રસાર કરી દીધો. તેમાં ભીમે પૂર્વ દિશામાં જઈ કામરૂ દેશ જીતી લઈ ત્યાંની રાજશ્રી છીનવી લીધી,શિવાય અંગ દેશ, વંગ દેશ, કલિંગ દેશ, તથા ડામર દેશ ઈત્યાદિ સર્વે સ્થળોમાં દિગ્વિજ્ય કરીને પોતાનો જય કરચો; અને જ્યાં ત્યાં યશસ્તંભ રોપી દ્વીધા. ત્યાર પછી ગંગા સાગર સંગમમાં આવીને ત્યાં પોતાનો યશસ્તંભ રોપ્યો. એમ એક પછી એક સર્વે રાજધાનીઓને જીતીને ભીમસેન પાછો ફરો. દક્ષિણ દિશાને વિષે અર્જુને જઇને દ્વાવિડ દેશ, મહારાષ્ટ્ર દેશ, કર્ણાટક દેશ, લાટ દેશ, ભાટ દેશ, અને તૈલંગ શિવાય સર્વ દેશોપર જીત મેળવીને ત્યાંના રાજાઓને વશ કરી લીધા; અને આગળ ચાલ્યો એટલે કેરલ દેશ આવ્યો ત્યાના રાજાને પોતાનાં બાણોથી છેદન કરીને અર્જુન દક્ષિણ સમુદ્ર કિનારા સુધી જઈ પહોતો. ત્યાં આગળ તામ્રપર્ણા નદીને કિનારે પોતાનો યાસ્તંભ રોપ્યો. ખાકી કોઈ દેશ જીતવાનો રહ્યો નહી ત્યારે સૈન્ય સહિત પાછો ફરો. પશ્ચિમ દિશા તરફ ગયેલો નકુળ, સૌરાષ્ટ્ર દેશમા જઈ સંપૂર્ણ રાજ્યોને જીતતો હતો. ત્યાર પછી તે સરસ્વતિ નજીક પ્રભાસ ક્ષેત્રમાં આવ્યો. ત્યાં સ્નાન કરી શ્રી ચંદ્રપ્રભ જિનવરની આઠ પ્રકારની અને સત્તર પ્રકારની પૂજા કરી, અને ત્યાં સંપૂર્ણ યશનો સ્તંભ રોપ્યો. એવી રીતે પશ્ચિમ દિશામાંના સર્વે રાજાઓનો પરાજય કરીને નકુળ પાછો ફચો. હવે ઉત્તર દિશામાં ગએલો સહદેવ, જેનું દેવેંદ્ર તુલ્ય પરાક્રમ છે, તે કાંબોજ તથા નેપાળ પ્રમુખ મોટા દેશોને જીતતો જીતતો હિમાલય પર્વતની પાશે જઈ પહોતો. ત્યાંના રાજાઓને જીતી લઈને પોતાનો યશસ્તંભ રોપ્યો. ત્યાં કેટલાએક અધર્મી રાજાઓનું ઉત્થાપન કરીને ધર્મી રાજાઓનું સ્થાપન કરશું. કેટલાએક નૃપોને કેદ કરી પોતાની સાથે લઈ લીધા. ત્યાંથી નાના પ્રકારનું દ્રવ્ય જેવું કે, સુવર્ણ, રત્ન, માણિકચ તથા હીરા પ્રમુખ મેળવીને સહદેવ પાછો ફરો. અનુક્રમે ચારે ભાઈઓ ઇચ્છિત કાર્ય પૂર્ણ કરીને હસ્તિનાપુરની પાશે આવી પહોતા. તેની યુધિષ્ઠિર રાજાને ખખ્ખર થતાંજ તે મહા આનંદને પામ્યો; અને બધાને ખોળાવી હળી મળી કુશળ વૃત્તાંત પૂછીને તેઓને છાબાશી આપી, પછી પાંચે ભાઈઓ પૃથ્વીની ઊપર સુમેરૂ પર્વતની પદે શોભાયમાન ઢીશવા લાગ્યા. ચારે ભાઇઓ યુધિષ્ઠિરની આજ્ઞા ચ માત્ર લોપે @ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy