SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ એક ટક્કર હો પ્રભાવતી–હે પાપી, આટલી બધી ચતુરાઈ તું શા સારૂ કરે છે? તું નિશ્ચય જાણજે છે Sછે કે તારે મોત ટુકડો આવ્યો છે. હાથે કરી મૃત્યુ શા સારૂ માંગી લિએ છે. મારા સ્વ- પર છે મીની પાશે તું કાંઈ ગણતીમાં પણ નથી. તેમ બીજા વિદ્યાધરો પણ તેની પાસે તુચ્છ છે. જેની સાથે ઇંદ પણ યુદ્ધમાં કાયર થઈ જાય. હે મેઘનાદ, મારા પ્રાણેશના ખડગરૂપ દીપ) કમાં તારા જેવા કેટલાક પતંગીઆ બળી ભસ્મ થએલા છે, તેવી તારી પણ વળે થવાની ૯ છે એવું મને ભાસે છે. હે રાજા, એવા કણ શબ્દોએ કરી પ્રભાવતી વારંવાર મેઘનાદને તિરસ્કાર કરતી હતી એ- (D ટલામાં વિમાન ઉપર બેઠેલો અર્જુને ત્યાં જઈ પહોતો; અને તે વિદ્યાધર પ્રત્યે બોલવા લાગ્યો. અન–હે વિદ્યાધરાધમ, આ પ્રભાવતી હેમાંગદ રાજની પત્ની, મણિચૂર વિદ્યાધરની બેન તથા ધનંજયની ધર્મભગિની મહાસતી છે. એને પતિ વિના અન્ય પુરૂષ કોઈ હાથ લગાડી શકેજ નહી. તેમ છતાં તું હરણ કરી લાવ્યો છે. તેનો બદલો તને મળશે. પણ ખબરદાર કે એને હાથ લગાડ તે. એને બલાત્કારે જે સ્પર્શ કરીશ તે તું વિદ્યાધર છતાં સર્વ વિદ્યાથી છુટ (' રહિત થઈ જઈશ. કેમકે, એની ઉપર તારી કાંઈ પણ સત્તા નથી. એ પરસ્ત્રી છે. તેને વિષે વ) ઈચ્છા કરવી તે અઘટિત છે પણ યોગ્ય નથી. તેમ છતાં જે અપકૃત્ય કરીશ તો બળી ભસ્મ એ થઈ. એનાથી દૂર રહેવામાં સારું છે. - એવી રીતે નાના પ્રકારના ભયસહિત અર્જુન તે વિદ્યાધરને સમઝાવવા લાગ્યું તે જોઈને આ કોઈ મણિચરને મિત્ર છે એમ જાણીને પ્રભાવતી મનમાં ઘણું પ્રસન્ન થઈ; અને અર્જુન પ્રત્યે બોલી, પ્રભાવતી–હે સજજન, તમે ધન્ય છે અને હું પણ ધન્ય છું કે મારું રક્ષણ કરવા સારૂ મારે ધર્મનો ભાઇ ધનંજ્ય મારી પુઠ ખોળ કરતો આ સંકટમાંથી મુક્ત કરવાને તરત આવી પહોતો. (એમ કહી કુળદેવીઓને કહેવા લાગી) હે કુળદેવીઓ ને પ્રભાવતીને અખંડ શીળ હોય તે તમે જેટલીઓ કુળદેવીઓ છે તે બધી અર્જુનના શરીરમાં પ્રવેશ કરો. જેથી એ મારા ધર્મભ્રાતાની છત થાય. એવાં પ્રભાવતીનાં વચન સાંભળી અને મહા સતી જાણીને ( અતિ પ્રસન્ન થઈને તે વિદ્યાધરને અર્જુન કહેવા લાગ્યો. અન–હે મેઘનાદ, હે વિદ્યાધરાધમ, હવે જલદી કમર બાંધ. હાથમાં હથીહાર . GS આ મારો ખડગ જે, એ તારા સરખા મહા પાપી અને પરણીની ઈચ્છા કરવા વાળા પુરૂષને પર મારવા સારૂ ઉતાવો થઈ રહ્યો છે. તું યાદ રાખજે કે, હવે તું જીવતો રહેવાને નથી. એવાં તિરસ્કારનાં વચને કહીને અતિ ક્રોધમાં આવીને વિજળીની પદે તે તળવારને ફેરવવા લાગ્યો ત્યારે તે વિદ્યાધર પણ કોપાયમાન થયો થકો અર્જુનને તિરસ્કારનાં વાકયો બોલવા લાગ્યો. હું 63, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy