SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ હાઈ જ કરવો તે તને યોગ્ય નથી. આ રાજાની ઉપરજ આટલો બધો કોપ કરવાનું કારણ શું છે? જે કોઈ મતલબથી તું હેમાંગ રાજની ઉપર ક્રોધાયમાન થઈ હો તો પણ પ્રથમ એના જ પ્રાણોનો ઘાત કરવો ઉચિત છે. કદાચિત પ્રાણેશ્વરી છતાં રાજાના પ્રાણ લેવાને તું અસમર્થ હો તો હવે આ પ્રાણ હરવાને શું હરકત છે. (એવા બધાના વિલાપ સાંભળીને રાણીની સામે જોઇને તો રજા બોલવા લાગ્યો.) રાહે પ્રાણવલ્લભા, આ સર્વ મારા જ તારે માટે દીન થઈને વિધાતાને ધિક્કારે છે તેમની પણ તને દયા કેમ આવતી નથી. તારા મધુર સ્વરવડે એકવાર મારી સાથે ભાષણ કર. ) મારાથી કોઈ અપરાધ થયો હશે તેથી તું રીસાઈ તો નથી. જો એમ હોયતો આગળ મારાથી ઘણુ અપરાધ થઈ ગયા છતાં કદી તે રીશ કીધી ન હોતી, તેવો હમણું કોઈપણ અપરાધ થયો છે. નહી છતાં આટલો બધો ક્રોધ તને કેમ આવ્યો છે. ને મારી સાથે બિલકુલ બોલતી નથી. હે - સુંદરી, મારી સામે એકવાર તો કટાક્ષ દૃષ્ટિએ કરી છે. મારાથી કાંઈ અપરાધ થયો હોય 9) તને ક્ષમા કરવી જોઈએ છે. અરે! આ તારા પ્રાણને હરણ કરનારું દૈવ પણ પશે નિર્દય છે. હો કે તારા પ્રાણને ઘાત કરી મારા પ્રાણુને નાશ કરતો નથી તેથી વ્યર્થ ટળવળીને માત્ર દુખની પ્રાપ્તિ થાય છે. ચંદના પ્રકારના સમયે જે ચાંદની ન હોય તે શા કામનો છે, તેમ આ મારી છે પ્યાર વિના મારું જીવવું પણ કોઈ કામનું નથી. એવાં કરૂણાનાં વચનો કહીને રાજા પણ પ્રાણ ત્યાગ કરવાને તૈયાર થયો એમ જેઈને સર્વ સ્વજને તેના પગ પાસે માથું મુકી કહેવા લાગ્યા) - અન –હે મહારાજ, ક્ષમા કરે, દયા કરે, આપને એમ કરવું યોગ્ય નથી. પદાર્થોને એવોજ સ્વભાવ છે, જેનો સંયોગ છે તેને અવશ્ય વિયોગ થાય છે. ને એવી રીતે ઘણું બૈર્ય દેવા લાગ્યા પણ પ્રિયાના વિયોગથી થતા દુઃખના પ્રાબલ્યથી કોઈનું કહ્યું ન માનતાં મરવાને તૈયાર થશે. તે જોઈને અનુચશે પણ ચિતાઓ ખડકાવીને બળી મરઈ9) વા તત્પર થયા, હેમાંગદ રાજાએ જ્યારે ચિતા શાળગાવી પ્રિયાને ગોદમાં લઈ બળવાની તૈયારી 9 કરી ત્યારે અનુચરોએ પણ ચિતા સળગાવીને બળવાની તૈયારી કરી. તે સમયે જ્યાં ત્યાં હાહા- . ( કાર થઈ રહ્યો. એટલામાં આકાશ માર્ગે પ્રભાવતી સહિત અર્જુન આવ્યો. અને જુવે છે તે ) આકાશને વિષે ધૂમાડના ધોત નીકળી રહ્યા છે અને હજારો ચિતાઓ ધખી રહી છે. તેઓની SG આસપાસ સર્વજને આક્રંદ કરી રહ્યા છે. તેઓને અર્જુન પૂછવા લાગે. અન–હે લોકો, આ ચિતાઓ કેવી! અને તેમાં તમે પ્રવેશ કરવા આતુર જણાઓ છો એ શું! રાજા પણ ચિતા નજીક પડવાની તૈયારીમાં છે. એનું કારણ શું! તે મને કહી સંભળાવે. 9) લોકો–હે ધનુર્ધર, અહી પુષ વીણતાં પ્રભાવતી દેવીને એક ઝેરી સર્પ કરડી તેથી તે મરી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy