SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પણ અધિક છે. તે રાણીને કોઇ પાછળી રાત્રે હરણ કરી જતાં તેણે હું આર્યપુત્ર, હે આયંપુત્ર, એવા કરૂણાસ્વરે શબ્દનો ઉચ્ચાર કરો તેથી તે રાજા જાગી ઉચ્ો. અને હાથમાં તળવાર લઇને તે ચોરની પાછળ ધાયો. દોડતા દોડતો ઉભો રહે ઉભો રહે એવા પુકાર કરવા લાગ્યો. તેની પાછળ ઘણું દૂર સુધી લાગ્યો પણ તે ચોર હાથમાં આવ્યો નહી. તેથી જેમ શિકાર હાથમાંથી જવાથી સિંહ નિરાશ થાયછે તેમ નિરાશ થઇને રાન્ન ઉભો રહ્યો. અને સર્વ સૈન્યને હુકમ કરો કે જ્યાં હોય ત્યાંથી તે ચોરને પકડી લાવવો. પણ કોઇને તે ચોર તથા રાણી કિયે રસ્તે ગયાં તે રસ્તાનો પતો પણ લાગ્યો નહી એટલે સર્વ મૂકની પડે હાથ ધસી રહ્યા. તેથી સ્ત્રીના સ્નેહને લીધે દુ:ખને પામેલા રાજાએ તેની શોધ કરતાં અહીં તહી દોડીને આખી રાત કહાડી તેમ બીજા જનોએ પણ શોધ કરવામાં કાંઈ બાકી રાખ્યું નહી, પણ જેમ સૂર્યોદય સમયે પર્વતની ગુફાઓમાં અંધકાર પ્રવેશ કરેછે તેમ સર્વના હૃદયમાં અંધકારે પ્રવેશ કરો. અર્થાત્ સૂર્ય ઉદય થયો તે જાણે પ્યારીના અપહારીને મારવાસારૂ ઉદ્યુક્ત થએલા રાજાને સહાયતા કરવાને તત્પર થયો હોયની! રાણીના કંપનાઢિક યોગથી શિથિલ થઈ ગએલા અંગને લીધે માથાની વેણી તથા બીજી ફૂલોની માળાઓ જમીન ઉપર પડી ગએલી સૂર્યના પ્રકાશથી દીઠામાં આવી તે પુષ્પ પંક્તિના આસરે આસરે રાજા આગળ ચાલ્યો. તે અહીં સુધી હતી માટે રાજા પણ અહી સુધી આવ્યો છે. આગળ પુષ્પ વેાયલા દીઠામાં આવતા નથી તેથી તે અતિ શોક કરતો ઉભો છે. તેના અનુચશે પણ હવે કઈ દિશાએ યે! રાણીનો શોધ કચાં લાગશે. એમ શોય કરી અહી તડી ઢોડ્યા ક્રેછે, એવું કેશર ખેચરનું બોલવું શાંભળીને પિકેતુ મનમાં વિચાર કરવા લાગ્યો કે, હેમાંગદની સહુૌચરણી પ્રભાવતી રાણી તે મણિચૂરની ખેન તો ન હોય! અને જો એજ મણિચૂરની એન હોય તો મારી પણ એનજ થાય. જો કોઈ બીજી હોય તો પણ દયાને માટે તે પણ મારે ધર્મની મેન માનવી જોયેછે. અને તે બિચારીને દુ:ખરૂપ સમુદ્રમાંથી જરૂર પાર કરવી જોયેછે. પછી ખેચરને કહેવા લાગ્યો. અર્જુન—હે કશર, તું જા, ને રાજાને કહ્યું કે, કોઈ પ્રકારે ખેદ કરશો માં, હું તમારી સ્ત્રીને આણી આપીશ. હું તમારા શત્રુને નિશ્ચય કરી મારીશ એમાં સંશય જાણવો નહી. મૂર્યનો ઉદ્ભય થયા પછી મચારા અંધારાનું શું ચાલવાનું હતું. હવે હે રાજન તમે થોડીવાર અહી સ્થિત થાઓ, કાંઈ ઉદ્યોગ કરો નહી એટલી વારમાં હુ તમારી પ્રીય પત્નિને લાવી આપુંછું. એવું તે ખેચરની સાથે અર્જુને તે રાજાને કહાળ્યું; ખેંચર તે પ્યારીના વિરહે કરી દગ્ધ થએલા રાજાને સર્વ વૃત્તાંત કહી અર્જુનની પાશે આવ્યો. પછી જે તરફ પ્રભાવતી ગઈ હતી કોઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy