SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેથી તે મહા આનંદને પામ્યો; અને અર્જુનનો મોટો ઉપકાર માનવા લાગ્યો. ત્યાં કેટલાએક છે દિવસ સુધી અર્જુન રહ્યો. ને પછી વિચાર કરો કે, હવે તીર્થાટન કરવું જોયે. પછી મણિછે. સૂરને પૂછવા લાગ્યો. - અન–હે મહારાજ, હવે મારે તીર્થાટન કરવાની ઈચ્છા છે માટે તમારી આજ્ઞા માગુ છું. હો એવું ધનંજ્યનું બોલવું સાંભળી મણિચરે તેને પ્રેમપૂર્વક આજ્ઞા આપી. અર્જુન માને છે - નમાં બેશીને અપદ પર્વતની ઉપર ગયો. ત્યાં સ્વજનો સહિત તારું કરી પછી વાવ્યમાં ' જઈ સ્નાન કર્યો અને ત્યાંથી વિદ્યાધ યુક્ત અર્જુન, ભગવાન શ્રી આદિનાથ તીર્થકરના મં- ) છેદિરમાં દર્શન કરવા ગયો. ત્યાં પ્રથમ પ્રદક્ષિણા કરી અને પછી પૂજાની સામગ્રી લઈ મુખ જ હું કોરા કરી આઠ પ્રકારની પૂજા કરીને સ્તુતિ કરવા માંડી કે હે દેવ, દુઃખરૂપી અગ્રીમાં દધુ છે? જ થએલા જગતને અમૃતના જેવા જળથી શાંત કરનારે જે તું, તેને હું વારંવાર નમસ્કાર કરું છું. તારું દર્શન કરીને મારાં નેત્રો આનંદને પામ્યા છે. તારું દર્શન પણ મહા ભાગ્યના ઉદયથી થાય છે. માટે હું એમ સમજું છું કે, મારા પૂર્વના શ્રેટ ભાગ્યોદયથીજ આજે તારું દર્શન થયું છે. આ જેને તારું દર્શન થાય છે તે પુરૂષને તાર્થ કહે. ઇત્યાદિક સ્તુતિ કરીને પછી દંડવત પ્રણામ કરવા લાગ્યો. અને બાકીના વેવીશ તીર્થકોને નમસ્કાર પ્રમુખ કર્યું. ત્યાર પછી જિનમં દિરની ફરી ફરીને સર્વ રચના જોઈ લીધી. ત્યાં એક ધર્મમૂર્તિ જેવા મુનિને એકાંત સ્થળે સ્થિર ળ જ થઈ બેઠેલા જોયા. તેને નમસ્કાર કરી અર્જુન તેની પાસે બેઠો. તે સમયે સંસારરૂપ સમુદમાં 5 નાવરૂપ ધર્મદેશના તે મુનિ દેવા લાગ્યા. તેને અર્જુન એકાગ્ર ચિત્ત શાંભલવા લાગ્યો. તે આ પ્રમાણે –જેથકી આત્માનો કલ્યાણ થાય એજ ધર્મ; જે ધર્મને જાણે તેનેજ કોવિદ કહે જેણે પૂર્વ જન્મમાં ધર્મ કા હોય તેજ આ જન્મમાં ધર્મ કરે છે. તારૂં શ્રદ્ધાન અને ધર્મપ્રીતિ ઘણી હોવાથી અનુક્રમે તને મોક્ષશ્રી પ્રાપ્તિ થશે. એવાં તે મુનિનાં વચન સાંભળી અને અંતરમાં જ Uઈ ઘણો પ્રસન્ન થયો અને તેના ચરણાવિંદને નમસ્કાર કરી વૈમાનમાં બેસીને આગળ ચાલ્યો. રસ્તામાં હવે તીર્થકરોનાં દેવાલયોમાં સંપૂર્ણ પાપનાશ કરનાર જિનદેવને નમસ્કાર કરતો ફરતો ફરતોબાર વર્ષની- થટન કરી પોતાના કુટુંબન ઘણા કાળનો વિયોગ દૂર કરવાને હસ્તિના પુર તરફ જવાને આકાશમાર્ગે F છે વેમાનમાં બેસી ચાલ્યો માર્ગમાં વિમાનથી નીચે ઉતર. ત્યાં કોઈને આક્રંદ કરતાં સાંભળ્યું ! ત્યારે તેને શોધ કરવાને એક કેશર નામના બેચરને ત્યાંકને મોકલ્યો. તે ત્યાં જઈ સર્વ ખબર છે કહાડી પાછો આવીને અર્જુનને કહેવા લાગ્યો. - કેશર-હે પારથ, અહી એક ઈંદપુર સમાન એક હિરણ્યપુર નામનું નગર છે. તેમાં ડો. SS) હેમાંગ નામે રાજા છે. તેની પ્રભાવતી નામની એક પટરાણું છે. તેનું રૂપ ચંદ્રમાની પ્રભાવી જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy