SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કરેછે તેમ એકાગ્ર ચિત્તે નિશ્ચય કરી પદ્માસન વાળી નાશાગ્ર દૃષ્ટિ સખી નિમેષોન્મેષ રહિત થઈ વિદ્યામંત્રની ઉપાસના કરવા લાગ્યો. તેનું વ્રત ભંગ કરવાને કૃવ્યાદ નામનો દેવતા આવ્યો. તેણે કોઈ મુડદાને લઈ તેના કટકે કટકા કરી અર્જુનની પાશે ફેંકવા માંડ્યા. જેઓના ગળામાં નરસુંડમાલા પહેરેલી હોયછે એવા રાક્ષસો પણ આવીને અર્જુનને ભયભીત કરવા લાગ્યા. કેટલાએક દેવતાઓ ક્રોધના આવેશે મોટા હસ્તિઓનાં રૂપ લઈ આવીને તીક્ષણ તંતુરાળો વડે અર્જુનના આંગ ઉપર પ્રહાર કરવા લાગ્યા. કેટલાએક સિંહનાં રૂપ લઈ મેધની ગર્જના જેવી કારમી ચીશો પાડી બીવરાવવા લાગ્યા. કોઈ સર્પ ગ્રૂપ ધારણ કરી ફણો ચડાવી અજ્જૈનની આસપાસ સર્વ અંગને વીટી જવા લાગ્યા. કોઈ કુંતિનું રૂપ ધારણ કરી કાસ્વરે રોદન કરતો કહેવા લાગ્યો કે હે અર્જુન મારી રક્ષા કર; રક્ષા કર. કોઇ દ્રૌપદીને કેશથી પકડી રોતી આણી અર્જુનને દેખાડવા લાગ્યો. એવા એવા ભયંકર કૌતુકોથી અર્જુન જરા પણ ડગ્યો નહી. એવી રીતે અગિ સ્થિત થઈ • તપ કરતાં છ માસ વીતી ગયા. એટલી મુદ્દતમાં મણિચૂર વિદ્યારે અર્જુનને આઠ વિદ્યાઓ સાધ્ય કરાવી. તે વિદ્યાઓની આઠ અધિષ્ઠાતા દેવીઓ અર્જુનની પાશે આવી ખોલવા લાગી. દેવીઓ—હૈ ધનંજ્યું, તું અમને શું કામ કરવાની આજ્ઞા કરેછે? અમે સર્વે તને પ્રસન્ન થઈ છેએ. અર્જુન—હે અધિષ્ઠાતાઓ, જ્યારે હું તમારૂં સ્મરણ કરૂં ત્યારે તમારે મારી પાશે અકસ્માત આવવું; અને મારા વિદ્યાગુરૂ મણિચૂર પાશે રહેવું. એનું જે કામ હોય તે કરવું, દેવીઓ—હે અર્જુન, જે કોઈ અમારી આરાધના કરેછે તેને વશ થઈ અમે રહિયે છેએ. ત્યાર પછી જેમ અર્જુને સર્વ વિદ્યાઓ સાધ્ય કરી લીધી. તેમ મણિચૂરૂં પણ પોતાના બાબઢાઢાની વિદ્યાઓ થોડા દિવસમાં સાધી લીધી. એમ મણિચૂર અને ધનંજયને સમગ્ર વિઘાઓ સાધ્ય થયાથી જેમ આકાશનેવિષે ચંદ્ર અને સૂર્ય પ્રકાશિત થઈ રહેછે તેમ પ્રકાશવાન દીસવા લાગ્યા. એવા સમયે જેમ આકાશમાં વિજળીનો ચમકાટ થાયછે તેવા ચળકાટ સહિત નેપુરનો ઝણઝણાટ થવા લાગ્યો, અને આકાશમાંથી બે વિમાનો ઉતરાં. તેમાં બેઠેલા ગાંધર્વો, નીચે ઉત્તરીને ધનંજ્ય અને મણિચૂરને વ્યોમચારી વિદ્યાધરો જાણીને પ્રણામ કરવા લાગ્યા. પછી તેમને નિમૅળ સુગંધિયુક્ત જળવડે તે ગાંધર્વોએ સ્નાન કરાવ્યું. બન્નેના આંગ ઉપર સુંદર સુગંધિક ચંદ્રનલેપ કરીને વસ્ત્રાલંકારો પહેરાવ્યાં. કોઈ છત્ર ધારણ કરી ઉભા રહ્યા; કોઈ ચમર કરવા લાગ્યા. કોઈ તાળ મૃદંગ વગાડવા લાગ્યા. કોઈ ગીત ગાવા લાગ્યા. એમ અનેક પ્રકારનાં મંગળ કાર્ય થવા માંડડ્યાં. તે જોઇને મણિચૂર અને ધનંજય તો વિચારમાં પડ્યા કે આ તે શું! એટલામાં તો મણિચૂરની પ્રિયા ચંદાનના ત્યાં આવી પહોચી. તે પણ ખન્નેને De Jain Educationa International For Personal and Private Use Only ૧૨૯ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy