SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ 3 આપે અને સર્વને સમભાવે વર્તાવે વગેરે અતિ ઉત્તમ રીતે પાંચ પતિની સાથે ગૃહસ્થાશ્રમ છે, પર વ્યવહાર કરવા લાગી. કેટલોક કાળ વ્યતીત થયા પછી પાંચે પાંડવોથી એક એક પુત્ર એમ 2 પાંચાળીને પાંચ પુત્રો ઉત્પન્ન થયા. તેઓને પાંચ ધાઈઓએ ઉછેરવા માંડ્યું. તે પાંચે બાળકો એવા તજવી નીકળ્યા કે, સર્વ લોકને પ્રીય તથા લોકપાળ તુલ્ય એવા દીવા લાગ્યા. તેઓનાં કોડ નામ ભિન્ન ભિન્ન રાખવામાં આવ્યા. તો પણ સામાન્યપણે તેઓને લોકો પંચાળ નામે બોલા- ૯ વતા હતા. કોઈ એક સમયે સરદરતુનું આગમન થયું તે જાણે પાંડુ પુત્રોનું શવ્યા, અને પ- . છે દીનું સતીવ્રત જેવાને આવી હોયની! વષરતુરૂપ સર્ષના વિષે કરી કાળાશને પામેલા મેઘની ઉપર ) છે નિર્મળ ચંદનાં કિરણો પડવાથી તે અતિ સ્વચ્છ થઈ રહ્યા. મેધરૂપ પ્રતિબંધ ટળી ગયાથી અંધ- હસ કારરૂપ શગુનો નાશ થતાં ચંદ્ર અતિ શોભવા લાગ્યો. તેની આસપાસ બીજે નક્ષ ચળકતા હતાં તે જણે દિશારૂપ વધુઓએ નાખેલા અક્ષતોજ હોયની! ભાતના ખેતરોમાં ખાન ઝાડો નમી ગયા હતા તે જાણે વષરતુરૂપ પોતાના બાપના વિયોગના શેકને લીધે માથું નીચું કરીને SS) ચિંતા કરતા હોયની! સ્વચ્છ થએલા પાણીના તળાવમાં કમલ ખીલી રહ્યા છે તે, રાજઓના (1) હાથી તથા ઘોડાઓ પ્રમુખ નાના પ્રકારની સેનાના પગોથી ઉડેલી ધુળવડે મળીને થએલા આ છે જે કાશની ઉપર જાણે હસી કરતા હોયની! સારસ પક્ષી શબ્દ કરવા લાગ્યા તે સરરૂતુરૂપ પોતાની ) સખી ઘણા દિવસે આવી એમ જાણીને જાણે દિસાઓફૂપ તેની સખીઓજ તે શબ્દોના મિષે છે. છે તેને પ્રેમ કરી બોલાવતી હોયની! વર્ષારૂતમાં હિમાલય પર્વતમાં ગએલા હંસ પક્ષીઓ પાછા 8 આવીને ખીલેલા કમલ સહિત સવરની ઉપર આવી છે, તે ઉત્તમ પુરૂષ ગમે તેટલી મેટાઈ પામ્યો હોય તો પણ તે પોતાના સ્વામીને ભૂલી જતો નથી ને પાછા આવીને તેની ભેટ લિએ છે તેની જાણે નકળજ કરતા હોયની! વનભૂમિને વિષે ફૂલેલા ફૂલો સહિત સપ્તચ્છદ નામના ઝાડની ઉપરથી જ્યાં ત્યાં સુગંધી નીકળી રહી હતી તે જણે મદોન્મત્ત હાથીના ગંહસ્થળમાંથી નીકળતા ) મદના ઝરણાની સુગંધી વડે વનભૂમિ સુવાસિત થઈ રહી હોયની! એવી શરતુને વિષે પાંડ , કે રાજાના પુત્રો સર્વ ભોગ્ય પદાર્થોએ કરી સંપન્ન નાના પ્રકારની કળીઓ કરવા લાગ્યા. છે કોઇએક સમયને વિષે ગામની બહાર શીમમાં ગાઈઓ ચરતી હતી તેઓને કેટલાએક છે ચોર આવીને હરણ કરી ગયા. તે દક્ષિણદિશાને વિષે હાકી જતાં ગાઈઓએ ઘણી પુકાર કરવા વિર માંડી અને બીજા રક્ષકો પણ જ્યાં ત્યાં નગરમાં કોળાહળ કરી રહ્યા. એ વાત પાંડવોના કાને પડતજ અર્જુને પોતાના વિદ્યાગુરૂની પાસે જઈને પ્રતિજ્ઞા કરી કે, હું સર્વ પ્રજાના હિતને અર્થે સર્વ ગાઈઓને વાળી લાવીશ. એ કાર્ય કરતાં જે મારા પ્રાણ જાય તોપણ ફિકર નહીં; પણ કે મુદ્દાને નથી. એવું બોલી ચતુર ચૂડામણિ અર્જુને મહાક્રોધ કર્યો. તેના આવેશથી અ- ( રોહિથિી રહીFિરછીછGS Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy