SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જ કર કે, પ્રથમ હું જ્યારે એમની સાથે વિચરતી હતી ત્યારે પણ એ આર્યાઓ મને આતાપના જ લેવાની મનાઈ કરતી હતી ને હમણ પણ એ બધી આર્થીઓ માસે તિરસ્કાર કરે છે માટે એમનો સંધ ત્યાગ કરવો તે જ સારું છે. એવું ધારીને ત્યાંથી એકલીજ ચાલતી થઈ ને જે ઠેકાણે કાંઈ પણ વસતિ હતી નહી તે દેકાણે જઈ રહી. પછી ત્યાં સ્વચ્છંદવર્તિ થઈ થકી ચિરકાલ વ્રતને પાળવા લાગી. તે આઠ માસ સંલેષના વ્રત કરીને કોલ કરી ગઈ. એટલે તે ઇચ્છિત કાર્ય ન પામતા મરણને પામી; અને ધર્મ નામના દેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. છે ત્યાંથી ચવીને એ દ્રપદ રાજાને ઘેર આવી અવતરી. હવે તે પ્રાચીન નિદાનના યોગે કરી શકે એને પાંચ પતિની પ્રાપ્તિ થાય એમાં આશ્ચર્ય શું છે. એમ કહીને તે મુનિ આકાશ માર્ગે વિહાર SS કરી ગયા; કેમકે, મુનિ એક હેકાણે ઘણા દિવસ વસતિ કરી રહેતા નથી, પછી પાંડવોને વધુનો લાભ થયાથી જેમ સૂર્ય ઉદય થયાથી કમળનો વિકાશ થાય છે છે તેમ સ્વકીયજન અને રાજાઓને આનંદ ઉત્પન્ન થયો. પછી પાંડુ અને પાંચાલ રાજ એઓએ લક્ષ્મી સંભારે કરી શોભાયમાન વિવાહ કર્મ કરવાનો આરંભ કરો અને આનંદના ગે કરીને છે જેઓનાં નેત્ર વિકસિત થએલાં છે એવી કુળવૃદ્ધ સ્ત્રીઓએ દ્રૌપદીને ઘરમાં આણુને સ્નાન આ સનને વિષે બેસાડી. તે સ્ત્રીઓ જેવો પાંડુપુત્રોની સાથે દ્રોપદીનો અભ્યતર સ્નેહ હતો તે બાહાર કહાડીને જાણે બતાવતી હોયની! એવી ક્રિયા કરવા લાગી. અબીરાદિક સુગંધિ પદાર્થો દ્રૌપદીના આંગ ઉપર લગાડવાના મિષે શિશુપણાને ખંડન કરીને જ જાણે યૌવન આગમાંથી બહાર ? નીકળ્યું હોયની! પછી કુળ સ્ત્રીઓએ તેના શરીરને વિષે હર્ષ યુક્ત ચંદનના નવ તિલક કર્યો કે તે જાણે રતિના નિધાન જ હોયની. પોતાના ગોત્રની સ્ત્રીઓએ નવીન યૌવનની વસતિના હેતુથી જ જાણે તસત્રના મિષે કરીને તેના શરીરને વિષે સૂત્ર ધારણ કર્યા હોયની. તે સમયે જ સર્વ જનનાં કાને અમૃતની વૃદ્ધિ કરનારા કુળ સ્ત્રીઓના મંગળ ગીત શબ્દો થવા લાગ્યા. ત સર્વ કુળ સ્ત્રીઓ દ્રૌપદીના આંગની ઉપર વર્ણક અને ઉવર્ણક મોટા હર્ષ કરી નાખવા લાગી. (કર્પર, કસ્તુરી, કેશર વગેરે ઉત્તમ પદાર્થોએ કરી યુક્ત અચેત જળ વડે તેને સ્નાન કરાવ્યું. તે છે સમયે ઉત્તમ સુગંધિ વાળા કવ્યોના ઉદક વડે તરતનું અતિ સ્વચ્છ કરેલું દ્રૌપદીનું શરીર એવું શોભવા લાગ્યું કે, જે નવીને માણકની બનાવેલી પુતળીનું શરીર અતિ ચકચકિત થયો થકો શેભાને પામે છે. પછી તેને નાના પ્રકારના અલંકાણે પહેરાવ્યા તે માત્ર કુળનો આચાર સમઝવો; કેમકે, જે સ્વભાવે કરી રમણીય હોય છે તેને બાહ્ય દ્રવ્ય રૂપ અલંકારોથી શું શોભાની વૃદ્ધિ થવાની છે. તેને વિવાહને યોગ્ય દુકૂળ વસ્ત્ર પહેરાવ્યા તેઓ છેલની બાહેર આવેલાં તતણાના મિશે છો કરીને જ જાણે લાવણ્ય ફૂપ ઊદક ધારાઓની વૃષ્ટિ કરતાં હોયની એવાં શોભવા લાગ્યાં. સ્નાન છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy