SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ છે એક દિવસે સાગરના બાપ જિનદત્ત સુકમાલિકા જોઈને તેના અદભૂત રૂપથી મહા હર્ષને Sજ પામ્યો. અને મનમાં ચિંતવ્યું કે, આ કન્યા મારા પુત્રને યોગ્ય છે. પછી સંકેત કરીને તે કન્યાના ? બાપતથા બીજા તેના લાગતા વળગતા વડીલોની પાશે તેનું માથું કાઢ્યું. ત્યારે તે કન્યાના બાપે કહ્યું સાગરદત્ત—એ કન્યા મને ઘણું પ્યારી છે, એના વિના મારાથી ક્ષણ પણ રહી શકાય નહી. તેથી જો સાગર મારો ઘર જમાઈ થઈ રહે તે એની સાથે મારી છોકરીને પરણાવું. જિનદત્ત–એ વાત હું એકાકી કબુલ કરી શકું નહી; મારા પુત્રને પુછી તેના મનનો અભિપ્રાય લઈને પછી જેમ કરવા યોગ્ય હશે તેમ કરશું. (પછી ઘેર જઈને પોતાના પુત્રને તે 0િ) સર્વ વાત કહી સંભળાવી અને તેનો અભિપ્રાય લેવા કહ્યું પણ તે કાંઈ ન બોલતાં છાનો જ રહી છે SS ગયો તેથી તે તેના મનને આશય જાણી ગયો. ત્યારે પાછા સાગર દત્તને ઘેર આવી કહેવા જ લાગ્યો. તમે જે વાત કહી તેને હું માન્ય કરું છું. એ પ્રમાણે રાવ થયા પછી શુભ દિવસે બન્નેનો વિવાહ થયો. રાત્રિએ વધુવર અંત:પુરમાં ) પલંગની ઉપર જઈ સૂતા. પરંતુ પૂર્વ કમનસારે સુકમાલિકાના અંગને સ્પર્શ તેને અંગારના જેવો તો લાગ્યો. કેટલીક વખત ગયા પછી સુકમાલિકા નિદાને વશ થઈ ગઈ, ત્યારે સાગર ત્યાંથી ( ઊઠીને ના અને પોતાના ઘેર ભણું ગયો. સુકમાલિકા જગૃત થઈ જુવે છે તે સેજમાં સ્વામી છે ( ક્રિીઠામાં આવ્યું નહીં. તેથી મહા દુઃખને પામી; અને રોવા લાગી. તે સાંભળીને તેની માતા અને દાસીઓ જાગી ઊઠી, અને તેને કહેવા લાગી કે, તું રોઈશ નહી. પ્રાતઃકાલ થયો છે, એ હવે દંત ધાવન કર. સર્વ સારૂં થશે. તારો પતિ હમણાજ તને પાછો લાવી આપશું. વગેરે વચનથી Sણ તેનું મન મનાવીને તે સર્વ હકીગત સાગરદન પાશે કહી. તે સાંભળીને પોતાના જમાઈને ઘેર છે ગ; અને તેના બાપને કહેવા લાગ્યો. - સાગરદત્ત—તમારો પુત્ર ત્યાંથી છાની રીતે નાશી આવવાનું કારણ શું એમ કરવું ગ્ય કહેવાય નહીં. એવાં તેનાં વચન સાંભળી જિનદત્ત પોતાના પુત્ર સાગર પ્રત્યે બોલ્યો) જિનદત્ત–હે પુત્ર, તે મારું વચન અસત્ય કરવું. તે સારું કહેવાય નહી. હવે તત્કાળ છે તું તારા સાસરાના ઘેર જઈને રહે, ફરીથી તેમ કરીશ નહી. (ત્યારે સાગર બોલ્યો) સાગર–હે પિતા, હું તો કદી પણ ત્યાં જવાનું નથી. ત્યાં જવા કરતાં અગ્નિમાં બળી જ મરવું તે સારું છે, પણ તેને અંગ સંગ ઉચિત નથી. એ સર્વ વાત સાંભળીને સાગર દત્ત પોતાને ઘેર આવ્યો અને પુત્રીને કહેવા લાગ્યું કે, સાગર તે તારા વિષે વિરકત થઈગયો. હવે એ કોઈકાલે માનવાને નથી; એના બાપનું અથવા બીજો કોઈનું ૭) માનવાનો નથી. માટે હવે તારા વાસ્તે કોઈ બીજો પતિ શોધીશ. અને તેની સાથે તને પરણાવી દઈશ, વર છેકશી ટેકરો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy