SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ - એવાં દ્રુપદ કુવરનાં વચનો સાંભળીને જે જે રાજાઓ ધનુષ્ય ઉઠવવા લાગ્યા તે તે રાજ- તે ઓનાં નામ હમ તથા ફળ વગેરે પ્રતિહારિણી લખી લઈને દ્રૌપદીને કહેવા લાગી. તેમાં જે સમયે હસ્તિશી દમદંત રાજા ધનુષ્ય ઉઠાવવા ઊડ્ય; તે સમયે છીક થઈ તેથી તે પાછો પિતાના આસન ઉપર જઈ બેઠો. તેને પણ પ્રતિહારિણયે ઓળખાવ્યો. ત્યાર પછી મથુરા પુરીને ) ધર રાજા ધનુષ્ય ઉdવવા ઊગે. તેની સર્વ જન અવજ્ઞા કરીને બોલ્યા એટલે તે ધનુષ્ય પાસે હું આવીને પાછો પોતાના મંચ ઉપર જઈ બેઠો. તેને પ્રતિહારિણીએ ઓળખાવે . ત્યાર પછી ) ( વળી પ્રતિહારિણીઓ દ્રૌપદીને કહ્યું કે, પ્રતિહાણિ—હે સ્વામિની, તારી પ્રાપ્તિનો અભિલાષી આ વિરાટ દેશને સજા ધનુષ્ય પણ ઉઠાવવા આવ્યો છે, પણ ધનુષ્ય જોઈને જ સ્તબ્ધ બની ગયો જણાય છે. હે સુમધ્યમે, આ 5 છે. નંદીપુરનો શલ્ય રાજ ધનુષ્ય ઉઠાવવા આવ્યો છે. તે પણ ધનુષ્યને જોઈને દૂર દૂર ઉભો છે (ઈ રહ્યો છે. હે દેવી, જરાસંધને પુત્ર આ સહદેવ પણ ધનુષ્યની પાસે આવીને પાછો હટી ગયો છે. 5 ર હે કૃશાંગી, ચંદદેશનો શિશુપાળ રાજતો રાધાવેધ કરવાને દોડતો દોડતો આવ્યો પણ ઉદ્યોગ | નિફળ થયો તેથી પાછો ગયો છે. હેકમળનયની, દુર્યોધનની પ્રેરણાથી તેને મિત્ર કર્ણ ધનુષ્ય ઉઠાવવાની અભિલાષાથી આવે છે. એ વાત સાંભળી દ્રૌપદીનું શ્યામમુખ થઈ ગયું ને મનમાં 6 ચિંતવન કરવા લાગી કે, કર્ણ તો સૂત પુત્ર છે. તેમ છતાં પૃથ્વી ઉપર સર્વ ધનુર્ધારીઓમાં એ છે કિ અગ્રેસર છે એમ સંભળાય છે માટે એ જરૂર ધનુષ્ય ધારણ કરી તથા રાધાવેધ કરીને મારા પિતાની છે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને મને પરણશે. તે યોગ્ય નથી. મને એ બિલકુલ જોઈએ નહી. એવો વિચાર કરીને પછી પોતાના કુળ દેવતાઓ યાદ કરીને પ્રાર્થના કરવા લાગી કે, હે દેવતાઓ, પાંડ રાજના પુત્ર વિના મારે અન્ય ભરથાર કોઈ થાય નહી એવો અનુગ્રહ કરે. એવી રીતે દ્રૌપદી પોતાના મનમાં ચિંતા કરવા લાગી એટલામાં પ્રતિહારિણી બોલી) હે સખી, તું ચિંતા કરીશ નહી. કર્ણ રાધાવેધ કરી જાણતો નથી. હે દેવી, એ રાધાતનય રાધાવેધી નથી. કર્ણ ધનુષ્યની પાશે આ તો ખરો પણ ધનુષ્યને જોઈને પાછો હટી ગયો છે. હે સુમુખા, તારા કુળદેવના પ્રભાવથી ધનુષ્ય ઉડાવવાને કોઈપણ સમર્થ થયો નથી. હે સુંદરી બળદેવ, પ્રદ્યુમ્ન, સહિત કૃષ્ણ પણ છે સ્વયંવરમાં આવ્યા છે. હે દેવી, ધતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન ઊંચા આસન ઉપરથી નીચે ઉતરીને ધનુષ્યની પાશે આથો લક્ષધી, લક્ષરક્ષક, તથા મહારથી, છતાં એ કાર્ય કરવામાં ફાવ્યું નથી. એણે જે વખતે ધનુષ્યને નમસ્કાર કરશે તે વખતે એની ગાંધારી માતા અતિ હર્ષિત થઈ પણ જયારે તેનું કાર્ય નિષ્ફળ થયું ત્યારે હમણા ચિંતાતુર દેખાય છે. દુર્યોધનના બીજા દુઃશાસના- નો છ દિક છે ભાઈઓ પોતાની ભુજઓના પરાક્રમ રૂપ પર્વતને વિષે સ્થિત છે ખરા પણ તેમાં કોઈ જ NA Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy