SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ઉત્પત્તિ થઈ છે. એવો આ અર્જુન સર્વ ા પ્રસિદ્ધ છે. તેમ તું ક્યાં માતા તથા પિતા થકી હૈ ન ઉત્પન્ન થયો છે તે મને કહે કોઈની સાથે યુદ્ધ કરવું કાંઈ જેવી તેવી વાત નથી. સર્વ પ્રકારે ? યોગ્યતા જોઈએ છે. સર્વના શાંભળતાં તારું કુળ પ્રસિદ્ધ કર્યા પછી અર્જુનની સાથે તારું યુદ્ધ 4 થશે. (એવાં કપાચાર્યનાં કઠણ વચનો સાંભળીને દુર્યોધન બોલી ઉો.) દુર્યોધન – કોપાયમાન થયો થકો) હે કૃપાચાર્યજી, મેટા કુળથી તથા પ્રખ્યાત માવિત્રથી ( કોઈ મોટાઈને પામતો નથી. મહત્તા તો માત્ર ગુણથી જ પ્રાપ્ત થાય છે. જો કે, કમળની ) ( ઉત્પત્તિ થી થાય છે તો પણ લોકોને અતિ પ્રીય હોય છે તેનું કારણ માત્ર સુગંધિઆદિક ગુણ ) કિ છે. તેમાં કોઈ પુરૂષ નીચ કુળથી ઉત્પન્ન થયે છતાં તે મહા પરાક્રમી થાય તે તેને મેટોજ જ SS સમઝવો જોઈએ છે. અહી કુળનું શું કામ છેમાત્ર વિદ્યા વિષે જ વિચાર કરવો જોઈએ છે. આ કોઈ ક્લીન માણસ છતાં વિદ્યા હીન હોય તે તે અનુપયોગી કહેવાય, અને અકુલીન છતાં જે વિદ્યાવાન હોય તો તે અતિ ઉપયોગી થઈ પડે છે અને તેને જ્યાં ત્યાં સત્કાર થાય છે. આ દેકાણે તો કેવલ યુદ્ધ ચાતુર્ય જેવું છે. બીજા કશા વિષે કાંઈ વિચાર કરવો જોઈતો નથી. શૂર વીર પણા વિના કુલીનપણું વ્યર્થ કહેવાય. આ કર્ણ મહા શૂરવીર છે; પરાક્રમી છે માટે અર્જુનની સાથે યુદ્ધ કરવામાં કાંઈ હરકત નથી. જો કહેશો કે કર્ણ રાજ નથી તેથી અર્જુનની તુલ્ય ન ) ( કહેવાય તો જુ હું કર્ણને અંગ દેશનો રાજ્યાભિષેક કરૂંછું. એમ કહી, કર્ણને રાજા કરવાની દુર્યોધને સર્વ તૈયારી કરી. પુરોહિતને બોલાવી કર્ણને સિંહાસન ઉપર બેસાડ્યો. પછી તીર્થોદક વગેરે મંગાવીને રાજ્યાભિષેકની ક્રિયાને આરંભ થયો. તે સમયે કર્ણની ઉપર કલંક રહિત ચંદની પડે અતિ સુંદર છત્ર ધરચામાં આવ્યો હતો તે જાણે કણે પોતાની ભુજાના પરાક્રમથી ઉત્પન્ન કરેલું યશજ હોયની અતિ સુંદર અંગનાઓ પોતાના હાથમાં ચામર લઈને કર્ણની ઉપર ઢોળતી હતી તે જાણી ભાગીરથી SS) નદીને કોલજ હોયની કેટલીક સ્ત્રીઓ નાના પ્રકારના મંગળ ગીત ગાઈ રહી હતી. હવે બંદીજને બોલવા લાગ્યા કે અંગ દેશના રાજાને ય થાઓ. વારાંગનાઓ નૃત્ય કરવા લાગી છે; અને જ્યાં ત્યાં મંગળ શબ્દો થઈ રહ્યા છે. તે જોઈને કણ અતિ આનંદને જન્મ પામ્ય અને દુર્યોધન પ્રત્યે બોલ્યો. 1. કર્ણ—હે દુર્યોધન, આ ઉપકારથી હું ક્યારે મુકત થઈશ. એને માટે તમારા કાર્યમાં મારા પ્રાણ અર્પણ કરે તો પણ તેની તુલના થાય નહી. | દુર્યોધન–(પ્રેમાલિંગન આપીને) હે કર્ણ એના બદલામાં હું એટલું જ માંગી લઊંધું કે, છે જયાંસુધી આપણ બને જીવીએ, ત્યાંસુધી કોઇએ મિગાઈ તોડવી નહી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy