SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ 5 કર્ણ દુર્યોધન, આ અર્જુનની પ્રસંશા જોઈને માસ અંત:કરણને વિષે તે તાપ ને ઉત્પન્ન થયો છે કે, તેની અર્જુનની સાથે યુદ્ધ કરયા સિવાય બીજી કોઈ ઔષધિજનથી. એવાં અને કર્ણનાં વચન સાંભળીને જેમ આહુતી નાખ્યાથી અગ્નિ પ્રજવલિત થાય છે તેમ અર્જુન મનમાં ક્રોધાયમાન થયો થકો બોલવા લાગ્યો. છે અનહે કર્ણ, તને પોતાની સ્ત્રીઓના નેત્રોમાંથી અશ્રુની ધારા વહેરાવવાની છે ' મરજી થઈ છે એમ જણાય છે. મારા યશરૂપી સમુદ્રમાં તું શા સારૂ બુડીને મરે છે. એવાં છે છે અર્જુનનાં ચાણકના વચન સાંભળીને કર્ણ અતિ કોપાયમાન થયો થકો બોલવા લાગ્યો) છે. કર્ણ—હરકતનેત્રયુક્ત સમુદ્રની પઠગર્જના કરીને) હેઅર્જુન,શરૂતુના મેધની ૫૮ અમસ્થી ને પણ શું ગર્જના કરયા કરે છે. તારાં વચન સાંભળીને શું હું બીહી જવાનું હતું કે! તારામાં હિમ્મત હોયતો મારી શબે આવી જ. આજ ઘડીએ તારો સર્વ અહંકાર કહાડી નાખીશ તે સાંભલીને * : પછી પોતાના દ્રોણાચાર્ય ગુરૂની આજ્ઞા લઈધનુષ્ય બાણ ધારણ કરીને અર્જુન કર્ણની સાબે થે. અને યુદ્ધને પણ પ્રારંભ થયો. તે જોવાને માટે આકાશને વિષે આવી રહેલા ( દેવોના વિમાનથી જણે આકાશ આખું પુપિત થઈ ગયું હોયની! એવું ભાસવા લાગ્યું. અધિક ) છે શું કહેવું, એ યુદ્ધ જેવાને કાજે સર્વે પણ પોતાને રથ ક્ષણેક થોભાવીને ઊભો રહ્યો જેમ વિધ્યા- 1) - ચલ પર્વતની ઉપર મદોન્મત્ત હસ્તિઓ સાંબે આવી ગએલા શોભાને પામે છે તેમ અર્જુન અને nિ છે. કર્ણ યુદ્ધ કરવા શબે આવી ગએલા શેભાને પામવા લાગ્યા. તેને જેનારા સર્વ દેવ તથા મન- એ કે એમાં કોઈ અર્જુનની પ્રસંશા કરવા લાગ્યા ને કોઈ કર્ણની કીર્તિ ગાયન કરવા લાગ્યા. જેમ ૨ કે આ મહા ધનુર્ધર અર્જુનની આગળ આ જિંપદાર્થ કર્ણ તે શા હિશાબમાં છે! ઈત્યાદિક કર પાંડ વગેરે બોલવા લાગ્યા અને આ મહા પરાક્રમી કર્ણની પાશે બચારા અર્જુનનું શું વળવાનું હતું એવી રીતે દુર્યોધનાદિ બોલવા લાગ્યા. તે બન્ને એક બીજાની સાંબે આવી મહા ગર્જના કરીને એવી રીતે યુદ્ધ કરવા માંડ્યાં કે જેનારાઓથી પણ તેને પરિતાપ સહન થઈ શકતો નહોતો. કૃતી એવું દારૂણ યુદ્ધ જોઈને આગળ જતાં કોણ જાણે એનું કેવું પરિણામ નીપજ એવો વિચાર કરતી મૂછને પામી. ત્યારે વિદુર પાસે જઈ ચંદનાદિક ઉપચારથી તથા પવનાદિક કરવાથી તેને સાવચેત કરી. પાંડુ રાજા પણ મનમાં કહેવા લાગ્યો કે, અતિ શૂર યોદ્ધો છતાં પણ યુદ્ધમાં હાર જીત થવાને દેવજ પ્રધાન છે. એવું ધારીને ખિન્ન થઈ ગયો. પછી પ્રારબ્ધ ઉપર આધાર રાખીને પાંડુ રાજા તથા કુંતિ વગેરે સંબંધીઓ એક ચિત્ત જેવા લાગ્યા. ત્યારે કપાચાર્ય કર્ણ પ્રત્યે બોલ્યો. , કપાચાર્ય—હે કર્ણ, જેમ મેરૂ પર્વતમાંથી કલ્પ વૃક્ષની ઉત્પત્તિ થાય છે તેમજ પાંડ રાજાથી અર્જુનનો જન્મ થયો છે; અને જેમ શીપમાંથી મોતી નીપજે છે તેમ કુંતીના ઉદરથી અતાની જ ૨૬ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy