SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦, જે થયા. ચક્ર, પ્રાસ, ગદા, ખ વગેરે શસ્ત્રોની અત્યંત નિપુણતા બતાવી તેને ચમત્કાર ચિત્તમાં જે ચિત્રિત થઈ રહ્યો છે. એવામાં કર્ણનું વિચિત્ર વીર્ય જોઈને બધા ચકિત બની ગયા. તે સમયે જેમ પરમાત્માને આકાશાદિ પંચ મહાભૂત આવરણ કરી રહે છે તેમ પાંચ પાંડવો દ્રોણાચાર્યની આસપાસ વીંaઈ રહ્યા. અને જેમ તારા ગણ ચંદમાને આવરણ કરે છે તેમ અશ્વત્થામા તથા ઠોડ નવાણું કરો દુર્યોધનને વીંટાઈ રહ્યા હતા. કોરો મહાસિંહનાદ કરવા લાગ્યા. તે જાણે મંદરાચલ પર્વત વડે સમુદ્ર મંથન કરતી વેળાએ થએલા શબ્દોનું સ્મરણ કરી દેતા હોયની! ભુજ ઓના થાબડવાથી થએલા શબ્દોવડે લોકો ત્રાસને પામીને જ્યાં ત્યાં જોવા લાગ્યા. એટલામાં છે. જેણે શરીરની ઉપર સુવર્ણ કવચ પહેરેલું છે. લાંબી ભુજાઓ છે, જેનું શરીર ઊંચું છે; ફોધ કરી છે જેની મુખાકૃતિ વિકાલ થઈ રહી છે જેની પાસે ધનુષ્ય તથા બાણ વગેરે યુદ્ધ સામગ્રી રહી ગએલી છે જે અર્જુનની શાંબે ગુંજની પડે લાળ ચળ આંખોવડે જોઈ રહેલ છે; સુવર્ણનું કવચ પહેરેલું હોવાથી જાણે મેરૂ પર્વત જ હોયની! એવો શોભી રહ્યો છે એવો કર્ણ સભાની સન્મુખ આવી કૃપાચાર્ય તથા દોણાચાર્યને નમસ્કાર કરીને અતિ ગર્વથી બોલ્યો. કર્ણ-સર્વ સભાને, કોઈએ એમ ન સમઝવું કે, જગતમાં એક અનાજ મહા પરાક્રમી છે. હવે મારે પરાક્રમ પણ જોઈ લેવો. પછી જે જે કળાએ પ્રથમ પાર્થે કરી બતાવી હતી તે બધી યથાર્થ તેના જેવીજ અથવા તો છે તેનાથી કાંઈ અધિક કર્ણ કરી બતાવી તે જોઈ અત્યંત હર્ષને પામી તેને દઢ આલિંગન દઈને દુર્યોધન બોલ્ય. દુર્યોધન–હે કર્ણ, ત્રિભુવનમાં પરાક્રમી વીર તે એક તું જ છે; તું સર્વ ધનુર્વિદ્યાનો પારગામી ; જેમ ચેર સંપત્તિનું હરણ કરે છે તેમ તું શત્રુને દર્પ હરણ કરવાને સમર્થ છે. તું વિદ્યાએ કરી વિભૂષિત છે; મહા શૂરવીર છે; સર્વ ધનુર્ધમાં અગ્રેસર તે એક તને જ સમજું છું. તો . હું તને એક વચન કર્યું તે તું શાંભળ. તું મારો અત્યંત પ્રિયકર મિત્ર છે, એવો મેં નિશ્ચય () કરે છે માટે તારાથી મારે બીજું કાંઈ અધિક નથી. મારું રાજ્ય, મારું પ્રાણુ, તથા આ સર્વેકુર- 2 કુળની સંપત્તિ બધી તારીજ છે એમ તું જાણજે. (એવાં દુર્યોધનનાં વાક્યો શાંભળીને કર્ણ બોલ્યો.) છે કર્ણ—હે રાજન, તમે છતાં હું કોઈ પદાર્થની મને અપ્રાપ્તિ સમઝતો નથી. પરંતુ એટલી કે ૨ મારે અવશ્ય પ્રાર્થના કરવી જોઈએ છે કે, પ્રીત કરવી તે અંતપર્યત નભાવવી જોઈએ. ધન–હે કર્ણ, આપણી મિત્રતા કોઈ સમયે પણ મટવાની નથી; નિરંતર બનીજ રહેશે. એ વિષે તારે માત્ર સંરાય કરવો નહી. એવું હું તને વચન આપું છું. એવી રીતે તો છ કર્ણ તથા દુર્યોધન ક્ષીર તથા નીરની પ મળી ગયા પછી ફરી કર્ણ બોલ્યો) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy