SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રોણાચાર્ય—હે રાજકુમાશે, પોતપોતાની કળાઓ અને અરય તથા શાસ્ત્રમાં પ્રવીણતા બતાવવાને તત્પર થાઓ. જે જોઈને બધા આનંદને પામે. એવી ગુરુની આજ્ઞા થતાંજ સર્વ રાજ્ય તૈયાર થઈ ગયા. કોઈ હસ્તિની ઉપર બેશીને પોતાની એવી ધનુર્વિદ્યામાં કુરાળતા બતાવવા લાગ્યો કે, તે જોઈને સર્વ સભાજનો ચકિત થવા લાગ્યા; કોઈ ભાથામાંથી બાણ કહાડી ધનુષ્ય ઉપર ચડાવીને એવી ચપળતાથી નિશા ઉડાવવા લાગ્યો કે, જોનારાઓ સ્તબ્ધ બની જવા લાગ્યા; કોઈ એવી ત્વરાથી ઉપર ઉપર આકાશમાં જી બાણની વૃષ્ટિ કરવા લાગે કે જાણે મેઘની ઘયજ બની રહી હોયની; ને તેથી બધા ત્રાસને 9 પામવા લાગ્યા. કોઈ રથમાં બેસીને એવું ચાતુર્ય બતાવવા લાગ્યો કે, બધા ક્ષત્રિએ આશ્ચર્યને જે પામ્યા. કોઈ ગદા યુદ્ધમાં પોતાનું પાંડિત્ય દર્શાવવા લાગ્યો; કોઈ અવકળામાં કુશળતા દેખાડવા લાગ્યો. કોઈ અસિ ફેરવવામાં નિપુણતા પ્રસિદ્ધ કરવા લાગ્ય; એવી રીતે જેને જેટલી વિદ્યા આવતી હતી તેણે તેટલી પ્રસિદ્ધ કરી બતાવી. એવું કુમારોનું પરાક્રમ જોઈને બધા લોકો તેમને ધન્ય ધન્ય કહેવા લાગ્યા. પછી ગુરૂએ યુધિષ્ઠિરને તેની કળા કુશળતા બતાવવાને કહ્યું તેથી તે તેમ કરવા તત્પર થયો ત્યારે બધા લેકો આનંદથી તેની શાંબે જોઈને કહેવા લાગ્યા કે, “જુઓ આ રાજાને જેણે પુત્ર, એણે પોતાના વિનયથી ત્રિભુવન વશ કરવું છે. બધા પરાક્રમીઓને ( આ ભષણ રૂપ છે. એની ન્યાય કરવાની અપુર્વ રીતિ છે. એ માટે સત્યવાદી તથા પવિત્ર છે. તો એવી લોકોના મુખથી સ્તુતિ શાંભળીને પાંડુ રાજા અત્યંત હર્ષિત થયો. પછી એક રથમાં બેસીને ) યુધિષ્ઠિરે એવું તે પરાક્રમ કર્યું કે, તે જોઇને સમસ્ત સભાસદો મહા હર્ષને પામવા લાગ્યા. પછી દુર્યોધન તથા ભીમ ગદા યુદ્ધ કરવાને તૈયાર થયા. અને તેમાં પોતપોતાનું અતુલ્ય પાંડિત્ય બતાવવા લાગ્યા. તે ભ્રમણ કરતાં સૂર્ય તથા ચંદની પડે ભવા લાગ્યા. એ બન્નેનું યુદ્ધ જે ઇને આકાશને વિષે જેવા રહેલા દેવ પણ મહા આનંદને પામવા લાગ્યા તો બીજા રાજાઓ (9) પ્રમુખ પ્રસન્ન થાય તેમાં શું કહેવું. કેટલાએક દુર્યોધનની પ્રસંશા કહેવા લાગ્યા ને કેટલાક સ્થળ ભીમને વખાણવા લાગ્યા. જેમ કે, ધન્ય છે આ દુર્યોધનના ઘેર્યને, અને ધન્ય છે આ ભીમના પરાક્રમને. એ પ્રમાણે જ્યાં ત્યાં સભામાં બન્નેના તરફેણમાં ભાષણ થઈ રહેલાં છે. તેમાં વધારે જ મત ભીમની તરફેણમાં પડવાથી દુર્યોધન કાંઈક ખિન્ન થવા લાગ્યું. પછી ક્રોધમાં આવીને તથા પોતાનાં ને રાતાં કરીને ભીમની ઉપર એવો તો ગદા પ્રહાર ચલાવ્યું કે, બધા લોકો આધિ ને પામવા લાગ્યા. પરંતુ ભીમ તેની કાંઈ પણ પરવા ન કરતાં જ્યારે પોતાની ગદા દુર્યોધનને મારો ત્યારે જાણે તેનાં પ્રાણ હરણ કરી લેતો હોયની તે જોઈને સભાજનો અતિ ભયભીત હળ થતા હતા કે રખેને ભીમ દુર્યોધનને મારી નાખે. એક બીજાની ગદાના કડક કડકા કરી નાખ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy