SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર એટલો ઉપકાર થયો છે કે તેમને હું મારા પ્રાણ અર્પણ કરું તોપણ તેનો બદલો વળ્યો કેહવાય નહીં. મારી ઉપર ઢોણાચાર્યે ગુરૂની અતુલ પ્રીતિછે; માટે હું ધન્ય છું. દ્રોણાચાર્યે સમગ્ર રાજપુત્રોને અમુક્ત તથા કરમુક્ત શસ્ત્રોની વિદ્યા ભણાવી, ભીમ તથા દુર્યોધનને ગદાયુદ્ધ સીખવ્યું. કેટલાએક દિવસો ગયા પછી સમગ્ર રાજપુત્રો કળામાં નિપુણ થયા. ત્યારે તેઓની પરિક્ષા લેવાસારૂ ગામની બાહાર એક તાડના ઝાડઉપર કોઈ અનુચરના હાથે એક મોરપીછ રખાવી, અને બધા શિષ્યોને સાથે લઇને તે વૃક્ષની સમીપ ગયા. પછી દ્રોણાચાર્ય સર્વે રાજપુત્રોને આજ્ઞા કરી કે, આ ઝાડની ટોચ ઉપર રહેલી મોર પીછને વૈધન કરો. એવું ગુરૂનું ખોલવું શાંભળીને બધા શિષ્યો એક પછી એક વેધન કરવાનો ઉદ્યોગ કરવા લાગ્યા. પરંતુ કોઈનાથી પરિપૂર્ણ તે મોરપિચ્છનું વેધન થયું નહી. અને તે ઝાડની ઉપર જોવા લાગ્યા. તે જોઈ ગુરૂએ કહ્યું કે, હે રાજપુત્રો તમે ઉપર શું જુઓ છો? ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે ઉપર મોરપિચ્છને જોઇએ છેએ ને નીચે આપને તથા બાંધવો વગેરેને જોઇએ છેએ. એવું તેમનું ખોલવું શાંભળીને દ્રોણાચાર્યે વિચાર કરવો કે, એમાંનો કોઇપણ અધિક વિદ્યા ભણવાનો અધિકારી નથી. પછી અર્જુનને શુએ પુછ્યું કે, હે અર્જુન તું શું જોઈ રહ્યો છે? અર્જુને જવાબ આપ્યો કે, હે આચાર્ય હું મોરપિચ્છને તથા તેના મધ્યના ચિન્હને જોઈ રહ્યો છું, એવું અર્જુનનું ખોલવું શાંભળીને ગુને અતિ આનંદ થયો અને મનમાં નિશ્ચય કરચો કે, રાધાવેધનો ઉપદેશ કરવા લાયક એજછે. ત્યારથી અર્જુનની ઉપર વળી ગુની અધિક પ્રીતિ થવા લાગી. એક દિવસે દ્રોણાચાર્યે સ્નાન કરવાને ગંગાના તીર ઉપર ગયા. ત્યાં ન્હાવાને અર્થે પાણીમાં પેશી ને જેવી ડુબકી મારવા લાગ્યા કે, એક જૂડે આવીને ગુંટણનાં નીચેના ભાગને પકડચો. તેનાથી છુટવાને ોપણ તે સમર્થ હતા તો પણ પોતાના શિષ્યોની વિશેષ પરિક્ષા લેવાને અર્થે તેમને પુકારી ને કહ્યું કે, મને આ જલના પ્રાણીથી છોડાવો. અને મારો. એવું શાંભળીને બધા વિદ્યાર્થીઓ માહોમાંહે વિચાર કરવા લાગ્યા કે, હવે શું કરવું! આ અગાધ જલમાં પેશી ને એ ક્રૂર પાણીથી ગુરૂને છોડાવવાને કોણ સમર્થ થવાનો છે! પછી કેટલાએક રાજપુત્રોએ તે જળ પ્રાણીને મારવાનું યત્ન કરચું તોપણ કાંઈ વળ્યું નહિ તેથી તે બધા ઉદાશ થઇને જોવા લાગ્યા. એટલામાં અર્જુન પાશે આવ્યો તેને ગુરૂએ ઈસારત સહિત શાખે જોઈઊં; તે સમઝીને કાંઈ ઢીલ નહી કરતાં એક ખાણ ચડાવીને તે બૂડને એવી રીતે તાકીને મારચો કે, તે તેના શરીરમાં ભોંકાઈ ગયો તેથી તે મરણ પામ્યો. ત્યારે ગુરૂ તેનાથી મુક્ત થઇને બાહેર આવ્યા. અને અર્જુનની ઉપર અતિ પ્રસન્ન થયા. પછી તેને સુપાત્ર જોઇને રાધાવેધનો ઉપદેશ કરો. Jain Educationa International For Personal and Private Use Only ૯૫ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy