SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ છે માત્રથી અજ્ઞાન રૂપ તિમિરને નાશ કરે છે. એમ સૂર્યથી પણ અતિ સમર્થ જે આ મારા ગુરૂ છે, તે કે મને હું હજાર વખત પ્રણામ કરું છું. એવું એનું બોલવું સાંભળીને દોણાચાર્યને અતિ આનંદ થયો ને ? અર્જુનની ઉપર પોતાનો પ્રેમ દેખાડવાનો આજે સાશે વખત છે એવા હેતુથી બોલવા લાગ્યા.) - દ્રોણાચાર્ય–હે શિષ્ય, જે તું મને પોતાને ગુરૂ માનતે હો તે તે જે આટલી બધી 5 ધનુર્વિદ્યા સંપાદન કરી છે તેની મને ગુરૂ દક્ષિણ આપ. | કોળી-(અતિ હર્ષિત થઈ) હે આચાર્ય, હું ગુરૂ દક્ષિણ શું આપું કહો તો મારી બધી ) છે. સંપત્તિ આપને અર્પણ ક; કો માર શિર આપું; અથવા કહો બીજું કાંઈ જે આપને 9 ઈચ્છિત હોય તે આપું. તે કૃપા કરીને મને કહો. આપના અનુગ્રહનો બદલો વાળવા આખા I જગતમાં મને કોઈ એવો પદાર્થ દીઠમાં આવતું નથી કે, જે આપીને હું કૃતકૃત્ય થાઉં. દ્રોણાચાર્ય–કાંઈક મુખમુદ્રા કુરાવી) તારા હાથને અંગો મને આપ, બીજું હું કાંઈ નથી માગત. એકલવ—(અતિ હર્ષિત થયે થકો ખડગથી તરત અંગુઠો કાપીને ગુરૂને અર્પણ કરી હાથ છે જેડી) આ લ્યો મહારાજ મારાં ધન્ય ભાગ્ય કે આપે સાક્ષાત મારી પાસેથી ગુરૂ દક્ષિણા માગી છે. છે લીધી. (એવી તેની ગુરૂભક્તિ જોઈને અતિ આનંદે કરી આકાશમાંથી દેવ પુષ્પોની વૃષ્ટિ કરવા ) લાગ્યા. ત્યારે દ્રોણાચાર્ય અતિ વિસ્મયને પામી પ્રેમવડે તેને આલિંગન દઈને બોલ્યા) જ દ્રોણાચાર્ય—હે વત્સ, જે કૃત્ય કરવાને બીજો કોઈ સમર્થ ન થાય એવું કામ તે કર્યું 6 તો એમ જોઈને હું તારી ઉપર અતિ પ્રસન્ન થયો છું. માટે તેને વર આપું છું કે, જેપણ તારે અંગુઠે સ નથી તોપણ તારું નિસાન કદી વ્યર્થ જવાનું નથી. તું આંગળિઓથી ધનુષ્ય ખેંચવાને પૂર્ણ S સમર્થ થઈશ. (એવો આશીર્વાદ દઈ દ્રોણાચાર્ય અર્જુનને સાથે લઈને પાછા ફર્ચા. રસ્તામાં તે છે અર્જુન વિનયથી પોતાના ગુરૂને પૂછવા લાગ્યો.) અન–હે આચાર્ય, એ કોળીની આપની ઊપર આટલી બધી શ્રદ્ધા છતાં ( તેને આપ ન ભણાવવાનું કારણ શું? દ્રોણાચાર્ય—હે અર્જુન, તને મેં પ્રથમ વચન આપ્યું છે કે, તારા વિના હું બીજા કોઈને મારી સમગ્ર વિદ્યા ભણાવવાનું નથી. માટે જ મેં તેને ભણાવ્યો નહી, એમ તું સમઝ, યદ્યપિ એકલવ મારે પર્ણ ભકત છે એમાં સંશય નથી. એ ધન્ય છે; મારી પણું આજ્ઞા પાળી. અને રે મારા માનવા પ્રમાણે મને ગુરૂ દક્ષિણા આપી. તથાપિ તેની ઉપેક્ષા કરવાનું કારણ એ કે, શસ્ત્ર તથા અસ્ત્રવિદ્યામાં તારા કરતાં બીજો કોઈ અધિક થાય નહી. - એવું ગુરૂનું યથાર્થ બોલવું સાંભળીને અર્જુન મનમાં વિચાર કરવા લાગ્યો કે, ગુરૂનો મારી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy