SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૮ ઈત્યાદિ સ્વીકારો, તેઓથી અવિશિષ્ટ તેઓથી અભિન્ન, ભગવાનના મુખમાંથી નીકળેલા તે તે સૂત્રોમાં='જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી' () ઈત્યાદિ તે તે સૂત્રોમાં, સ્વીકારો પ્રતિભાસે છે અને તે તે તે સૂત્રોમાં પરવડે સ્વીકારાયેલા પક્ષોનો અભ્યપગમ, તે પ્રમાણે જ વ્યાખ્યય નથી; કેમ કે પ્રમાણનો બાધ છે. તે કારણથી= આગમમાં તે તે સૂત્રોના કથનો પર અભ્યપગમથી છે તે કારણથી, અર્થગતિથી જ=સામર્થ્યથી જ, તેઓની વ્યક્તિનેeતે તે સૂત્રોની વ્યાખ્યાને સકલવસ્તુવ્યાપી એવા અનેકાંતાત્મક એક કેવલ અવબોધ પ્રભવ દ્વાદશાંગરૂપ એક શ્રુતસ્કંધના અવિરોધથી તે તે સૂત્રોની વ્યાખ્યાને, જાણનારો=સ્યાદ્વાદના પરમાર્થને જાણનારો પુરુષ, કરે છે. કઈ રીતે સકલવસ્તુ વ્યાપ્ય અનેકાંતાત્મક એક કેવલ અવબોધ પ્રભવ દ્વાદશાંગરૂપ એક શ્રુતસ્કંધના અવિરોધથી વ્યાખ્યા પ્રાજ્ઞ પુરુષ કરે છે ? તે સ્પષ્ટ કરે છે – શ્રત-અવધિ-મન:પર્યાયવલી=શ્રુતકેવલી, અવધિ કેવલી, મતપર્યાયકેવલી, ત્રિવિધ “જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી” છે પરંતુ એ રીતે કેવલ કેવલી નથી; કેમ કે તેની=કેવલ કેવલીની અસર્વજ્ઞતાની, પ્રાપ્તિ છે એ પ્રમાણે સૂરિનો=ગ્રંથકારશ્રીતો, અભિપ્રાય છે. ll૧/૧૮ ભાવાર્થ વૈશેષિકદર્શન આદિ અન્યદર્શનના વક્તવ્યો છે કે એક સાથે અનેક જ્ઞાન ઉત્પન્ન થાય નહીં' અને વિશેષ્યમાં અગૃહીત વિશેષણવાળી બુદ્ધિ થતી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે છબસ્થ જીવોના અનુભવને આશ્રયીને પરદર્શનકારોએ કહેલું છે કે “એક સાથે અનેક જ્ઞાન થઈ શકે નહીં, પરંતુ છબસ્થને ઇન્દ્રિયથી બોધ થતો હોવાને કારણે ભિન્ન ભિન્ન જ્ઞાનો ભિન્ન ભિન્ન સમયોમાં થાય અને વિશેષ્યની બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમાં પ્રથમ વિશેષણનું ગ્રહણ થાય છે ત્યારપછી વિશેષ્યનું ગ્રહણ થાય છે. તેથી વિશેષણનું જ્ઞાન અને વિશેષ્યનું જ્ઞાન ભિન્ન કાળમાં છે. સંસારી જીવોના પોતાના અનુભવ અનુસાર પદાર્થનું અવલોકન કરીને આ સર્વ કથનો અન્ય દર્શનવાળાઓએ કરેલ છે અને તે કથનો છબસ્થના જ્ઞાન પ્રમાણે સંગત થાય છે. વળી, પરના આ કથનના અભ્યપગમપૂર્વક તે તે સૂત્રોમાં કથનો છે અર્થાતુ “જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી', એ પ્રકારના કથનો પરદર્શનકારના વચન અનુસાર છે એમ વિવેકીને પ્રતિભાસે છે. તેથી તે સૂત્રોનો અર્થ સર્વજ્ઞવચનાનુસાર છે તેમ સ્વીકારીને કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્ન કાળમાં થાય છે તેવો અર્થ કરવો સંગત નથી, પરંતુ ભગવાનના વચનના શાસ્ત્રોનો જ્ઞાતાપુરુષ સામર્થ્યથી જ પ્રાપ્ત એવી છે તે સૂત્રની વ્યાખ્યાને કરે છે. સ્યાદ્વાદનો જ્ઞાતા પુરુષ તે તે સૂત્રોની સામર્થ્યપ્રાપ્ત વ્યાખ્યા કઈ રીતે કરે છે ? તેથી કહે છે – સર્વ વસ્તુની સાથે વ્યાપ્ય એવા અનેકાંતાત્મક એક કેવલનો અવબોધ છે, તે કેવલજ્ઞાનના અવબોધથી પ્રભવ દ્વાદશાંગી છે, તેથી દશાગીરૂપ જે એક શ્રુતસ્કંધ છે તે સર્વ પદાર્થને નિયમો અને કાંતાત્મક સ્વીકારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy