SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૮-૧૯ છે, એકાંતાત્મક સ્વીકારતો નથી. આ અનેકાંતનો વિરોધ ન થાય તે રીતે જ શાસ્ત્રના જાણકાર પુરુષ વ્યાખ્યા કરે છે. કઈ રીતે જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી' એ પ્રમાણે કેવલીને કહેનાર સૂત્રની વ્યાખ્યા કરે છે ? જેથી અનેકાંતનો વિરોધ ન થાય. તે સ્પષ્ટ કરે છે – શ્રુતકેવલી, અવધિ કેવલી અને મન:પર્યવકેવલીને આશ્રયીને એ અર્થ કરી શકાય કે જે સમયે આ ત્રણ પ્રકારના કેવલી જુએ છે તે સમયે જાણતા નથી; કેમ કે છ%Dના ઉપયોગમાં ક્રમસર જ્ઞાન-દર્શનનો ઉપયોગ હોય છે. વળી, છદ્મસ્થ કાલના જ્ઞાનના ઉપયોગમાં દર્શન ગૌણરૂપે પ્રાપ્ત થાય છે અને દર્શનના ઉપયોગમાં જ્ઞાન ગૌણરૂપે પ્રાપ્ત થાય છે માટે છઘઉના જ્ઞાનમાં પણ અનેકાંતનો વિરોધ થતો નથી તેની સ્પષ્ટતા ટીકાકારશ્રીએ પૂર્વમાં કરેલ છે. વળી, કેવલકેવલી સંપૂર્ણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયવાળા હોવાથી તેઓને આશ્રયીને એમ કહેવામાં આવે કે “જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી' તો કેવલીમાં અસર્વજ્ઞતાની પ્રાપ્તિ છે માટે કેવલીમાં અસર્વજ્ઞતાની પ્રાપ્તિ ન થાય તે રીતે અને આગમના વચનોમાં અનેકાંતનો વિરોધ ન થાય તે રીતે યોજન કરવું જોઈએ. કેવલીમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્નકાલમાં સ્વીકારવાથી અનેકાંતનો વિરોધ કઈ રીતે થાય ? તે ગાથા-૧૭ની ટીકામાં સ્વયં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. માટે કેવલના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય છે. તેથી દ્રવ્યના વિષયને આશ્રયીને કેવલદર્શન છે અને પર્યાયના વિષયને આશ્રયીને કેવલજ્ઞાન છે, તોપણ કેવલીનો ઉપયોગ કેવલનો એક છે તેમ જ સ્વીકારવું જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ર/૧૮ અવતરણિકા : यद्यक्रमोपयोगद्वयात्मकमेकं केवलं किमिति मनःपर्यायज्ञानवत् तद् ज्ञानत्वेनैव न निर्दिष्टम् ? तस्मात् 'केवलनाणे केवलदसणे' [] इति भेदेन सूत्रनिर्देशात् क्रमेण युगपद्वा भिन्नमुपयोगद्वयं केवलावबोधरूपमित्याशङ्क्याह - અવતરણિકાર્ચ - જો અક્રમઉપયોગ દ્વયાત્મક એક કેવલ છે તો કયા કારણથી મન:પર્યવજ્ઞાનની જેમ તે કેવલ, જ્ઞાનપણાથી જ નિર્દિષ્ટ નથી ? અર્થાત્ કેવલજ્ઞાન અને કેવલદર્શનને બદલે માત્ર કેવલજ્ઞાન જ છે એ પ્રકારે કેમ નિર્દિષ્ટ નથી ? તે કારણથી મન:પર્યવજ્ઞાનની જેમ “કેવલ' જ્ઞાનપણાથી નિર્દિષ્ટ નથી તે કારણથી, કેવલજ્ઞાન-કેવલદર્શન' એ પ્રકારે ભેદથી સૂત્રનો નિર્દેશ હોવાના કારણે ક્રમથી અથવા યુગપદ્ ભિન્નઉપયોગદ્વયરૂપ કેવલ અવબોધરૂપે છે એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ :ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અક્રમઉપયોગદ્વયાત્મક એક કેવલ છે. એથી એ પ્રાપ્ત થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy