SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૨ અને અક્રમઉપયોગપક્ષમાં બોધનું એકાંશઅવલંબીપણું હોવાથી કેવલી સર્વકાલ અદષ્ટ અને અજ્ઞાત જ બોલે છે એમ અવય છે. વળી ક્રમઉપયોગપક્ષમાં તત્ત્વપણું હોવાથી=બોધનું એકાંશઅવલંબીપણું હોવાથી અને ભિન્નસમયપણું હોવાથીકેવલજ્ઞાન અને કેવલદર્શનના બોધનું ભિષસમયપણું હોવાથી, કેવલી અદષ્ટ અને અજ્ઞાત જ સર્વકાલ બોલે છે એમ અત્રય છે. તેથી અક્રમઉપયોગપક્ષમાં અને ક્રમઉપયોગપક્ષમાં કેવલી અદષ્ટ જ અને અજ્ઞાત જ બોલે છે એ પ્રકારની આપત્તિ છે. તેથી, એક સમયમાં જ્ઞાત અને દષ્ટ બોલે છે=કેવલી જ્ઞાત અને દષ્ટ બોલે છે, એ પ્રકારનો આ વચનવિશેષ તમારા દર્શનમાં ક્રમઉપયોગવાદી અને અક્રમઉપયોગવાદીના દર્શનમાં, સંભવતો નથી એ પ્રમાણે ગ્રહણ કરવું. ૨/૧૨ ભાવાર્થ : કેવલીને જેઓ અક્રમથી ઉપયોગ માને છે તેઓના મતાનુસાર કેવલી કેવલદર્શનથી દ્રવ્યને જુએ છે, પર્યાયને જોતા નથી અને કેવલજ્ઞાનથી પર્યાયને જાણે છે, દ્રવ્યને જાણતા નથી તેમ પ્રાપ્ત થાય. જેમ જાત્કંધ પુરુષ હાથીને ચક્ષુથી જોતો નથી અને હસ્તાદિથી પરિજ્ઞાન કરે છે, જેથી પૂંછડાને હસ્તાદિથી જોનાર પુરુષ હાથીને દોરડા જેવો માને છે, પગને હસ્તાદિથી જોનાર પુરુષ હાથીને થાંભલા જેવો માને છે. આ બધું અયથાર્થ જ્ઞાન છે તેમ કેવલી પણ પર્યાયને સાક્ષાતું નહીં જોતા હોવા છતાં કેવલીને જે પર્યાયનું જ્ઞાન છે તે અયથાર્થ છે. વળી જેમ ઉંબાડીયાને કોઈ પુરુષ ગોળગોળ ફેરવે તે વખતે જોનારને ઉંબાડીયું પૂર્ણ ચક્ર આકારે દેખાય છે. વાસ્તવિક રીતે ઉંબાડીયું પૂર્ણ ચક્ર આકારવાળું નથી, પરંતુ જ્યારે ઉંબાડીયું ફરે છે ત્યારે કોઈક સ્થાનમાં ઉબાડીયું છે અને કોઈક સ્થાનમાં ઉંબાડીયું નથી તેથી જે સ્થાનમાં ઉંબાડીયું નથી તે સ્થાનમાં જોનાર પુરુષને અદૃષ્ટ જ તે ઉંબાડીયું જણાય છે. તેમ કેવલીને કેવલજ્ઞાનથી નહીં જણાતું એવું દ્રવ્ય કેવલદર્શનથી દષ્ટ છે માટે કેવલી જે કાંઈ સર્વકાલ બોલે છે તે જોયા વગર કે જાણ્યા વગર બોલે છે તેમ માનવું પડે માટે કેવલી અસંબદ્ધ બોલે છે તેમ પ્રાપ્ત થાય. આ પ્રકારનો દોષ અક્રમઉપયોગપક્ષમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ પૂજ્ય શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા જે કહે છે કે એક સમયમાં કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ છે તે પક્ષમાં આ પ્રકારનો દોષ પ્રાપ્ત થાય છે. વળી ક્રમવર્તી ઉપયોગપક્ષમાં કેવલી એક સમયમાં જે વસ્તુને જાણે છે તે જ્ઞાત વસ્તુને જ બોલે છે, પરંતુ દૃષ્ટને=દષ્ટ વસ્તુને, બોલતા નથી, તેથી વસ્તુને જોયા વગર બોલે છે એમ પ્રાપ્ત થાય; અને સમયાન્તરમાં જ્યારે જુએ છે ત્યારે પણ જોઈ રહેલી જ વસ્તુને બોલે છે જ્ઞાત વસ્તુને બોલતા નથી; કેમ કે જે પ્રકારે બોધ હોય તેને અનુરૂપ વાણીનો પ્રયોગ છે, અને કેવલજ્ઞાનકાળમાં બોધ છે, પરંતુ દર્શન નથી. તેથી બોધપૂર્વક વચનપ્રયોગ હોવા છતાં જોયા વગરનો વચનપ્રયોગ છે અને કેવલદર્શનકાળમાં કેવલીને દેખાય છે. આમ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy