SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૨-૧૩ છતાં બોધ નથી માટે જોવામાત્રથી બોલે છે, જ્ઞાનથી બોલતા નથી, તેથી કેવલીનું વચન પ્રમાણભૂત બને નહીં. અહીં પ્રશ્ન થાય કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં વર્તે છે ત્યારે કેવલી કેવલદર્શનથી જુએ પણ છે અને કેવલજ્ઞાનથી જાણે પણ છે માટે જોયા વગર બોલે છે કે જાણ્યા વગર બોલે છે તેમ કેમ કહેવાય ? તેથી ટીકાકારશ્રી કહે છે - અક્રમઉપયોગપક્ષમાં બોધનું એકાંશ અવલંબીપણું હોવાથી જોયા વગર બોલે છે અને જાણ્યા વગર બોલે છે એ પ્રકારનો દોષ છે અર્થાત્ કેવલીને કેવલદર્શનથી દ્રવ્યનું જ દર્શન છે, પર્યાયનું દર્શન નથી, માટે પર્યાયને જોયા વગર બોલે છે તેમ પ્રાપ્ત થાય અને તે જ વખતે કેવલીને કેવલજ્ઞાનથી પર્યાયનો બોધ છે કેવલજ્ઞાનથી દ્રવ્યનો બોધ નથી, તેથી દ્રવ્યને જાણ્યા વગર બોલે છે તેમ પ્રાપ્ત થાય. વળી ક્રમઉપયોગ પક્ષમાં કઈ રીતે દોષ પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે ૫૯ જે સમયમાં કેવલીને કેવલદર્શનનો ઉપયોગ છે તે વખતે કેવલજ્ઞાનનો ઉપયોગ નથી, તેથી તે સમયે દ્રવ્ય દેખાય છે, પર્યાય દેખાતા નથી, તેથી પર્યાયને જોયા વગર બોલે છે અને દ્રવ્ય અને પર્યાયને જાણ્યા વગર બોલે છે. જે વખતે કેવલજ્ઞાનનો ઉપયોગ છે તે વખતે કેવલદર્શનનો ઉપયોગ નથી, તેથી તે વખતે દ્રવ્ય દેખાતું નથી અને પર્યાય પણ દેખાતા નથી ફક્ત પર્યાય જણાય છે, તેથી દ્રવ્ય અને પર્યાય બન્નેને જોયા વગ૨ બોલે છે તેમ પ્રાપ્ત થાય છે. અવતરણિકા : तथा च सर्वज्ञत्वं न संभवतीत्याह – આનાથી શું ફલિત થાય ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે ક્રમઉપયોગવાદીપક્ષમાં કે અક્રમઉપયોગવાદીપક્ષમાં કેવલી એક સમયમાં જ્ઞાત અને દૃષ્ટ બોલે છે એ પ્રકારનું વચનવિશેષ જે શાસ્ત્રમાં કહેવાયું છે તે સંભવતું નથી, માટે કેવલી જ્ઞાત વસ્તુને જ અને દૃષ્ટ વસ્તુને જ બોલે છે તેમ સ્વીકારવું હોય તો કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉભયરૂપ એક જ ઉપયોગ કેવલીને છે, ફક્ત શેય એવા દ્રવ્યને આશ્રયીને કેવલદર્શન છે અને જ્ઞેય એવા પર્યાયને આશ્રયીને કેવલજ્ઞાન છે તેમ માનવું જોઈએ. તેથી કેવલી એક ઉપયોગથી સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને સાક્ષાત્ જુએ છે અને સાક્ષાત્ જાણે છે તેમ સિદ્ધ થાય, પરંતુ ક્રમિક ઉપયોગવાદીના મતમાં અથવા અક્રમિક ઉપયોગવાદીના મતમાં આ પ્રકારનું કથન સંભવતું નથી. I॥૨/૧૨ Jain Educationa International અવતરણિકાર્ય : અને તે રીતે=ગાથા-૧૨માં કહ્યું કે ક્રમઉપયોગપક્ષમાં અને અક્રમઉપયોગપક્ષમાં જ્ઞાત વસ્તુ અને દૃષ્ટ વસ્તુ કેવલી બોલે છે એ વચન સંગત થતું નથી તે રીતે, સર્વજ્ઞપણું સંભવતું નથી=કેવલીમાં સર્વજ્ઞપણું સંભવતું નથી, એને કહે છે - For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy