SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૧ વિશેષ એવા જ્ઞેયનું સંસ્પર્શી સામાન્યરૂપ દ્રવ્ય અને વિશેષરૂપ પર્યાય એ ઉભયરૂપ એવા શેયને સંસ્પર્શી, ઉભય એક સ્વભાવવાળો આ કેવલીનો પ્રત્યય છે=કેવલીનો ઉપયોગ છે, અને ગ્રાહ્યતા દ્વિપણાથી=દ્રવ્ય અને પર્યાયરૂપ ગ્રાહ્યના દ્વિપણાથી, ગ્રાહકનું દ્વિપણું છે દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરનાર કેવલજ્ઞાન અને કેવલદર્શરૂપ દ્વિપણું છે, એ પ્રમાણે ત્યાં-કેવલીના ઉપયોગમાં, સંભાવના યુક્ત નથી; કેમ કે કેવલજ્ઞાનના ગ્રાહ્યતા આમંત્યને કારણે અનંતતાની આપત્તિ છેકેવલજ્ઞાનના પણ અનંત ઉપયોગો છે તેમ સ્વીકારવાની આપત્તિ છે. આ રીતે સાકારઉપયોગમાં અને અનાકારઉપયોગમાં એકાંતથી ભેદ નથી તેમ સ્થાપન કર્યું. હવે શેયાંશથી કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ભેદ સ્વીકારવા છતાં એકાંતભેદની પ્રાપ્તિ નથી તે બતાવવા કહે છે – અચોવ્યઅતુવિદ્ધગ્રાહ્યાંશદ્વયતા ભેદથી પરસ્પર એકમેકભાવવાળા એવા દ્રવ્ય અને પર્યાયરૂપ ગ્રાહ્યાંશદ્વયના ભેદથી, ગ્રાહકની તથા–કલ્પનામાં દ્રવ્ય અને પર્યાય ઉભયના ગ્રાહક એવા કેવલજ્ઞાનના ગ્રાહ્ય અંશને સામે રાખીને દ્વિત્વની કલ્પનામાં, એકત્વનો અનતિક્રમ હોવાથી=ઉપયોગરૂપે એકત્વનો અનતિક્રમ હોવાથી, દોષ નથી એકાંતવાદના સ્વીકારરૂપ દોષ નથી. કૃતિ' શબ્દ ટીકાના અર્થની સમાપ્તિ માટે છે. ટીકાના કથનથી સૂરિનો-ગ્રંથકારશ્રીનો, આ અભિપ્રાય છે – એક સ્વભાવવાળા પ્રત્યાયનો=સર્વ દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ શેયને જાણવાના એકસ્વભાવરૂપ જ્ઞાનનો, શીત, ઉષ્ણ સ્પર્શની જેમ પરસ્પર વિભિન્ન સ્વભાવયરૂપ વિરોધ નથી=જેમ શીત, ઉષ્ણ સ્પર્શમાં પરસ્પર વિભિન્ન સ્વભાવ છે તેમ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ પરસ્પર વિભિન્ન સ્વભાવવાળો છે એ પ્રકારે સ્વીકારવાની આપત્તિરૂપ વિરોધ નથી. કેમ વિરોધ નથી ? તેમાં હેતુ કહે છે – દર્શન અને સ્પર્શત શક્તિદ્વયાત્મક એક દેવદત્તની જેમ સ્વભાવદ્વયાત્મક એકપ્રત્યયતોદ્રવ્ય અને પર્યાય ઉભયને જાણવારૂપ સ્વભાવદ્રયાત્મક એવા કેવલીના એકઉપયોગતો, કેવલીમાં અવિરોધ છે. કેમ કેવલીમાં સ્વભાવદ્રયાત્મક એકપ્રત્યય છે ? તેમાં હેતુ કહે છે – અનેકાન્તવાદનું પ્રમાણ ઉપપલપણું છે અર્થાત્ દ્રવ્ય-પર્યાયરૂપ ઉભય ક્ષેયની અપેક્ષાએ કેવલી સ્વભાવદ્રયાત્મક છે અને ઉપયોગાત્મક એકપ્રત્યયવાળા છે એ રૂપ અનેકાંતવાદનું પ્રમાણથી ઉપ૫૪પણું છે. ૨/૧૧II. ભાવાર્થ : જ્ઞાનનો સાકારઉપયોગ પરિશુદ્ધ છે= સર્વ પદાર્થોને પરસ્પર તે તે પર્યાયોથી ભિન્નરૂપે જોઈને યથાર્થ પરિચ્છેદન કરે છે, અને અનાકાર એવો દર્શનનો ઉપયોગ અવ્યક્ત છે અર્થાત્ કોઈ પણ પર્યાયથી પરસ્પર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy