SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૯-૧૦ ભાવાર્થ : અવતરણિકામાં કહેલ કે કમઉપયોગવાદીને અને કેવલજ્ઞાન-કેવલદર્શન ઉભયપ્રધાન એવા અક્રમઉપયોગવાદીને પ્રશ્ન કરીને ગ્રંથકારશ્રી સ્વપક્ષને બતાવે છે. તેથી પ્રથમ ક્રમવાદીને પ્રશ્ન કરે છે – સામાન્ય-વિશેષ બન્નેના બોધનું જે આવરણ તે રૂપ કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ બન્નેનો નાશ એકકાલમાં થયેલો હોવાથી તે બેમાંથી પ્રથમતર ઉત્પાદ કોનો થાય ? જો ક્રમવાદી પ્રથમતર ઉત્પાદ કેવલજ્ઞાનનો માને તો કેવલદર્શનાવરણનો પણ ક્ષય થયો હોવાથી ઇતરનો પણ ઉત્પાદ તે વખતે થવો જોઈએ અને જો કેવલદર્શનાવરણનો ક્ષય થયો હોવા છતાં કેવલદર્શનનો ઉત્પાદ નથી તેમ કહેવામાં આવે તે તેની જેમ કેવલજ્ઞાનનો પણ ઉત્પાદ નથી તેમ માનવું પડે; કેમ કે કેવલજ્ઞાનની અને કેવલદર્શનની ઉત્પત્તિના કારણ એવા તે બંને કર્મોનો નાશ સમાન જ છે, તેથી બન્નેના આવરણનો અપગમ થવા છતાં એકનો અનુત્પાદ સ્વીકારવામાં આવે તો અન્યનો પણ અનુત્પાદ માનવો પડે, તેથી કેવલજ્ઞાનાવરણનો અને કેવલદર્શનાવરણનો ક્ષય થવા છતાં કેવલીને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો અભાવ છે એમ માનવાની ક્રમવાદીને આપત્તિ આવે. આ પ્રકારે ક્રમવાદીને આપત્તિ આપ્યા પછી અક્રમવાદીને ગ્રંથકારશ્રી કહે છે જો અક્રમવાદી કહે કે બન્નેનું આવરણ નાશ થયેલું હોવાથી બન્નેનો ઉત્પાદ એક કાલમાં છે તો શાસ્ત્રમાં એક કાલમાં બે ઉપયોગો કહ્યા નથી અને અક્રમવાદીને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ રૂ૫ બે ઉપયોગ એક કાળમાં છે તેમ માનવું પડે. માટે કેવલજ્ઞાન સામાન્ય-વિશેષ પરિચ્છેદાત્મક જ છે, પરંતુ કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે ઉપયોગ ક્રમસર પણ નથી અને એકસાથે પણ નથી, પરંતુ કેવલીનો એક જ ઉપયોગ સામાન્ય એવા દ્રવ્યને અને વિશેષ એવા પર્યાયોને જાણનારો છે તેમ સ્વીકારવું જોઈએ, એમ ગ્રંથકારશ્રી પોતાનો મત સ્થાપન કરે છે. ll૨/લા અવતરણિકા : यदेव ज्ञानं तदेव दर्शनमित्यस्मिन्नेव वादे सर्वज्ञतासंभव इत्याह - અવતરણિકાર્ય : જે જ જ્ઞાન છે તે જ દર્શન છે એ પ્રકારના આ જ વારમાં જ્ઞાન-દર્શનાત્મક એકઉપયોગવાદમાં જ, સર્વજ્ઞતાનો સંભવ છે એને કહે છે – ગાથા : जइ सव्वं सायारं जाणइ एक्कसमएण सव्वण्णू । जुज्जइ सयावि एवं अहवा सव्वं ण याणाइ ।।२/१०।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy