SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૫ ગાથાર્થ ઃ જે પ્રમાણે કેવલજ્ઞાનના આવરણના ક્ષયથી થયેલું જ્ઞાન કેવલ છે=કેવલજ્ઞાન છે, તે પ્રમાણે નિજ આવરણનો ક્ષય થયે છતે=દર્શનાવરણનો ક્ષય થયે છતે, દર્શન પણ ઘટે છે=જ્યારે કેવલજ્ઞાન છે ત્યારે જ કેવલદર્શન પણ ઘટે છે. II૨/૫॥ ટીકા ઃ केवलज्ञानावरणक्षये यथोत्पन्नं विशेषावबोधस्वभावं ज्ञानं तथा तदैव दर्शनावरणक्षये सति सामान्यपरिच्छेदस्वभावं दर्शनमप्युत्पद्यताम्, न ह्यविकलकारणे सति कार्यानुत्पत्तिर्युक्ता तस्यातत्कार्यताप्रसक्तेरितरत्राप्यविशेषतोऽनुत्पत्तिप्रसक्तेश्च, ज्ञानकाले दर्शनस्यापि संभवः, तदुत्पत्तौ कारणसद्भावाद् युगपदुत्पत्त्यविकलकारणघटपटयुगपदुत्पत्तिवत्, ननु च हेतौ सत्यपि श्रुताद्यावरणक्षयोपशमे श्रुताद्यनुत्पद्यमानमपि कदाचित् दृष्टमित्यनैकान्तिको हेतुः नः श्रुतादौ क्षीणावरणत्वस्य हेतोरभावात् श्रुतादेः क्षीणोपशान्तावरणत्वात्, भिनावरणत्वादेव च श्रुतावधिवन्नैकत्वमेकान्ततो ज्ञानदर्शनयोरेकदोभयाभ्युपगमवादेनैव ।।२ / ५ ।। ટીકાર્ય : केवलज्ञानावरणक्षये અમ્યુપામવાલેનેવ ।। જે પ્રમાણે કેવલજ્ઞાનાવરણના ક્ષયમાં ઉત્પન્ન થયેલું વિશેષ અવબોધ સ્વભાવવાળું જ્ઞાન છે તે પ્રમાણે ત્યારે જ=કેવલજ્ઞાનના કાળમાં જ દર્શનાવરણનો ક્ષય થયે છતે સામાન્ય પરિચ્છેદ સ્વભાવવાળું દર્શન પણ ઉત્પન્ન થાઓ, ‘’િ=જે કારણથી અવિકલ કારણ હોતે છતે કાર્યની અનુત્પત્તિ યુક્ત નથી; કેમ કે તેની=કાર્યની, અતત્કાર્યતાની પ્રસક્તિ છે=વિદ્યમાન અવિકલ કારણની કાર્યતા નથી એમ માનવાની આપત્તિ છે. અને ઇતરત્ર પણ=બીજી ક્ષણમાં પણ, કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શનના આવરણક્ષયરૂપ અવિકલ કારણ હોવા છતાં જો કેવલદર્શન ઉત્પન્ન ન થતું હોય તો બીજી ક્ષણમાં પણ, અવિશેષ હોવાથી=કેવલદર્શનાવરણના ક્ષયરૂપ કેવલદર્શનના કારણનો અવિશેષ હોવાથી, અનુત્પત્તિનો પ્રસંગ છે=કેવલદર્શનની અનુત્પત્તિની આપત્તિ છે. ***** વળી અનુમાનથી પણ કેવલજ્ઞાનકાળમાં કેવલદર્શન છે તે સ્પષ્ટ કરે છે Jain Educationa International ૨૯ -- જ્ઞાનકાળમાં=કેવલજ્ઞાનકાળમાં, દર્શનનો પણ=કેવલદર્શનનો પણ, સંભવ છે; કેમ કે તેની ઉત્પત્તિમાં= કેવલદર્શનની ઉત્પત્તિમાં, કારણનો સદ્ભાવ છે=દર્શનાવરણના ક્ષયરૂપ કારણનો સદ્ભાવ છે, જેમ યુગપદ્ ઉત્પત્તિના અવિકલ કારણવાળા ઘટપટની યુગપદ્ ઉત્પત્તિ છે. ‘નનુ’થી શંકા કરે છે - - શ્રુત આદિ આવરણનો ક્ષયોપશમરૂપ હેતુ હોતે છતે પણ શ્રુત આદિ અનુત્પદ્યમાન પણ ક્યારેક For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy