SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪ કહે છે તે મત પ્રમાણે કેવલીનું કેવલજ્ઞાન વિપર્યસ્ત છે, એમ માનવું પડે. વળી, પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે એ પ્રમાણે અનેક વખત પૂર્વમાં કહેવાયું છે માટે કેવલી સામાન્ય-વિશેષાત્મક પદાર્થને એક કાળમાં સામાન્ય અથવા વિશેષ કોઈ એકને ગ્રહણ કરે છે એમ કહેવું વિપર્યાય છે. વળી ટીકામાં આપેલ ભગવતીસૂત્રનું વ્યાખ્યાન અન્ય આચાર્યો કરે છે તેના કરતાં પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના મતાનુસાર જુદા પ્રકારથી સંગત થાય છે માટે એ પ્રકારના અર્થ કરવાથી ભગવાનને આળ આપવાનું થતું નથી. વળી તે સૂત્ર અન્ય આચાર્યોએ બતાવ્યું એ પ્રકારના અર્થવાળું નથી, પરંતુ આ પ્રકારના અર્થવાળું છે તે બતાવતાં ટીકાકારશ્રી કહે છે – કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને જે આકારાદિ વડે સમકતુલ્ય, જાણે છે અર્થાતુ આકાર, સંસ્થાન પરિવાર આદિ સર્વ વડે અભિન્ન જાણે છે તે આકારાદિ વડે તુલ્ય જોતા નથી–તે આકારાદિ રહિત જુએ છે.” અહીં સૂત્રમાં ‘શબ્દ પ્રાકૃતમાં હોવાથી ‘' પ્રત્યય લાગ્યો છે, પરંતુ તેનો અર્થ ગ્રંથાકરશ્રીએ ‘વૈ.' કરેલ છે અને સમયે’નો અર્થ સમય કરેલ નથી, પરંતુ સમક કરેલ છે. એથી એ પ્રાપ્ત થાય કે રત્નપ્રભા પૃથ્વીને આકાર આદિ સર્વ પર્યાયોથી અભિન્નરૂપે કેવલી કેવલજ્ઞાનથી જાણે છે અને તે જ સમયે કેવલદર્શનથી તે સર્વ આકારો વડે તુલ્ય જોતા નથી તેથી સર્વ આકાર રહિત જુએ છે અહીં પ્રશ્ન થાય કે આ પ્રકારનો અર્થ કરવાથી ગ્રંથકારશ્રીને અભિમત કેવલજ્ઞાન અને કેવલદર્શન એક કાળમાં છે તે કઈ રીતે પ્રાપ્ત થાય ? તેનું તાત્પર્ય એ છે કે કેવલીને કેવલજ્ઞાનના અને કેવલદર્શનના આવારક કર્મનો ક્ષય થયેલો હોવાથી કેવલજ્ઞાનના વિષયભૂત સર્વ પર્યાયોને અને કેવલદર્શનના વિષયભૂત સર્વ દ્રવ્યોને સદા જોનારા છે, તેથી જે પ્રકારે અન્ય આચાર્યોએ “ સમર્થ સમજે એવું મહાવીરે' ઇત્યાદિમાં ‘સમય’ શબ્દ કાળ અર્થમાં ગ્રહણ કર્યો છે તે પ્રમાણે “ સમર્થ તે સમયે' એ “કાળ” અર્થમાં ગ્રંથકારશ્રીને અભિમત નથી, પરંતુ આવરણના ક્ષયથી સદા જ્ઞાન-દર્શનનો ઉપયોગ વર્તે છે, એ અર્થ થાય તે રીતે અભિમત છે. સૂત્રમાં “ સમય' જાણતા નથી તે સમય’ જોતા નથી તે કથનનો અર્થ ગ્રંથકારશ્રીએ કર્યો એ કથન પ્રશ્નરૂપે ગૌતમ સ્વામી વડે પૂછાયું છે “શું એ પ્રમાણે જ ગ્રહણ કરવો જોઈએ ? અર્થાત્ જે પ્રમાણે પ્રશ્ન પુછાયો છે એ પ્રમાણે અર્થ ગ્રહણ કરવો જોઈએ ?' તેના ઉત્તરરૂપે ‘વં' એ પ્રકારે અનુમોદના છે=સમર્થન છે અર્થાત્ જે રીતે પ્રશ્ન પુછાયો છે તે પ્રમાણે ઉત્તર જાણવો જોઈએ. તે ઉત્તરથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – ગૌતમસ્વામીએ હેતુ પૂક્યો તેનું ભગવાને પ્રતિવચન આપ્યું. તે પ્રતિવચન કેવા સ્વરૂપવાળું છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – જ્ઞાન-દર્શનના ઉપયોગનું ભિન્ન આલંબન પ્રદર્શક એવું તે પ્રતિવચન છે. એથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનદર્શનનો ઉપયોગ ભિન્ન કાળવાળો નથી જેમ અન્ય આચાર્યો કહે છે, પરંતુ ભિન્ન આલંબનવાળો તે ઉપયોગ છે તેમ ભગવાન કહે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy