SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ પદાર્થ કોઈ નથી તેથી વિશેષને જણાવનાર એવા જ્ઞાનનો પણ અભાવ છે; કેમ કે વિષય વગર જ્ઞાન થઈ શકે નહીં. માટે કેવલીનું કેવલજ્ઞાન અકિંચિજ્ઞ થયું અર્થાત્ કોઈ વસ્તુને જાણતું નથી=અજ્ઞાન સ્વરૂપ છે. આશય એ છે કે વિષયને અનુરૂપ શેયનું જ્ઞાન થાય છે અને વિષય સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે; આમ છતાં કેવલજ્ઞાનમાં માત્ર વિશેષ જણાય છે એમ કહેવામાં આવે તો કેવલજ્ઞાનના વિષયભૂત એવો બાહ્ય પદાર્થ જગતમાં નથી અને જગતમાં એવો પદાર્થ ન હોય તેવા વિષયનું જ્ઞાન થાય નહીં. જેમ શશશૃંગ જગતમાં નથી તેથી તેનું જ્ઞાન થાય નહીં તેમ જગતમાં સામાન્ય નિરપેક્ષ વિશેષ વસ્તુ નથી, માટે કેવલીને સામાન્યનિરપેક્ષ એવા વિશેષનું જ્ઞાન થઈ શકે નહીં, તેથી કેવલીને કોઈ વસ્તુનું જ્ઞાન નથી એમ સ્વીકારવાનો પ્રસંગ આવે. હવે કેવલીને સામાન્યાત્મક દર્શન છે તેમ સ્વીકારવામાં આવે તો વિશેષવિકલ સામાન્યરૂપ પદાર્થનો અભાવ હોવાથી કેવલદર્શનનો વિષય જગતમાં નથી. માટે કેવલી સામાન્યને પણ જોનારા નથી અને વિશેષને પણ જોનારા નથી, પરંતુ અજ્ઞાની છે એમ કહેવાનો પ્રસંગ આવે. માટે જેઓ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ક્રમસર માને છે તેઓ તીર્થંકરની આશાતનાના અભીરુ છે. અહીં અન્ય આચાર્યો કહે છે કે અમે કેવલીને એકસાથે જ્ઞાન-દર્શન સ્વીકારતા નથી, પરંતુ કેવલીને ક્રમસર જ્ઞાન-દર્શન થાય છે માટે પદાર્થ સામાન્ય-વિશેષાત્મક હોવા છતાં જ્ઞાનકાળમાં કેવલી જાણે છે અને દર્શનકાળમાં કેવલી જુએ છે એમ સ્વીકારવામાં દોષ નહીં આવે. તેને ટીકાકારશ્રી કહે છે – ક્રમસર ઉપયોગ સ્વીકારવામાં પણ કેવલી જ્યારે જાણે છે ત્યારે જોતા નથી અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી, માટે કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી એકનો જ્યારે અભાવ હોય ત્યારે તે બન્નેમાંથી અન્યતરનો અભાવ જ પ્રાપ્ત થાય; કેમ કે પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે માત્ર સામાન્યરૂપ કે માત્ર વિશેષરૂપ નથી. તેથી જ્ઞાન પણ નિર્વિષય બને છે અને દર્શન પણ નિર્વિષય બને છે, તેથી કેવલી જ્ઞાન વગરના અને દર્શન વગરના છે તેમ જ માનવું પડે. અથવા સામાન્ય-વિશેષ ઉભયરૂપ વસ્તુ હોય તેમાંથી કોઈ એકને જ એક સમયમાં કેવલી ગ્રહણ કરે છે તેમ સ્વીકારવામાં આવે તો કેવલનો ઉપયોગ વિપર્યસ્ત જ છે તેમ માનવું પડે. કેમ વિપર્યસ્ત છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – પદાર્થ સામાન્ય-વિશેષરૂપ છે છતાં કેવલી કેવલદર્શનથી સામાન્યને જ ગ્રહણ કરે છે, તેથી પદાર્થ જેવો નથી તેવું ગ્રહણ કરનાર કેવલી હોવાથી તેમનું દર્શન વિપર્યસ્ત છે; જેમ સાંખ્યનું જ્ઞાન વિપર્યસ્ત છે અર્થાત્ આત્મરૂપ દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક હોવા છતાં સાંખ્યદર્શનકારો આત્માને એકાંતનિત્ય કહીને આત્માને માત્ર સામાન્યરૂપે જ સ્વીકારે છે અને વિશેષરૂપે સ્વીકારતા નથી, તે તેમનું વિપર્યસ્ત જ્ઞાન છે તેમ સામાન્યવિશેષાત્મક પદાર્થ હોવા છતાં કેવલી એક સમયમાં સામાન્યનું ગ્રહણ કરે છે એમ જેઓ કહે છે તે તેમના મતાનુસાર સ્વીકારવામાં આવે તો કેવલીને વિપર્યા છે, એમ માનવું પડે. વળી જેમ પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ હોવા છતાં સુગતનું અર્થાત્ બૌદ્ધનું જ્ઞાન માત્ર પર્યાયને ગ્રહણ કરે છે, તેથી વિપર્યસ્ત છે તેમ પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ હોવા છતાં કેવલજ્ઞાન માત્ર પર્યાયને ગ્રહણ કરે છે, એમ જેઓ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy