SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ વિશેષ ઉપયોગથી અંતરિત છે=સામાન્ય ઉપયોગ વિશેષ ઉપયોગથી અન્ય સમયે થનારો છે; કેમ કે એ પ્રકારનું સ્વભાવપણું છે જીવના જ્ઞાન-દર્શનનું તે પ્રકારનું સ્વભાવપણું છે, કે જ્ઞાન-દર્શનનો ઉપયોગ ભિન્ન કાળમાં થાય એક કાળમાં ન થાય; એ પ્રકારનો સૂત્રના પ્રશ્નનો અર્થ છે. ઉત્તર વળી ‘દંતા જોયHI !' ઇત્યાદિ પ્રપ્તનો અનુમોદક છે. અને “દંતા' એ અભિમતનું આમંત્રણ છે=પ્રશ્નમાં અભિમતનો સ્વીકાર છે. “જયમાં’ એ ગોત્રનું આમંત્રણ છે. અને પ્રસ્તના અનુમોદન માટે=પ્રશ્નના ઉત્તર માટે, ફરી તે જ સૂત્ર ઉચ્ચારણ કરવું અને હેતુપ્રશ્નનું આ સૂત્રમાં ઉત્તર છે. ‘કેવલી જાણે છે ત્યારે જોતા નથી' એ કથનમાં જ્ઞાન અને દર્શન શું છે ? તે સ્પષ્ટ કરે છે – સાકાર એવું જ્ઞાન છે, અનાકાર દર્શન છે. તેનો અર્થ સ્પષ્ટ કરે છે – સાકાર=વિશેષઅવલંબી, આવું કેવલીનું, જ્ઞાન છે અતાકાર=અતિક્રાંતવિશેષવાળું સામાન્ય અવલંબી, દર્શન છે. અહીં પ્રશ્ન થાય કે કેવલીને જ્ઞાન-દર્શન ભિન્ન કાળમાં કેમ છે ? તેથી કહે છે – અને નિરાવરણ એવા પણ કેવલીને એકદા અનેક પ્રત્યયની ઉત્પત્તિ નથી; કેમ કે તસ્વભાવપણું છે=દર્શન અને જ્ઞાનનું ભિન્નકાળ થવાના સ્વભાવપણું છે. તેમાં યુક્તિ બતાવે છે – દિ જે કારણથી, ચક્ષજ્ઞાતકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ ઉપલબ્ધ થતી નથી, તે કારણથી કેવલીનું કેવલજ્ઞાન અને કેવલદર્શન ભિન્નકાળમાં છે, એમ અવય છે. અહીં પૂર્વપક્ષી કહે કે ચક્ષજ્ઞાનકાળમાં શ્રોત્રજ્ઞાનની ઉત્પત્તિ આવૃત હોવાના કારણે છાસ્થ થતી નથી, જ્યારે કેવલીને તો આવરણ નથી માટે કેવલજ્ઞાન વખતે કેવલદર્શનની ઉત્પત્તિ થવી જોઈએ. તેના નિવારણ માટે કહે છે – અને આવૃતપણું હોવાના કારણે ત્યારે ચક્ષજ્ઞાતકાળમાં, તેની અનુત્પત્તિ તથી શ્રોત્રજ્ઞાનની અનુત્પત્તિ તથી; કેમ કે સ્વસમયમાં પણ અનુત્પત્તિનો પ્રસંગ છેઃચક્ષજ્ઞાતકાળમાં શ્રોત્રજ્ઞાનને આવૃત સ્વીકારવામાં આવે તો શ્રોત્રજ્ઞાનના સમયમાં પણ શ્રોત્રજ્ઞાનની અનુત્પત્તિનો પ્રસંગ આવે. તેથી જેમ અનાવૃત ચક્ષજ્ઞાન અને શ્રોત્રજ્ઞાન હોવા છતાં તે બેનો ક્રમસર ઉપયોગ થાય છે યુગપદ્ થતો નથી તેથી, યુગ૫૬ અનેક પ્રત્યયની અનુત્પત્તિમાં સ્વભાવ જ કારણ છે, આવરણનો સદ્ભાવ નહીં. (માટે કેવલજ્ઞાન અને કેવલદર્શન અનાવૃત હોવા છતાં ક્રમસર થાય છે.) અને સંનિહિત પણ દ્વયાત્મક વિષય હોતે છતે સામાન્ય વિશેષરૂપ બંને વિષય સંનિહિત હોવા છતાં, વિશેષાંશને જ ગ્રહણ કરતા કેવલી તેમાં જ સામર્થ હોવાથી–વિશેષ ગ્રહણમાં જ સામર્થ્ય હોવાથી, સર્વજ્ઞ' એ પ્રમાણે વ્યપદેશ કરાય છે; કેમ કે સર્વવિશેષજ્ઞપણું છે અને સર્વસામાન્યદર્શીપણું હોવાથી ‘સર્વદર્શી' કહેવાય છે અને આ પ્રકારના વ્યાખ્યામાં કેવલીનું જે અકિંચિજ્ઞપણું છે અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy