SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૩ મતિ આદિ ચાર જ્ઞાનમાં જ્ઞાન-દર્શનનો ક્રમસ૨ ઉપયોગ કઈ રીતે થાય છે ? તે ‘તાર્દિ’થી કહે છે ચક્ષુજ્ઞાન, અચક્ષુજ્ઞાન અને અવધિજ્ઞાન એ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનથી પૃથક્ કાલવાળા છે; કેમ કે છદ્મસ્થતા ઉપયોગાત્મક જ્ઞાનપણું છે. શ્રુતજ્ઞાનની અને મન:પર્યવજ્ઞાનની જેમ=શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન જેમ દર્શનથી પૃથક્ છે તેમ ચક્ષુદર્શન આદિ દર્શનોથી ચક્ષુજ્ઞાન આદિ જ્ઞાનો પૃથક્ છે. અહીં પ્રશ્ન થાય કે શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન શું છે ? તેથી કહે છે - ૧૪ વાક્યાર્થવિશેષ વિષયવાળું શ્રુતજ્ઞાન છે અને મનોદ્રવ્યવિષયના આલંબનવાળું મનઃપર્યવજ્ઞાન છે. આ બંને પણ=શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન બંને પણ, અદર્શન સ્વભાવવાળું મતિજ્ઞાનના અને અવધિજ્ઞાનના દર્શનના ઉપયોગથી ભિન્ન કાળવાળું સિદ્ધ છે. વળી કેવલજ્ઞાન=કેવલજ્ઞાનનો બોધ, દર્શન એવું અથવા જ્ઞાન એવું જે, કેવલ તે સમાન છે=સમાનકાલવાળું છે, બંને પણ યુગપ ્ જ છે, એ પ્રકારનો ભાવ છે. તે આ પ્રમાણે એક કાળવાળા કેવલીગત જ્ઞાન-દર્શનઉપયોગો છે; કેમ કે તે પ્રકારના અપ્રતિહતથી આવિર્ભૂત તત્ત્વભાવપણું છે. તેવા પ્રકારના સૂર્યના પ્રકાશ અને આતાપની જેમ જ્યારે જ કેવલી જાણે છે ત્યારે જ જુએ છે એ પ્રમાણે સૂરિનો અભિપ્રાય છે. ।।૨/૩ ભાવાર્થ: છદ્મસ્થ જીવોને મતિજ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો, અવધિજ્ઞાનનો અને મનઃપર્યવજ્ઞાનનો ઉપયોગ હોય છે. તે ચાર જ્ઞાન સુધી જ્ઞાન અને દર્શનનો પૃથક્ ભાવ છે=પ્રથમ દર્શન થાય છે ત્યારપછી જ્ઞાન થાય છે, તેથી જ્ઞાન-દર્શનનો ઉપયોગ ભિન્ન કાળમાં વર્તે છે અને ક્રમસર વર્તે છે. - કઈ રીતે જ્ઞાન-દર્શન પૃથક્ છે ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી અનુમાન કરે છે ચક્ષુજ્ઞાન, અચક્ષુજ્ઞાન અને અવધિજ્ઞાન એ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનથી પૃથક્ કાલવાળા છે. કેમ પૃથક્ કાળવાળા છે ? એમાં હેતુ કહે છે – છદ્મસ્થના ઉપયોગાત્મક જ્ઞાનપણું છે. તે અનુમાનમાં દૃષ્ટાંત બતાવે છે શ્રુતજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન જેમ દર્શનથી પૃથક્ દેખાય છે તેમ ચક્ષુ આદિથી થનારા જ્ઞાનો પણ ચક્ષુદર્શન આદિથી પૃથક્ છે. આશય એ છે કે છદ્મસ્થ જીવ ચક્ષુથી ઘટાદિ પદાર્થને જાણે છે ત્યારે પ્રથમ તે તે પદાર્થનું દર્શન થાય છે ત્યારપછી તે પદાર્થનું જ્ઞાન થાય છે તેવી પૃથક્ પ્રતીતિ સ્થૂલથી જણાતી નથી; છતાં તે ચક્ષુ આદિથી પ્રથમ દર્શન થાય છે અને ત્યારપછી જ્ઞાન થાય છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – દર્શનના ઉપયોગ વગર છદ્મસ્થનો જ્ઞાનનો ઉપયોગ થતો નથી, એથી ચક્ષુ આદિથી થયેલું જ્ઞાન દર્શનથી પૃથક્ છે. જેમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy